c.j. jadav
604 views 2 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 93 મંદવાડ હતો તો ય સદ્દગુરુશ્રાનું જ્ઞાનનું સદાવ્રત તો ચાલુ જ હતું. એક હરિભક્ત વિશિષ્ટાદ્વૈતનું સંસ્કૃત પુસ્તક લઈ આવ્યા. સદ્દગુરુશ્રીએ સૂતાં સૂતાં હાથ લંબાવી તે પુસ્તક ઉઘાડી એક લીટી ઉપર આંગળી મૂકીને કહ્યું: “વાંચો. ” – પછી સમજાવ્યું : “આ અન્વયસ્વરૂપનું વિશિષ્ટાદ્વૈત અને મહારાજ અને મુક્ત રસબસ રહે છે એ વ્યતિરેક સ્વરૂપનું વિશિષ્ટાદ્વૈત.” સંસ્કૃત ભણેલા શાસ્ત્રીઓના સંશયોનું નિરસન કે વિરોધોનો પરિહાર કે સમન્વય સદ્ગુરુશ્રી સહજમાં સરળતા-પૂર્વક કરી આપતા ! મંદવાડની જાણ થતાં સદ્ગુરુશ્રીનો વિશાળ શિષ્ય સમુદાય હતો તેની ભીડ થતી. સદ્દગુરુશ્રીની સેવાનો લહાવો લેવા સૌ આવે. એક બાજુ સદ્ગુરુશ્રી મંદવાડની ચેષ્ટા જણાવે, તો બીજી બાજુએ સંત-હરિભક્તોની સભા થાય, જ્ઞાનવાર્તા સદ્ગુરુશ્રી પોતે કરે, જમવાની પંક્તિઓ થાય, એવું લાગે કે જાણે મોટી પારાયણ થતી ન હોય ! કોઈ પૂછે કે 'બાપજી! કેમ છે?’ તો પોતે જવાબ દે : “આપણે તો એક મહા-રાજની મૂર્તિ જ છે.” જાણે કાંઈ માંદગી જ ન હોય તેમ સૂતાં સૂતાં સૌને બોલાવે, જમાડે, વાતો કરે. એમ જણાઈ આવે કે મોટા મુક્તોનો મંદવાડ તો અનંત જીવોના કલ્યાણ પૂરતો જ હોય, કેમકે મોટા મુક્તની સેવાના પ્રસંગમાં જે કોઈ આવે તથા તેમના દર્શન-સેવા-સમાગમ કરી સુખનો લહાવો પ્રાપ્ત કર્યો હોય, તેઓનું આત્યંતિક કલ્યાણ સહેજે થાય. આવી રીતે સદ્ગુરુશ્રીની સેવાચાકરી કરી કેટલાય પોતાના ધન્યભાગ્ય જાણી કૃતાર્થ થઈ ગયા. સદ્દગુરુશ્રીના રાજીપામાં જે જે આવી ગયા, તે અદ્ભુત દિવ્ય મેવા પામી ગયા. આમ સદ્ગુરુશ્રીના મંદવાડમાં પણ જીવોના ઊર્વીકરણની પ્રક્રિયા સતત ચાલુ ને ચાલુ જ હતી. ખરેખર તો, અવરભાવમાં દેખાતો મંદવાડ પણ એ પ્રક્રિયાનો જ ભાગ હતો! સદ્ગુરુશ્રીની સેવાનો ને દિવ્યતાનો લાભ લેવા હરિ-ભક્તોના મંડળ બેઠા જ હોય! રાતના ૧૨-૧ વાગ્યા સુધી સતત દિવ્ય મોજ મળતી રહે, હરિભક્તોને સદ્ગુરુશ્રી પાસેથી ઊઠવાનું મન જ ન થાય. પરાણે ઊઠવું પડે. કેટલાય હરિભક્તો તો એ લાભ લેવા પરગામથી અમદાવાદ રહેવા આવી ગયા તો કેટલાય અમદાવાદના અન્ય સ્થળે રહેતા હોય ને સરખો લાભ લેવાનું અનુકૂળ ન પડે તેવું હોય તો ઘર બદલી સરસપુર મંદિરની નજીકના સ્થળે રહેવા આવ્યા. જર્મન ડૉકટર-ડૉ. ગાસ્કેલ-ની સારવાર ચાલતી હતી. એક દિવસ પરોઢિયે સદ્ગુરુશ્રીની નાડી ૨૦ થી ૩૦ થઈ ગઈ. સેવામાં રહેલા ડૉ. પ્રિયકાંતભાઈને લાગ્યું કે હૃદયમાં લોહીનું રોકાણ થતું હશે. આ પરિસ્થિતિ ચાલુ રહે તો મગજ સુધી પહોંચતું લોહી ઓછું થવા લાગે ને તેનાથી ખરાબ પરિણામ આવે. તરત જર્મન ડોકટરને તેડાવ્યા. તેમણે નાડી જોઈ, પણ સદ્ગુરુશ્રી તો રોજની જેમ વાતો કરતા હતા. જર્મન ડોક્ટરને ય આશ્ચર્ય થયું. ડૉ. પ્રિયકાંતભાઈને કહે: “મૂંઝાશો નહીં, આ તો બહુ મોટા પુરુષ છે!” બહાર નીકળતી વખતે ડૉકટરે ડૉ. પ્રિયકાંતભાઈને પૂછ્યું કે તમે એમ. બી. બી. એસ. ડૉકટર થઈને આમની સેવામાં ચોવીસે કલાક રહો છો, તો તે તમારે શું સગાં થાય? પ્રિયકાંતભાઈ કહે : એ અમારા આધ્યાત્મિક પિતા છે! જર્મન ડોકટર કહે : “ડોકટર, તમારી પસંદગી ખરેખર વખાણવા લાયક છે. He commands his disease, the disease does not command him. (આ મહાપુરુષ ઉપર રોગનું કાંઈ ચાલતું નથી, તેઓશ્રી કહે તેમ રોગને કરવું પડે છે !) 🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
8 likes
10 shares

More like this