c.j. jadav
2K views 9 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 86 કરાંચીના અગ્રગણ્ય હરિભક્તો સાંવલદાસભાઈ ને મૂળજીભાઈ ઠક્કર એક દિવસ મંદિરે સભામાં આવ્યા. સદ્ગુરુશ્રી તે વખતે સભામાં બિરાજેલા ને કથા વંચાતી હતી. બંને હરિભક્તોને સદ્ગુરુશ્રીને કાંઈ પૂછવું હતું, તેથી તેમણે વિનંતી કરી. સદ્ગુરુશ્રી કહે: ઉપર આસને જાવ, બંને જણા સભામાંથી મેડા ઉપર આસને ગયા તો સદ્ગુરુશ્રીને પોતાના આસને બિરાજેલા દેખ્યા! બંને હરિભક્તો તો આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. તરત પાછા વળી નીચે ઉતરી સભામાં જોયું, તો ત્યાં ય સદ્ગુરુશ્રી બેઠેલા હતા! બંને હરિભક્તો તો સભામાં આવીને દંડવત્ કરવા માંડ્યા, ને સૌને આ આશ્ચર્ય-ચમત્કાર જણાવ્યો. દોઢ માસ સુધી હરિભક્તોને શ્રીહરિજીના પ્રતાપ-મહિમાના અનુભવજ્ઞાનમાં ઝીલાવી સદ્ગુરુશ્રી અમદાવાદ પધાર્યા. આવી રીતે હરિભક્તોને ન્યાલ કરવાનું સદાવ્રત વહેતું હતું, ત્યારે ભવિષ્યની પેઢીનું ભાથું પણ તૈયાર થઈ રહ્યું હતું. મુક્તરાજ અબજીબાપાશ્રીની વાતો જે સદ્ગુરુશ્રીએ અથાક્ જહેમતથી એકઠી કરી રાખી હતી, તેને પ્રસિદ્ધ કરવાનું ટાણું આવી ગયું હતું. શેઠ બળદેવભાઈની રાહબરી નીચે એ પુસ્તક છાપવાનું કામ શરૂ કરાવ્યું હતું. સં. ૧૯૮૯માં “બાપાશ્રીની વાતો-ભાગ ૧” છપાઈ ગઈ. પાંચસો બાર પાનામાં સદ્ગુરુશ્રીએ બાપાશ્રીની ગહન ગૂઢ રહસ્યાર્થ વાતો સમાવી દીધી હતી. કહે છે કે ‘ઋતેજ્ઞાનાન્ ન મુક્તિ:' ઋત જ્ઞાન મળે ત્યારે જ મુક્તિ થાય, 'ઋત' જ્ઞાન શું? ‘ઋત’ એટલે સત્ય, પ્રામાણિક, ખરું, દૈવી, દિવ્ય. જેમણે ‘જાતે’ જાણ્યું છે, અનુભવ્યું છે તેમના દ્વારા અપાયેલું. જ્ઞાન. આવું જ્ઞાન આ ‘વાતો ’માં છે. 'બાપાશ્રીની વાતો’ એટલે મુમુક્ષુ માટે અનુભવી સદ્ગુરુની ગરજ સારતું અમૂલ્ય પુસ્તક. હવે સદ્દગુરુશ્રીએ બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ પદ્યબદ્ધ કરેલા ‘શ્રી પુરુષોત્તમલીલામૃત સુખસાગર' પુસ્તક છપાવવાની તજવીજ કરવા માંડી. શ્રીજીમહારાજની કચ્છની લૌલાઓ જે સદ્ગુરુ અચ્યુતદાસજી સ્વામીશ્રીએ એકઠી કરાવી રાખેલી તે બ્રહ્મચારી મહારાજે ક્રમવાર ગોઠવી પદ્યમાં રચી. બ્રહ્મચારી મહારાજનું હેત વેણે વેણે ને કડી એ કડી ગૂંથાતું આવે ! બાપાશ્રી પણ એ પુસ્તકની સેવાથી બ્રહ્મચારી મહારાજ ઉપર બહુ રાજી થયા હતા. બાપાશ્રી એ પુસ્તકના હસ્તલિખિત ગ્રંથની પારાયણ કરાવતા હતા. આવા ઉત્તમ ગ્રંથને પ્રકાશિત કરી સત્સંગસમાજ આગળ મૂક્યો હોય તો અનેકને તેનો લાભ મળે. તેથી અમદાવાદમાં જ તે ગ્રંથ છપાવવાની ગોઠવણ કરવા માંડી. સં. ૧૯૯૧ (ઈ.સ. ૧૯૩૫)માં ભારતદેશના પ્રમુખ સંપ્રદાયોના આચાર્યોનું સંમેલન અમદાવાદ ખાતે યોજાયું હતું. તે સંમેલનમાં શંકરાચાર્યજી પ્રમુખસ્થાને હતા ને ધ.ધુ. આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજ ઉપપ્રમુખસ્થાને હતા, તે વખને પધારેલા સૌ આચાર્યોનો સત્કાર સમારંભ અમદાવાદ શ્રી સ્વામિનારાયણ મંદિર (કાળુપુર)માં યોજાયો હતો, ને તેમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય એ વૈદિક સંપ્રદાય છે ને માન્ય પ્રમુખ સંપ્રદાયોમાં છે તે જાતનો ઠરાવ પણ થયો હતો. આ સઘળાં કાર્યોમાં સદ્ગુરુશ્રીનો ફાળો અનન્ય હતો. સદ્ગુરુશ્રીનું અનુભવસિદ્ધ જ્ઞાન, વચનામૃતોનું અનુપમેય અનુશીલન ને અતિ પ્રભાવશાળી વ્યક્તિત્વ સૌ કોઈને સ્પર્શી ગયું. ધ.ધુ. આચાર્ય મહારાજશ્રીની જોડે જ મદદરૂપ થઈને શ્રી સ્વામિ-નારાયણ સંપ્રદાયની વિજયપતાકા લહેરાવવામાં સદ્ગુરુશ્રી અવ્વલ નંબરે હતા, આચાર્ય મહારાજશ્રી અત્યંત રાજી થયા હતા. 🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
27 likes
37 shares

More like this