c.j. jadav
2K views • 6 hours ago
🍃🍃🌼🍃🍃
નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 107
કોઈ હરિભક્તને કાંઈક વ્યાવહારિક દુ:ખ હોય, અગર કોઈ મંદવાડ હોય, અગર કોઈને ધ્યાન-ભજનમાં સંકલ્પ નડતા હોય, ભગવાનના સ્વરૂપમાં એકાગ્રતા ન થતી હોય, તો સદ્ગુરુશ્રી પાસે જઈ વાત કરે ને સદ્ગુરુશ્રી આશીર્વાદ આપે કે “શ્રીજીમહારાજને સંભારજો, મહારાજ સારું કરી દેશે.” – અને એની આંતર-બાહ્ય મૂંઝવણ ટળી જતી. જેમ બાળકને મા પાસે જતાં હૂંફ મળે તેમ સદ્ગુરુશ્રી પાસે જતાં શાંતિ થઈ જતી.
સદ્ગુરુશ્રીના ત્યાગ-વૈરાગ્યની સરખામણીમાં બીજા બહુ થોડા જ આવી શકશે. ત્યાગ-વૈરાગ્યની બાબતમાં સદ્ગુરુશ્રીના અતિ કડક વલણને લીધે તેમની સેવામાં રહેનારા સાધુઓ પણ ક્યારેક મૂંઝાઈ જતા. પરંતુ આ ત્યાગની તીવ્રતાને પોતે સમાવીને રહેતા. બહારથી આવનારા કે ગૃહસ્થ હરિ-ભક્તોને તેની બહુ જાણ થવા દેતા નહીં. પોતાની અંગત સેવામાં રહેનારા જ એ બાબતથી પરિચિત હતા. તે ત્યાગ નિષ્ઠા નકારાત્મક ન હતી, પરં'તુ પોતે સદાય ભગવદ્સ્વરૂપના સુખમાં જ રહેતા એ કેફે કરીને પ્રભુ સિવાય જગતમાં બીજે ક્યાંય સારપ જણાતી નહિ. એ ત્યાગ-વૈરાગ્ય શાને યુક્ત હતા. તેઓ શ્રીહરિના સ્વરૂપ સંબંધી લક્ષ્યાર્થ જ્ઞાનના જ હિમાયતી હોવાથી તેમનાં ત્યાગ-વૈરાગ્ય વગેરે મહાન ગુણો સૂક્ષ્મ અવલોકન કરનારા સિવાય બીજાને બહુ જણાય નહિ તેમ ઢાંકીને વર્તતા.
સદ્ગુરુશ્રી આજ્ઞા ને વર્તમાન પાળવા પળાવવા બાબત બહુ જ આગ્રહી હતા. તેમાં જરા પણ શિથિલતા ચલાવી ન લેતા. કોઈમાં શિથિલતા જણાય તો સાચી સમજણ આપી, પ્રાયશ્ચિત્ત કરાવી તેને શુદ્ધ કરતા. તેઓશ્રી કહેતા : “સત્સંગી થાય ને જો વર્તમાન કે આજ્ઞા ન પાળે તો શ્રીજીમહારાજને ન પામે.”
સમૈયા ઉપર કે બીજા દિવસોમાં સદ્ગુરુશ્રી પાસે હરિ-ભક્તોની ભૌડ સદાય જામેલી જ હોય. તેઓશ્રીની પાસે જઈને બેસીએ નેટલામાં જ અંતરમાં અલૌકિક શાંતિ અનુભવાતી. તેઓશ્રીની સહૃદયતા અગાધ હતી. જે કોઈ તેઓશ્રીની પાસે આવે તેનું દુ:ખ કેમ ટળે તેની જ તેમને ફિકર રહેતી. આશીર્વાદ આપવાનો ફક્ત દેખાવ કરવાનું તેમની રુચિમાં ન હતું. કોઈ પોતાના દુ:ખની વાત કરે ત્યારે તેમનું હૃદય દ્રવી જતું. તેઓશ્રી કહેતા: “શ્રીજીમહારાજ સારું કરશે.” તેમનું આટલું વચન દુ:ખથી ભાંગી પડેલા માટે બસ હતું. તેઓશ્રીના આશીર્વચનથી અનેકના જીવનમાં પરિવર્તન થઈ ગયાના દાખલાઓ છે. તેઓશ્રી ગરીબ વિદ્યાર્થીઓને ભણવામાં મદદ કરાવતા. વિદ્યાભ્યાસ કરતા સંતોને હરિભક્તો પાસે મદદ કરાવતા. દીન દુઃખીને આશીર્વાદ, અન્ન-વસ્ત્ર, નોકરી-ધંધા વગેરે આપી-અપાવી તેનું દુ:ખ તથા મુશ્કેલીઓ ટાળતા. માંદાની પણ ચીવટ રાખી સંભાળ રાખતા-રખાવતા. આમ પોતાના જોગમાં આવનાર આલોકમાં અને પરલોકમાં બંને રીતે સુખી થાય તેમ કરતા.
‘કોઈને દુ:ખિયો રે, દેખી ન ખમાય, દયા આણી રે, અતિ આકળા થાય. અન્ન, ધન, વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિ રે, દેખી વાનજ વાળે.’
શ્રીજીમહારાજના આવા કરુણાસભર ગુણો સદ્ગુરુશ્રીના જીવનમાં ચરિતાર્થ થયેલા જણાતા હતા.
🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ
18 shares