c.j. jadav
918 views 14 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 82 હરિભક્તોના હેતથી કરાંચીમાં ‘રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહિત વચનામૃત'ની પારાયણ બેસારી, અને સદ્દગુરુ ઇશ્વર-ચરણદાસજી સ્વામી અને સદ્ગુરુ વૃંદાવનદાસજી સ્વામી એ પારાયણના વાંચનારા થયા ! હરિભક્તોને આનંદ, આનંદ થઈ રહ્યો. આ રીતે બાપાશ્રી—-સદ્ગુરુશ્રી કરાંચીમાં પંદર દિવસ રહ્યા ને અત્યંત પ્રસન્નતા જણાવી ઘેરઘેર પધાર્યા ને સૌને અસાધારણ લાભ આપ્યો. સૌને આત્યંતિક કલ્યાણના વરદાન આપી, બાપાશ્રી સ્ટીમર દ્વારા માંડવી થઈ વૃષપુર પધાર્યા ને સંતો બે દિવસ વધુ રોકાઈ ટ્રેન માર્ગે અમદાવાદ પધાર્યા. છૂટા પડતી વખતે બાપાશ્રી સદ્ગુરુશ્રીને કહે : “સ્વામી ! હવે અમારો દેહ ખમતો નથી, ને જ્યાં જઈએ ત્યાં હરિ-ભક્તોના હેતનો છેડો નહિ. હવે તો વૃષપુરમાં રહી મૂર્તિના સુખમાં આનંદ કરીશું, ને હવે અમારી વતી તમે સત્સંગમાં ફરજો.” પોષ મહિનામાં મુક્તરાજ બાપાશ્રીનો સદ્ગુરુશ્રી ઉપર પત્ર આવ્યો કે ચૈત્ર સુદ તેરસથી ચૈત્ર વદ છઠ સુધી ‘સત્સંગી જીવન ’ની પારાયણ-યજ્ઞ કરવાનું નક્કી કર્યું છે. બાપાશ્રીએ ફાગણ વદ ૧૪ ને રોજ કચ્છના ગામેગામના હરિભક્તોને તેડાવીને કહ્યું કે મહામોટો યજ્ઞ કરવો છે, તે યક્ષમાં આવીને જે કોઈ જમશે તેનો આત્યંતિક મોક્ષ કરશું, તો તે યજ્ઞમાં તમો સૌ મદદ કરજો. બીજે દિવસે સદ્ગુરુશ્રી અમદાવાદથી બાવીસ સંતો સાથે પધાર્યા. બાપાશ્રીના દરેક યજ્ઞમાં કંકોત્રી લખવાથી માંડીને, ઉતારા, મંડપ, રસોડું, યજ્ઞ-પારાયણ, વગેરે દરેકે દરેક વસ્તુ સદ્ગુરુશ્રીના માર્ગ-દર્શનથી જ થતી. બાપાશ્રીનો યજ્ઞ તે સદ્દગુરુશ્રીનો હતો, કેમકે સદ્દગુરુશ્રી બાપાશ્રીના હતા ! બાપાશ્રીનો તથા સદ્-ગુરુશ્રીનો અદ્દભુત અલૌકિક પ્રતાપ હવે ગુજરાતભરમાં વ્યાપી ગયો હતો. સૌને બાપાશ્રીના આ છેલ્લા યજ્ઞની વાતની જાણ થઈ ગયેલી. કંકોત્રી મળતાં જ અદ્ભુત દિવ્યતા ઝીલવા સૌ આવી પહોંચ્યા. બાપાશ્રી સદ્ગુરુશ્રીને કહેતા : “સ્વામી! આપણે આ યક્ષ કરવો છે. તેમાં જે કોઈ આવે તેને મૂર્તિમાં મૂકી દેવા છે!” કેટલી મોટી વાત, ને સૌના કેટલા મોટા ભાગ્ય! શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રતાપે આ આત્યંતિક મોક્ષરૂપી અમૃત લૂંટાતું હતું! કચ્છમાં જવું તે એ સમયમાં ઘણું કપરું હતું. બે-ચાર ટ્રેનો બદલી નવલખી કે જામનગર જાવ, ત્યાંથી આગબોટમાં બેસી સામે કાંઠે ઉતરો. ત્યાંથી ભુજ જાવ, ભુજથી ગાડું કે ઘોડાગાડી ભાડે કરો, વીસ કિલોમીટર દૂર વૃષપુર પહોંચો. તે છતાં તે વખતે કચ્છમાં હજારો માણસો દર્શન કરવા ને દિવ્યતા પામવા આવ્યા હતા. મુનિસ્વામી કેશવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી ઉત્તમ-પ્રિયદાસજી કથાના વક્તા હતા, કથાના વક્તા. કથાના સાંભળનાર, સેવાના કરનારા—સૌને અંતરમાં આનંદ હતો. સેંકડો ઉતારા તંબુથી બનાવવામાં આવ્યા હતા, સેંકડો મકાન ખાલી કરાવી ઉતારા તરીકે વાપરવા લીધા હતા. ગામમાં ને સૌમમાં જ્યાં જુઓ ત્યાં હરિભક્તો ઉભરાતા હતા. બાપાશ્રી સૌ હરિભક્તોની તાણ ને પ્રેમને જાણી દરેકે દરેકના ઉતારે પધારતા. હરિભક્તો આનંદના ઝિલણિયા કીર્તનોની રમઝટ બોલાવે, બાઈઓ કીર્તનો ગાતા ગરબે રમે. ઠાકોરજીની પાલખી ગામમાં ફરવા નીકળે ને અદ્દભુત શોભા ને ઉત્સવમંડળીની રમઝટ. શેરીઓમાં ભીડ તો માય નહીં. શીરા ને સુખડીના જમણ. મુક્તરાજ બાપાશ્રી પોતે પીરસવા પધારે! એથી વિશેષ બાપાશ્રીએ મહાપ્રસાદ આપ્યો : “આ યજ્ઞમાં જે જે આવ્યા ને આ મહાપ્રસાદી જમ્યા તેનો આત્યંતિક મોક્ષ શ્રીજીમહારાજ કરશે એમ જાણજો. અમે તો સૌને મૂર્તિમાં રાખવાનો સંકલ્પ કર્યો છે. આ સભા દિવ્ય છે. આ મુક્ત સર્વે અક્ષરધામમાં મહારાજની મૂર્તિમાં રહેનારા છે.” 🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
12 likes
14 shares

More like this