c.j. jadav
740 views 5 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 90 સદ્દગુરુશ્રીને જાણ થઈ કે રાજકોટના ભાઈ મણિલાલ પારેખે અંગ્રેજીમાં શ્રીજીમહારાજ ઉપર સુંદર પુસ્તક લખ્યું છે ને તેઓ અંગ્રેજી અને તત્ત્વજ્ઞાનના મોટા વિદ્વાન છે. સદ્દગુરુશ્રી મણિલાલભાઈને મળ્યા. રહસ્યાર્થ વચનામૃત અંગ્રેજીમાં ભાષાંતર કરવા તેમની સાથે વાટાઘાટો કરી. મણિલાલભાઈએ એવી શરત કરી કે મારા લખેલા દરેક પુસ્તકનો કોપીરાઈટ-પ્રસિદ્ધ કરવાનો હક્ક-હું જ રાખું છું, તેથી આ ભાષાંતર પણ મારા કૉપીરાઇટમાં રહેશે. સદ્દગુરુશ્રીને રુચિ એવી કે દરેક પુસ્તક સસ્તામાં સૌને ઉપલબ્ધ બની રહે તેવું કરવું, ને તેથી ‘કોપીરાઈટ' આપણી પાસે જ રાખવા. સદ્ગુરુશ્રી તો આર્ષદષ્ટા હતા. મણિલાલભાઈ એ સેવા કરી શકયા નહીં, તે છતાં સદ્ગુરુશ્રીએ મણિલાલભાઈની સરળતા ને વિદ્વતાથી રાજી થઈ તેમને આશીર્વાદ આપ્યા. કરાંચીથી નીકળતી વખતે સદ્દગુરુશ્રીએ કરાંચી-મંડળની સેવામૂર્તિ ને બાળબ્રહ્મચારી મુક્તરાજ સોમચંદભાઈને કહ્યું : “હવે ક્યારે અમારી સેવામાં રહેવા આવો છો? " સોમચંદ-ભાઈ કહે : “બાપજી! આપની આજ્ઞાની જ રાહ જોઉં છું.” બીજે દિવસે તેમણે નોકરીમાંથી રાજીનામું મૂકી દીધું. સદ્ગુરુશ્રી અમદાવાદ પધાર્યા. સંસ્કૃતમાં વચનામૃતનું ભાષાંતર પૂરું થયું હતું. તે છપાવવા માટેનું કાર્ય સદ્ગુરુશ્રીની આજ્ઞા અનુસાર શરૂ થયું. સં. ૧૯૯૪માં સદ્ગુરુ વૃંદાવનદાસજી સ્વામીશ્રી સાથે સદ્ગુરુશ્રી કડી પધાર્યા. ત્યાંથી ચુંવાળના ડાંગરવા પધારતા અગાઉ બંને સદ્ગુરુઓ પ.ભ. નારાયણભાઈ અમરસિંહભાઈના પ્રેમ-આગ્રહથી કમળાપુર પધાર્યા. નારાયણભાઈએ પોતાના હેતવાળા સગાંવહાલાંને બોલાવી રાખેલા. ઉત્સવ કરી, બંદૂકો ફોડી સદ્દગુરુઓનું સામૈયું કર્યું. તેમણે અર્ધો મણ પતાસા પ્રસાદ માટે લાવી રાખેલા, એ જાણે કે સદ્દગુરુશ્રી તો છુટ્ટા હાથે જ પ્રસાદી આપે! સદ્ગુરુશ્રીએ તે વખતે ખૂબ રાજીપો બતાવી બધાને પ્રસાદી વહેંચી ને શ્રીહરિજી તરફ સૌને ખેંચી લીધા. ત્રિભોવનભાઈ, લક્ષ્મણભાઈ, દેવજીભાઈ એ ત્રણેય ભાઈઓને જોઈને સદ્ગુરુશ્રી કહે: “આ તો આપણા છે!” નાનું સરખું વાક્ય ને અનુપમ ઉપલબ્ધિ ! એ જ ક્ષણથી તે ભાઈઓ અનુપમ સેવકો બની ગયા. ત્રણેયને સદ્ગુરુશ્રીએ પૂજા આપી, 'વચનામૃત’– 'બાપાશ્રીની વાતો'ના પુસ્તકો આપ્યા. આત્યંતિક કલ્યાણ આપી દીધું! સદ્ગુરુશ્રીના એ પ્રથમ પરિચયની વાત કરતા લક્ષ્મણભાઈ કહે: “સદ્દગુરુશ્રીની નજર એવી કે જેના ઉપર એક વાર એ નજર પડી જાય તેને ધામમાં તેડી જ જાય – એવી ખાતરી થઈ ગઈ!” સદ્દગુરુશ્રી પધાર્યા પછી જાણે એ જ દેખાયા કરે, ખેતરે જાય તો તે, ઘરે આવે તો ય તે! છ માસ પછી ત્રિભોવનભાઈથી રહેવાયું નહીં, સદ્-ગુરુશ્રીની સેવામાં રહેવા આવી ગયા ! સદ્ગુરુશ્રી કહે : “સાધુ થવું છે? કે મારું કહ્યું કરવું છે? - તમે પાછા જાવ, લક્ષ્મણ-ભાઈને મોકલો.” કુટુંબના મોટા દીકરા તેથી કુટુંબની જવાબદારી ત્રિભોવનભાઈ ઉપર હતી, પણ કમળાપુર છોડી સદ્ગુરુશ્રીના સાંનિધ્યમાં અમદાવાદ કામધંધો શોધી આવી ગયા ! ને લક્ષ્મણભાઈ સદ્ગુરુશ્રીની સેવામાં લાગી ગયા, તે સદ્ગુરુશ્રીએ ભૌતિકલીલા સંકેલી લીધી તે પછી જ ઘરે ગયા ! 'રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહિતના વચનામૃત'ના પ્રકાશન સાથે જે દિવ્ય પ્રકાશનની હારમાળા શરૂ થઈ હતી તે અબજી-બાપાશ્રીની વાતો ભાગ-૧, ભાગ-૨, શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખસાગર, વ્રજભાષામાં વચનામૃત, સંસ્કૃતમાં વચનામૃત, બ્રહ્મસૂત્રભાષ્ય, વિશિષ્ટાદ્વૈન સિદ્ધાંત સાગર સાથે લંબાતી ચાલી. પ્રકાશનકાર્યમાં હરિભક્તોએ સદ્દગુરુશ્રીની પ્રસન્નતા અર્થે લાખો રૂપિયા ભેટ ધર્યા. 🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ
10 likes
9 shares

More like this