c.j. jadav
568 views 23 hours ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 94 સદ્દગુરુશ્રીની છેલ્લી માંદગીમાં વિરમગામના ડો. નાગર-દાસભાઈએ સેવાનો બહુ લાભ લીધો. પોતાના દવાખાનાની દરકાર કર્યા વગર, રોજ બપોરે વિરમગામથી ટ્રેનમાં નીકળે, અમદાવાદ જાય, ને સદ્ગુરુશ્રીને તપાસે, દવા કરે, ડ્રેસીંગ કરે, સેવા કરે. મોડી સાંજે નીકળે ને રાત્રે ૧૧ વાગ્યે વિરમગામ પાછા પહોંચે. આ રીતે સતત દોઢ-બે વર્ષ સુધી સેવા કરી, ન જોઈ દિવાળી, ન જોઈ હુતાશની! તેવી જ રીતે શેઠ બળદેવભાઈ, બહેચરભાઈ, મગનભાઈ, સોમચંદભાઈ, તુલસીદાસભાઈ (મૌઠુભાઈ) ડૉ. મણિલાલભાઈ, શિવલાલભાઈ, લક્ષ્મણભાઈ, ત્રિભોવનભાઈ, વગેરે અનેક હરિભક્તોએ સદા તત્પર રહી સેવા કરી. સદ્ગુરુશ્રીની અંતિમ માંદગીમાં પેટમાં પાણી ભરાયું. તે વખતે હાલના જેવી સારવાર હતી નહીં. પગેથી પાણી કાઢે. સદ્ગુરુશ્રીને એ વખતે પગમાં વ્રણ થયું. પેટનું પાણી તો સૂકાઈ ગયું, પણ પગનો જખમ નીચે ઉતરતો રહ્યો. સોજો પણ રહેતો. સદ્દગુરુશ્રીએ થોડા દિવસે ફરી સૌની રજા માંગવા માંડી. “હવે અમને ધામમાં જવા દો”—એમ કહે ને સૌને ફાળ પડે! સદ્ગુરુશ્રીએ નબળાઈ ને માંદગી વધારે દેખાડવા માંડી, તે જાણે દેહોત્સવ કરશે તેમ લાગ્યું. સદ્ગુરુ વૃંદાવન-દાસજી સ્વામીશ્રી મોટા મંદિરમાંથી સરસપુર મંદિર આવ્યા. સ્વાભાવિક રીતે કહે: “સ્વાઓ ! મૂર્તિ સંભારી રાખવી.” સદ્ગુરુશ્રી કહે : “આ ભલામણ કરવાની હોય? અહીં તો મૂર્તિ જ છે, બીજું કાંઈ નથી!” પણ મોટેરા હરિભક્તો ગદ્ગદ કંઠે પ્રાર્થના કરવા માંડ્યા, સદ્દગુરુશ્રીએ કૃપા કરી નિર્ણય બદલ્યો, ને બીજા વધુ દસ મહિના દર્શન આપ્યા. ડૉ. પ્રિયકાંતભાઈ સદ્ગુરુશ્રીના પગે રોજ ડ્રેસીંગ કરે, તેને સદ્દગુરુશ્રી જોયા કરે. કહે: “જો, પેલો સફેદ ભાગ દેખાય છે તે કાઢી નાખ, " ડૉ. પ્રિયકાંતભાઈ કાતર લઈ કાપે, પણ સદ્ગુરુશ્રી સ્મિત કરતા જાય. જાણે પોતાને કાંઈ થતું જ ન હોય, જાણે કે બીજા કોઈના દેહને ડ્રેસીંગ થતું હોય ! મોટા ડૉકટર આવીને કહે: “પગે ઓપરેશન કરવું પડશે ને તે માટે ઘેનની દવા (ઍનેસ્થેસીયા) આપવી પડશે.” સદ્દગુરુશ્રી કહે : “તેની કાંઈ જરૂર નથી, તમે નસ્તર મૂકો.” પોતે આરામખુરશીમાં બેઠા, સહેજ પણ દુ:ખ કે દેહભાવ વરતાયો નહીં. ડૉકટર અહોભાવ પામી આશીર્વાદ માંગવા સદ્ ગુરુશ્રીની આટલા મંદવાડમાં આવી અદ્ભુત સ્વસ્થતાથી આશ્ચર્ય પામી કોઈ હરિભકતે પૂછ્યું : “બાપજી! આપના જેવી શાંતિ અને આનંદ અમને સદા કેવી રીતે રહે?” સદ્ગુરુશ્રી કહે : “પોતાપણું કાંઈ ન રાખીએ તો રહે!” ટૂંકા-ટચ જવાબ ને મોટામાં મોટી સમજણ ! સેવામાં રહેલા હરિભક્તોને થયું કે કોઈ વૈદ્યની દવા કરી હોય તો સારું. ફાગણ માસથી ગુજરાત આયુર્વેદ ફાર્મસી-વાળા વૈદ્યરાજ રવિશંકરભાઈ ત્રિવેદીને બોલાવી લાવ્યા. તેમની સારવાર શરૂ કરી. તેમણે સ્થળનો ફેરફાર-હવાફેર-ની સૂચના કરી. વિઠ્ઠલજીભાઇએ એ તક મળી જાણી સદ્ગુરુશ્રીને વિનંતી કરી : “બાપજી! આપ દયા કરીને આબુ પધારો તો હું આપના નિવાસ માટે બધી સગવડ કરી આવું. આબુ ઉપર ઉનાળામાં પણ શિયાળા જેવી ઠંડી હવા આપને બહુ જ અનુકૂળ આવશે. માટે આપ કૃપા કરી રજા આપો.” વિઠ્ઠલજીભાઈનો અતિ ભાવ જાણીને તેમને રાજી કરવા સદ્-ગુરુશ્રી આબુ પધાર્યા. ત્યાં નખી તળાવને કાંઠે બંગલો ભાડે રાખી સદ્ગુરુશ્રીને ત્યાં રાખ્યા. વિઠ્ઠલજીભાઈનો સંકલ્પ પૂરો કરી સદ્દગુરુશ્રી થોડા દિવસ પછી અમદાવાદ પધાર્યા. 🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ
11 likes
13 shares

More like this