🍃🍃🌼🍃🍃
વૈશાખ સુદ - ૦૩ પરશુરામ જયંતિ....
ॐ जामदग्न्याय विद्महे
महावीराय धीमहि तन्न:
परशुराम प्रचोदयात ।।
પૌરાણિક વૃત્તાન્ત અનુસાર ભગવાન પરશુરામનો પ્રાદુર્ભાવ મહર્ષિ ભૃગુના પુત્ર મહર્ષિ જમદગ્નિ દ્વારા સંપન્ન કરાયેલ પુત્રેષ્ટિ યજ્ઞથી પ્રસન્ન થયેલા દેવરાજ ઈન્દ્રના વરદાન રૂપે મહર્ષિ જમદગ્નિના પત્ની રેણુકાના ગર્ભથી વૈશાખ સુદ-૩ ત્રીજ અક્ષય તૃતીયાના રોજ રાત્રિના પ્રથમ પ્રહરમાં થયો હતો. એમનો જન્મ સમય સત્યુગ અને ત્રેતાયુગનો સંધિકાળ માનવામાં આવે છે. શસ્ત્ર અને શાસ્ત્ર બંનેમાં મહાપારંગત પરાક્રમના પ્રતીકરૂપ ભગવાન પરશુરામનો જન્મ ૬ ઉચ્ચ ગ્રહોના યોગમાં થયો હતો. તેનાથી તે બ્રહ્મતેજ, ક્ષાત્ર તેજથી દૈદીપ્યમાન ઓજસ્વી અને વર્ચસ્વી મહાપુરુષ બન્યા.
ભગવાન પરશુરામ વિષ્ણુના આવેશ ભગવાન અવતાર છે. મહાભારત અને વિષ્ણુપુરાણ અનુસાર પરશુરામનું મુળ નામ રામ હતું પરંતુ જ્યારે ભગવાન શિવજીએ તેમને પોતાનું પરશુ (સો) નામનું અસ્ર આપ્યું ત્યારથી તેમનું નામ પરશુરામ થઈ ગયું. જમદગ્નિના પુત્ર હોવાને કારણે જામદગ્ન્ય નામથી પણ ઓળખાયા. આરંભિક શિક્ષણ મહર્ષિ વિશ્વામિત્ર અને ઋચીકના આશ્રમમાં પ્રાપ્ત થવાની સાથે જ મહર્ષિ ઋચીક પાસેથી શાંગ ધનુષ્ય અને બ્રહ્મર્ષિ કશ્યપ પાસેથી અવિનાશી વૈષ્ણવ મંત્ર પ્રાપ્ત થયો હતો. તે પછી કૈલાસગિરિ શૃંગ પર રહેલા ભગવાન શંકરના આશ્રમમાં વિદ્યા પ્રાપ્ત કરી વિશિષ્ટ દિવ્ય અસ્ર ‘વિધુહ્નિ’ નામનું પરશુ પ્રાપ્ત કર્યું હતું. શિવજી પાસેથી તેમને શ્રીકૃષ્ણનું ત્રૈલોક્ય વિજય કવચ, સ્તવરાજ સ્તોત્ર અને મંત્ર કલ્પતરુ પણ પ્રાપ્ત થયા. ચક્રતીર્થમાં કરેલા કઠણ તપથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ તેમને ત્રેતામાં રામાવતાર થાય ત્યારે તેજોહરણ પછી કલ્પાન્ત પર્યંત તપશ્ચર્યારત ભૂલોક પર રહેવાનું વરદાન આપ્યું હતું. મહાપરાક્રમી પરશુરામજી શસ્ત્ર વિધાના મહાન આચાર્ય ગુરૂ હતા. તેમણે ભીષ્મ, દ્રોણ અને કર્ણને ધનુર્વિદ્યાનું જ્ઞાન આપ્યું હતું. ગુરુ સામે પ્રવંચના કરવા બદલ કર્ણને સંકટના સમયે વિદ્યા ભૂલી જવાનો શાપ પણ આપ્યો હતો. પૌરાણિક કાળમાં મહિષ્મતીનગરી પર હૈહયવંશી ક્ષત્રિય કાર્તવીય અર્જુને ગુરુ દત્તાત્રેય પાસે હજ્જાર હાથનું વરદાન મેળવેલું. તે ખૂબ જ અત્યાચારી શાસક હતો. જ્યારે હૈહયવંશી રાજાઓનો ધરતી પર ત્રાસ ખૂબ વધી ગયો. ત્યારે પૃથ્વીમાતા ભગવાન વિષ્ણુ પાસે ગયા અને અત્યાચારીઓનો નાશ કરવા આજીજી કરી. ત્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વીને વચન આપ્યું કે તેઓ ધરતી પર ધર્મની પુનઃ સ્થાપના માટે મહર્ષિ જમદગ્નિના પુત્ર તરીકે અવતાર ધારણ કરશે અને અત્યાચારીઓનો સર્વનાશ કરશે. વૈશાખ સુદ ત્રીજની પવિત્ર તિથિએ પરશુરામનો જન્મ થયો. પરંતુ તેમના અવતારકાળમાં કાર્તવીર્ય રાજાએ ૠષિનાં આશ્રમમાંથી કામધેનુ ગાયનું અપહરણ કર્યું અને પરશુરામનાં પિતા જમદગ્નિનો વધ કર્યો. એ પછી પરશુરામજીને આ વાતની ખબર પડતા કાર્તવીર્ય અર્જુનનો મારી નાખ્યો અને ત્યારબાદ પૃથ્વીને હૈહયવંશીથી રહિત કરી દીઘી. પરંતુ મહર્ષિ કશ્યપૠષિ પ્રગટ થઈને પરશુરામજીને આ કૃત્ય કરતા રોક્યા. અંતે પરશુરામજી કશ્યપ ૠષિને પૃથ્વી આપીને પોતે મહેન્દ્ર પર્વત પર નિવાસ કરવા ચાલી નીકળ્યા.
પરશુરામજીનું જીવન ચરિત્ર સૌને અધર્મ, અન્યાય અને અનિષ્ટો સામે લડવાની શિક્ષા આપે છે. શ્રી ભગવાન પરશુરામનાં અવતારમાં શાસ્ત્રોનું બ્રહ્મ તેજ અને અસ્ત્ર-શસ્ત્ર વિધાનો સુભગ સંગમ જોવા મળે છે. જે આગળ જતાં ‘પરશુરામ સંપ્રદાય’ પણ પ્રસિદ્ધ થયો. ‘પરશુરામ પ્રદિપ’ જેવા ગ્રંથો રચાયા. જેમાંથી ‘પરશુરામ કલ્પસૂત્ર',
ભગવાન પરશુરામ અને પિતા જમદગ્નિ પોતાનાં દિવ્ય પ્રતિભાનાં અજવાળે આકાશમાં ચમકતા તારાપુંજ ‘ સપ્તર્ષિ’ માં મહત્વનું સ્થાન પામ્યા.
દેશમાં અનેક સ્થળોએ શ્રી ‘પરશુરામ ભગવાન’નાં મંદિરો આવેલા છે. ગુજરાતના નર્મદા કિનારે ભગવાન પરશુરામની તપસ્યાનું સ્થળ ‘પરશુરામ તીર્થ' તરીકે પ્રસિદ્ધ છે.
‘મમ બ્રહ્મત્વ પ્રાપ્તિ કામનયા પરશુરામ પૂજન મહં કરિષ્યે !'
🍃🍃🌼🍃🍃 #🙏જય શ્રી પરશુરામ જયંતિ #પરશુરામ જન્મોત્સવ.💐 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ


