c.j. jadav
942 views 10 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 85 ચુંબકથી જેમ લોખંડ ખેંચાઈ આવે તેમ સદ્દગુરુશ્રીના પ્રતાપથી અનેક મુમુક્ષુઓ ખેંચાઈ આવ્યા. રોજ ત્રણ-ત્રણ વખત સભામાં સગુરુશ્રી શ્રીજીમહારાજના પ્રગટ પ્રતાપની— મહિમાની—વાતો કરે ને હાજર રહેલા નાના-મોટા સૌને એમ થઈ જાય કે સદ્દગુરુશ્રી બસ! વાતો જ કરતા રહે, કરતા જ રહે! સદ્ગુરુશ્રી ની કૃપાદષ્ટિ એવી થઈ કે અનેક મુમુક્ષુઓ હરિભક્તો થઈ ગયા ને સૌને સદ્ગુરુશ્રી સાથે દિવ્ય આત્મીયતા થઈ ગઈ. સૌને એમ થઈ ગયું કે સદ્ગુરુશ્રી હવે પછીથી સદાને માટે અહીં જ રહે તો સારું! સદ્ગુરુશ્રી કૃપા કરીને હરિભક્તોના ઘેરઘેર પધાર્યા. ઘેર ઘેર શ્રીજીમહારાજની મૂર્તિઓ પધરાવી આરતી ઉતારી, થાળ જમાડી, પ્રસાદી વહેંચે. પ્રસાદીનું પાણી છાંટી પવિત્રતા સ્થાપી દે. પૂર્વજો પ્રેત થયા હોય ને તેમનું સ્થાપન નાળિયેરમાં કર્યું હોય તો તે પોતાના હાથે ઉપાડા લે, ને ઘરનાને કહે: આ તમારા પૂર્વજોને અમે અક્ષરધામમાં મોકલી દઈએ છીએ. હવે આ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનને પધરાવી આરતી-પૂજા કરજો, ને નિ:શંકપણે ભગવાનનું ભજન કરજો. સદ્-ગુરુશ્રીનો પ્રતાપ એવો અસાધારણ કે સૌને અંતરમાંથી હા પડી જતી. સૌ રાજી રાજી થઈ ગયા. પૂર્વજોના આવા નાળિયેર મંદિરમાં લાવી ઢગલો કરી વર્તમાન ધરાવી ને અગ્નિસંસ્કાર કરાવી દેતા! હરિભક્તોને વ્યસન ને વહેમમાંથી મુક્ત કર્યા. અધમ જેવા જીવોનો પણ મોક્ષ કરી અક્ષરધામમાં મૂકી દીધા. સદ્ગુરુશ્રીની પરમ કૃપા જમિયતપુરા ગામ ઉપર વરસી રહી. સદ્ગુરુશ્રી તો સદાય નિર્દોષ બાળકસહજ પ્રસન્નવદને સૌના ઉપર રાજીપો જણાવે. હરિભક્તો તરફથી રસોઈ ઉપર રસોઈ ચાલ્યા કરે. સંતો રસોઈ કરતાં હોય, સદ્ગુરુશ્રી મંદિરના ચોકમાં પાટ ઉપર બિરાજ્યા હોય. હરિભક્તો તો વીંટળાઈને બેઠા જ હોય. એક વખત ચૂલાના ધુમાડા સામું જોઈ સદ્ગુરુશ્રી કહે : સ્વામિનારાયણના ચૂલાનો ધુમાડો ય કેવો દિવ્ય! જુઓ! આ ધુમાડો જે તરફ જાય છે તે ભાગના હરિભક્તો બહુ બળિયા થઈ જશે ! વાતની વાતમાં અઢળક ઢળી જાય ! માઢ મેડીમાં પધરામણી થઈ ને સદ્ગુરુશ્રીએ આશીર્વાદ દીધા કે આ માઢમાં કોઈ દુખિયો નહીં રહે! આ લોક ને પરલોક બંનેમાં બઢતી ! સં. ૧૯૮૮માં કરાંચીમાં પ.ભ. ડાહીબાએ પંદર દિવસની ‘સત્સંગીજીવન' ગ્રંથની પારાયણ રાખી હતી, ને તે વખતે જ ધ.ધુ. આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજના હસ્તક બાઈઓના મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા કરવાની હતી. તે પ્રસંગે સદ્દગુરુશ્રીના હેતવાળા સંતો-હરિભક્તો પણ કરાંચી પધાર્યા. સદ્ગુરુશ્રીએ એ વખતે લગભગ દોઢ માસ કરાંચીમાં રહીને ત્યાંના હરિભક્તોને દિવ્ય આનંદના સમંદરમાં ઝીલાવ્યા. સદ્ગુરુશ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી તથા સદ્દગુરુશ્રી વૃંદાવન-દાસજી સ્વામી સહિત પંચાવન ઉપરાંત સંતો કરાંચીમાં રહેલા. પાર્ષદ અલગ. ત્યાંના સત્સંગીઓનો પારાવાર પ્રેમ ને સદ્દગુરુશ્રી માટે અસાધારણ અહોભાવ ! મૂર્તિપ્રતિષ્ઠા પ્રસંગે શહેરમાંથી શ્રી ઠાકોરજી તથા ધ.ધુ. આચાર્ય મહારાજશ્રી સહિત શોભાયાત્રા નીકળી. આચાર્ય મહારાજશ્રી ચાર ઘોડાની બગીમાં બિરાજ્યા, સાથે તે જ બગીમાં સદ્ગુરુશ્રીને પણ બેસાર્યા. બંદરરોડ ઉપર થઈને સવારી નીકળી ને અસાધારણ ધામધૂમથી કરાંચી શહેર શોભી ઊઠયું. મૂર્તિપ્રતિષ્ઠા થઈ ને મંદિરમાં દિવ્ય-આનંદમાં સભાનું આયોજન થયું. સદ્ગુરુશ્રીનો રાજીપો હરિભક્તો ઉપર વહી રહ્યો. ધ.ધુ. આચાર્ય મહારાજશ્રીએ આશીર્વાદ ને રાજીપો જણાવ્યા. તે પ્રસંગે સત્સંગપ્રસિદ્ધ માવદાનજી કવિ તથા પંડિત શિવશંકરભાઈ બ્રાહ્મણ પણ સભામાં પ્રશસ્તિ કાવ્યો બોલ્યા ને કરાંચીનો સત્સંગ અબજીબાપાશ્રીએ તથા સદ્-ગુરુશ્રીએ કેવો સંવર્ધિત કર્યો તે જણાવી બાપાશ્રી ઉપર શ્લોકો બોલ્યા. સદ્ગુરુશ્રી તેઓ ઉપર ખૂબ રાજી થયા. 🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
17 likes
9 shares

More like this