c.j. jadav
3K views • 7 hours ago
🍃🍃🌼🍃🍃
નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 95
અમદાવાદના હરિભક્તોને થયું કે અમદાવાદની આજુ-બાજુમાં ખુલ્લી જગ્યામાં કોઈ બંગલામાં સદ્ગુરુશ્રીને રાખ્યા હોય તો હવાફેર જેવું રહે. તે વખતે વાડજ વિસ્તાર નવો નવો વિકાસ પામી રહેલો. ત્યાંની ચાંપાનેર સોસાયટીના બાવીશ નંબરના બંગલામાં પોતાના સંતમંડળે સહિત સદ્-ગુરુશ્રી પધાર્યા, હરિભક્તોના મંડળનાં મંડળ દર્શને આવ્યા જ કરે. સાધુ મુક્તવલ્લભદાસજી સવાર-સાંજ રસોઈ કરતા પહેલાં થાળ સામગ્રી પર સદ્ગુરુશ્રીની નજરપ્રસાદી કરાવે. આવી માંદગીમાં સદ્ગુરુશ્રીના સાધુ આવું શું કરતા હશે, તેમ ડૉકટરને થાય ! મુક્તવલ્લભદાસજીને કહે પણ ખરા કે આવી તકલીફ સદ્ગુરુશ્રીને શું આપો છો! મુક્તવલ્લભદાસજી કહે : “ભાઈ! તમને ખબર નથી; આ રસોઈ હવે ગમે તેટલાં હરિભક્તો જમશે તો પણ ખૂટશે નહીં!"
હવે મુક્તરાજ અબજીબાપાશ્રીના જીવનચરિત્રનું કામ મુક્તસ્વરૂપ સોમચંદભાઈએ પ્રેમપૂર્વક અને સઘળા ખંતથી પૂરું કર્યું હતું. તે હસ્તલિખિત ગ્રંથ લઈને તેઓશ્રી માથકથી સદ્ગુરુની પાસે જોરાવરનગર આવ્યા. (તે વખતે સદ્ગુરુશ્રી અનન્ય સેવાપરાયણ, પ.ભ. ડો. શાન્તિભાઈના અતિ પ્રેમને વશ થઈને જોરાવરનગર પધાર્યા હતા.) એ ગ્રંથ જોઈ સદ્ગુરુશ્રી અતિશય પ્રસન્ન થયા. પછી સોમચંદભાઈને સદ્ગુરુશ્રી કહે : હવે અહીં રહીને આ ગ્રંથની પારાયણ અમને સંભળાવો. સદ્ગુરુશ્રીની આજ્ઞા થતાં સોમચંદભાઈએ અબજીબાપાશ્રીના જીવનચરિત્રનો હસ્તલિખિત ગ્રંથ સદ્ગુરુશ્રી આગળ વાંચવા માંડયો. સોમચંદભાઈ વાંચતા હોય, સદ્દગુરુશ્રી મંદવાડને કારણે પાટ ઉપર સૂતા સૂતા તે કથા સાંભળતા હોય. એકવાર સોમચંદભાઈને લાગ્યું કે સદ્ગુરુશ્રી યોગનિદ્રામાં
જતા રહ્યા છે, તેથી તેઓ વાંચતા અટકી ગયા. તરત જ સદ્દગુરુશ્રી કહે : કેમ બંધ રાખ્યું ? વાંચ્યે જ રાખો, હું સાંભળું જ છું! સદ્દગુરુશ્રીનો અથાક્ પ્રભાવ ને સામથ્ર્ય જોઈ સોમચંદ-ભાઈએ અહોભાવ અનુભવ્યો ને કયા કરવા માંડી, પારાયણ પૂરી થતા સદ્ગુરુશ્રીએ સોમચંદભાઈ ઉપર અતિશય પ્રસન્નતા જણાવી કહ્યું : “ જેવું કામ થવું જોઈએ તેવું જ થયું! હવે તેને જલ્દીથી છપાવી દો. તમે રાજકોટ જઈ હીરજીભાઈને મળી આ પુસ્તક છપાવવાની તજવીજ કરો.” તે પ્રમાણે રાજકોટમાં તે પુસ્તક છપાવા માંડ્યું. સોમચંદભાઈ રાજકોટમાં રહી તેના પ્રૂફો સુધારી ઉતાવળે તે તૈયાર કરાવવા લાગ્યા. સદ્ગુરુશ્રી બિરાજતા હોય ત્યાં સુધીમાં તે છપાઈને તૈયાર થઈ જાય તેવી સૌના મનની ઇચ્છા હતી.
શેઠ હીરજીભાઈ સદ્ગુરુશ્રીના મંદવાડની શરૂઆતમાં એમ કહ્યા કરતાં કે હજી તો મારે સદ્ગુરુશ્રીને રાજકોટ મારે ત્યાં તેડી જઈ પારાયણ કરાવવું છે. સદ્દગુરુશ્રીને પૂછે : “પધારશો ને?” પોતે રાજી થઈને કહે: “હા, હા જરૂરથી રાજકોટ આવવું છે.” પણ મંદવાડ તો વધતો ચાલ્યો તેથી હીરજીભાઈથી બોલાય તેમ રહ્યું નહિ. પણ સં. ૧૯૯૮ના આસો માસની શરૂઆતમાં હીરજીભાઈ સદ્ગુરુશ્રીના દર્શને આવ્યા, ત્યારે સદ્દગુરુશ્રીએ જ સામેથી પૂછ્યું : “હીરજીભાઈ! અમને હવે રાજકોટ ક્યારે લઈ જવા છે?” હીરજીભાઈએ વૈદ્યરાજની સલાહ પૂછી. વૈદ્ય રવિશંકરભાઈ કહે: “આ સ્થિતિમાં કોઈ પણ ચિકિત્સક લઈ જવાની સંમતિ ન આપે, પણ જો સદ્દગુરુશ્રીની પોતાની આવવાની ઈચ્છા હશે તો રસ્તામાં કોઈ જાતનો વાંધો નહિ આવે.” ડો. નાગરદાસભાઈનો પણ એ જ અભિપ્રાય પડ્યો. તે વર્ષોમાં મોટર વાહનવ્યવહાર હતો નહીં, વળી સૌરાષ્ટ્ર વિભાગમાં કેવળ મીટર ગૅજ ટ્રેનો હતી, ને અમદાવાદથી વિરમગામ સુધી બ્રોડગૅજ ટ્રેનો જતી.
🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
19 likes
70 shares