https://youtu.be/_pBeqTSQSMA?si=UGaDwzP1-G3J9f-7 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
#🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા
🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
વળી એક મહા અદ્ભુત ચરિત્રની વાર્તા રામપ્રતાપ દાદાની કહેલી છે તે તમોને કહું તે સાંભળો.
એક દિવસે સરયૂગંગામાં મહાજબરૂ પાણીનું પુર આવ્યું હતું. તેથી સ્વર્ગદ્વારી તણાવા માંડી. ત્યારે અયોધ્યાપુરીના રાજા દર્શનસિંહ સરયૂગંગાની પ્રદક્ષિણા કરીને મોળીયું અને શ્રીફળથી વધાવતા હતા, પરંતુ પાણી કાંઈ પાછું હઠ્યું નહી. ને વધારે જોર કરીને ચઢતું આવે. તે વખતે ઘણા ઉપાયો કર્યા પરંતુ પાણી જરાય હઠે નહિ, પછી તે રાજા આદિક સર્વે લોકો અકળાવા લાગ્યા. ત્યારે તે રાજાના ગોર પોતાના રાજા પ્રત્યે એમ બોલ્યા જે, હે રાજન્ ! આ સરયૂગંગાને પતિવ્રતા સ્ત્રી હોય ને તે વધાવે તો તત્કાળ પાણી પાછું હઠી જાય. તેવું સાંભળીને રાજા પોતાના શહેરમાં પતિવ્રતા સ્ત્રીની ખબર કઢાવતો હતો. પરંતુ કોઇ સ્ત્રીને પતિવ્રતાપણાની હીંમત ચાલી નહી. તે વાત જાણીને ભક્તિમાતા તથા સુવાસિનીબાઈ એ બન્ને ઘનશ્યામ મહારાજને સાથે લઈને રામઘાટ જઈ સુવાસિનીબાઇ પોતાના હાથમાં શ્રીફળ લઈને પાણીની સમીપે બેસીને ગંગાજી પ્રત્યે એમ બોલ્યાં જે, હે ગંગામાઇ ! મારું પતિવ્રતાપણું સાચું હોય તો આ પાણીનું પુર પાછું હઠી જાઓ. એમ કહીને શ્રીફળ પાણીમાં નાખીને બે હાથ જોડીને પગે લાગતાં હતાં કે તત્કાળ પાણી હડુડાટ કરીને પાછું હટી જતું હતું. તે મહા અદ્ભુત ચરિત્ર જોઇને અવધપુરીના જનો રાજા પાસે જઈને વધામણી આપતા હતા. જે આ છુપૈયાપુરથી આવેલા ધર્મદેવના મોટા પુત્ર રામપ્રતાપજીનાં પત્નિએ સરયૂને વધાવવાથી પાણી પાછું હઠ્યું. તે સાંભળીને રાજા ઘણા પ્રસન્ન થઇને સુવાસિની બાઇને પોતાના દરબારમાં પધરાવીને ઘણી પ્રશંસા કરીને પગે લાગીને ભારે વસ્ત્ર અલંકાર આપ્યાં, તે વાત ભક્તિમાતાએ ઘરે આવીને કહી, ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા જે, એતો સાક્ષાત્ રેવતીજીનો અવતાર છે. માટે તેમાં કાંઈ નવાઈ નથી. આ સાંભળીને સર્વે વિસ્મય પામ્યાં.
🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
🍃🍃🌼🍃🍃
🥀 કાર્તિક વદી - ૧૧ ઉત્પતિ એકાદશી.
અર્જુને પૂછ્યું :- હે શ્રી કૃષ્ણ ? એકાદશી કેવી રીતે ઉત્પન્ન થઇ ? આ કાર્તિક વદી એકાદશીનું શુ નામ છે ? ક્યા દેવનું પૂજન કરવું ? તેનું શું ફળ પ્રાપ્ત થાય ?
શ્રી કૃષ્ણ કહે છે :- હે અર્જુન ? પૂર્વે સત્ય યુગમાં ચંદ્રાવતી નગરીમાં નાડીજંઘ નો પુત્ર મુર દાનવ હતો. તેણે બ્રહ્માજી ઉપર તપ કરીને વરદાન મેળવ્યું કે તેને કોઈ મારી શકે નહીં. પછી તે વરદાન મેળવીને ત્રણેય લોકમાં વિજય મેળવી લીધો. પોતે ઇંદ્રાસન ઉપર બેઠો ને સર્વે દિગપાલો ની જગ્યાએ અસુરોને નિયુક્ત કરી દીધા. આવો ત્રાસ જોઈને વૈકુંઠનાથ ભગવાન દેવો ને સાથે લઈને મુરદાનવ સાથે યુદ્ધ કરવા લાગ્યા. વિષ્ણુ ભગવાન જો મુરદાનવ નો વધ કરે તો બ્રહ્માજીનું વરદાન ખોટું થાય. તેથી યુદ્ધભુમી છોડીને બદ્રીનારાયણ ની સિંહવતી ગુફામાં જઈને દસ ઇન્દ્રિયો અને અગિયારમું મન, તેને અંતર્મુખ કરીને દાનવ નો નાશ કરવાનું વિચારવા લાગ્યા.
તે સમયે ભગવાનની એકાદશ ઇન્દ્રિયો થકી તેજ પ્રગટ થયું ને તેમાંથી પ્રભુની શક્તિ સ્વરૂપે દિવ્ય આયુધો ધારણ કરેલી એક સ્ત્રી પ્રગટ થઈ તે જ એકાદશી. મુર દાનવ પણ ભગવાનનો પીછો કરતો ગુફા પાસે આવ્યો ને એકાદશી ને જોઈને મોહ પામી ગયો ને બોલ્યો કે તું મને વરય. એકાદશી એ કહ્યું કે મને જે યુદ્ધમાં જીતે તે મારો પતિ થાય તેવો મારો સંકલ્પ છે. આ સાંભળીને અહંકારી મુર દાનવ એકાદશી સાથે યુધ્ધ કરવા લાગ્યો. યુધ્ધમાં એકાદશી એ તેનું મસ્તક કાપી નાખ્યું. આ જોઈને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા ને કહ્યું હે એકાદશી ?? તું મારી પાસેથી વરદાન માગી લે.
એકાદશીએ હાથ જોડીને કહ્યું હે પ્રભુ ?? જે કોઈ મારા વ્રતના દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરીને તમારું ભજન - સ્મરણ કરે તે આ લોકમાં મનોવાંચ્છિત સુખને પામે ને અંતે તે મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈને તમારા ધામને પામે. બીમાર - વૃદ્ધ કે જે કોઈ ઉપવાસ કરવામાં અસમર્થ હોય તે સાંજે એક સમય ભોજન કરે તો પણ તેને ઉપર કહ્યા મુજબ ફળ મળે. અને ત્રણેય લોકમાં બારેય માસ મારું વ્રત પ્રવર્તે. આથી વર્ષમાં 24 એકાદશી આવે છે.
ત્યારે ભગવાને પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે હે એકાદશી ?? જે કોઈ મનુષ્ય ઉપવાસ કરીને મારું પૂજન - ભજન - કીર્તન કરીને રાત્રી - દિવસ પસાર કરશે તે આ લોકમાં પોતાની ઈચ્છા મુજબ સુખ પ્રાપ્ત કરશે. અને જો કલ્યાણ ને ઇચ્છશે તો જન્મ - મરણ ના ચક્રમાંથી છુટકારો મેળવીને મોક્ષને પામશે. માટે હે એકાદશી ?? તમો આ લોકમાં ભુક્તિદા - મુક્તિદા ના નામથી વિખ્યાત થશો. અને હું કેશવ આદિક ચોવીસ રૂપથકી તમારો પતિ થઈને દિવ્ય સુખ આપીશ. આ વરદાન મેળવીને એકાદશી પ્રસન્ન થઈને અંતર્ધ્યાન થઈ ગઈ.
પછી ભગવાને બધાય દેવો પાસે અને બદ્રીનારાયણ ના સર્વે મુનિઓ પાસે એકાદશીનું વ્રત કરાવ્યું. ત્યારથી આ લોકમાં એકાદશીનું વ્રત પ્રવરત્યું છે. પછી એકાદશીએ ખૂબ તપ કરીને ભગવાનના નેત્રમાં રહેવા નું સ્થાન માગ્યું. ભગવાને કહ્યું કે હું તમોને નેત્રમાં ધારણ કરીને ચાતુર્માસ દરમ્યાન ક્ષીર સાગરમાં શયન કરીશ.
ત્યારથી ચાતુર્માસ દરમ્યાન ભજન - ભક્તિના આઠ પ્રકારના નિયમમાંથી કોઈ એક નિયમ લેવાથી વિશેષ ફળ મળે છે. અને ભગવાન પણ વિશેષ પ્રસન્ન થાય છે.
શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન ? જે મનુષ્યો વિષ્ણુ ભક્તિ પરાયણ છે તેઓને ધન્ય છે .જે મનુષ્ય પર્વણી ના દિવસે એકાદશી મહાત્મ્ય નો પાઠ કરે છે તેને હજાર ગૌદાનનું પુણ્ય મળે છે. બ્રહ્મ હત્યા જેવા મોટા પાપો પણ નષ્ટ થાય છે. સઘળા પાપોનો નાશ કરનાર એકાદશીના જેવું એકેય વ્રત નથી. આવી રીતે ભવિષયોતર પુરાણમાં કાર્તિક વદી - ૧૧ નું મહાત્મ્ય કહેલું છે.
🍃🍃🌼🍃🍃 #એકાદશી #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા
https://youtu.be/ZgDrjxausGw?si=bILAcYjW1ASyEEZT #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
#🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર
🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર....
વળી એક સમયને વિષે એકાદશીના દિવસે જન્મ સ્થાનક, હનુમાનગઢી મંદિરમાં દર્શન કરવા ઘનશ્યામ મહારાજ એકલા જતા હતા. તે સમયે હનુમાનજીની આગળ સભામંડપમાં બેસીને મોહનદાસ નામના વૈરાગી રામાયણની કથા કરતા હતા. તે સાંભળવા માટે ચારે બાજુ કેટલાક વૈરાગી તથા બાઈભાઈ બેઠાં હતાં. તે સમયે ઘનશ્યામ મહારાજ પોતે પણ કથા સાંભળવા બેસતા હતા. ત્યારે કથામાં એકાદશીનું માહાત્મ્ય આવ્યું જે, હજાર અશ્વમેધ યજ્ઞ કરે અને એકસો રાજસૂય યજ્ઞ કરે તે એકાદશીના સોળમા ભાગની તુલ્ય ન થાય. તે સાંભળીને બોલ્યા જે, હે પુરાણી ! આવો એકાદશીનો મહિમા ભગવાને કહ્યો છે, તો પણ કેટલાક માણસો કેમ એકાદશી કરતા નથી? તે સાંભળીને રીસ કરીને વૈરાગી બોલ્યો જે, હે ભાઈ ! આ મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે તે કંઈ દુઃખ ભોગવવા માટે નથી આપ્યો અને એકાદશી તો જગન્નાથપુરીમાં ઉંચી બાંધી રાખી છે. તેથી આત્મરૂપી ભગવાનને ભૂખ્યા રહીને દુઃખ સહન કરવું તે બહુ ખોટું કહેવાય. આ દેહે કરીને ખાવું પીવું અને મોજ કરવી એ સારૂં આપણા સર્વેનો મનુષ્ય દેહ છે અને ફરીને આ મનુષ્યનો દેહ મળે તેમનથી. તેથી ભરપુર વિષયમાં તૃપ્ત થઈને પછી દેહ પડે તો ઘણું સારૂં. નહિ તો વાસનાએ કરીને ભૂતપ્રેત થવું પડે અને જે દિવસે અન્ન ન મળે તે દિવસે એકાદશીજ છે એમ જાણવું. આવી રીતનું વચન સાંભળીને ઘનશ્યામ મહારાજના મનમાં એમ થયું જે આવા ત્યાગી ઉપદેષ્ટાને ગુરૂ કરીને સર્વે પૂજેછે અને તે પોતે અવળા માર્ગે ચાલે છે, એમ વિચાર કરીને ત્યાં થકી ઉઠ્યા અને હનુમાનજીની પરિક્રમા કરવા લાગ્યા. ત્યારે તે મોહનદાસ મશ્કરી કરીને સભામાં બેઠેલા જનોને કહ્યું જે, જુઓ, ભાઈઓ ! આ એકાદશીનો મહિમા વધારીને મને શિખામણ આપવા આવ્યો છે. એમ કહેતાં તત્કાળ તે વૈરાગીને હરિ ઇચ્છાથી સમાધિ થઈ અને તેને સમાધિમાં યમપુરી દેખાઇ. ત્યાં યમપુરીમાં હજારો યમદૂતો તેને મારવા લાગ્યા અને બોલ્યા જે, હે દુષ્ટ ! તું ત્યાગી થઇને એકાદશી કરવાની સર્વને ના પાડે છે ? બીજા માણસોને પણ તારા જેવા પાપી કરવા છે ? અને ભગવાન થકી વિમુખ રાખવા છે ? અને વળી યમરાજા એમ કહેતા હતા કે- હે બાવા ! આ ઘનશ્યામ તો સાક્ષાત્ ઇશ્વર છે. તેમની તેં અવજ્ઞા કરી છે તેનું આ ફળ છે. એમ કહીને મારતા હતા, તેને મારે છે યમપુરીમાં અને તેનો દેહ અહીં પડયો છે તે ઉંચો ઉછળીને હેઠો પડે છે. તે કેટલાક જનો જુવે છે. અને તે મોઢેથી એમ બોલતો હતો જે, હે ધર્મરાજ ! હવે તો હું કોઇ દિવસ એકાદશીની ના નહીં પાડું, અને સદાય કરીને બીજા માણસોને પણ એકાદશીનું વ્રત કરાવીશ. એવી રીતે બોલતો હતો. તેને સાંભળીને સર્વે આશ્ચર્ય પામતાં હતાં. એટલામાં
તો શ્રીહરિની ઇચ્છાથી તેની સમાધિ ઉતરી ગઈ. ત્યારે જેનાં હાડકાં ભાંગી ગયાં છે. એવો મડદાં જેવો પડયો પડ્યો એમ બોલતો હતો જે, હે ભાઈઓ! એ ઘનશ્યામનું મેં અપમાન કર્યું તેથી હું યમપુરીમાં મહા દુઃખ પામ્યો અને તે બાળક સાક્ષાત્ ભગવાન છે. એમ કહીને મહા મુશ્કેલીથી ઉભો થઇને એમ કહેવા લાગ્યો કે- ક્યાં ગયા તે ? પછી પરિક્રમા કરતા શ્રીઘનશ્યામ મહારાજના ચરણાર્વિદમાં જઈને મસ્તક મુકીને પગે લાગીને એમ કહેવા લાગ્યો, હે ભગવન્ ! તમો તો સાક્ષાત્ મારા ઇષ્ટદેવ શ્રી રામચંદ્ર છો અને મારો અપરાધ ક્ષમા કરો. એમ કહીને એકાદશી કરવાનો નિયમ રાખીને પછી નિર્માની થઈ, પગે લાગી, પુસ્તક બાંધી પોતાના સ્થાનકે જઇને તે વાત બીજા કેટલાક વૈરાગીઓને કહી. તે સાંભળીને તે સર્વે વૈરાગીયો એકઠા થઈને ત્યાં જોવા સારૂં આવતા હતા. તે સર્વેને પોતાનું રામચંદ્રજીરૂપે દર્શન આપીને ત્યાં થકી અદૃશ્ય થઇ ગયા. તે જોઈને આશ્ચર્ય પામતા સતા ચારે તરફ ફરીને જોવા લાગ્યા. ત્યાં તો ક્યાંય જોયા નહીં, ત્યારે માંહોમાંહી એક બીજાને પુછવા લાગ્યા જે અહો ! ! ! આ તે શું થયું? હમણાં અહીં ઉભા હતા જે ઘનશ્યામ તે ક્યાં ગયા ? એમ કહીને મહા આશ્ચર્ય પામતા સર્વે પોતાના ઉતારામાં ગયા.
🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
#🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 Good Morning #જીવન કોટ્સ...✍🏻
#જીવન કોટ્સ...✍🏻 #🌅 Good Morning #😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ





![🙏 સ્વામિનારાયણ મંદિર - स्वाभिनाशयए ర @ 29 ವu13 &[uI93 ] EuL 06 3-81 521 4Ir 52 ಣ , "o3H 42 V23Id[ 014 थने त्थां %भे , २भे सने %्थारे वश्ने ७थेवाणों भेणववा वणत थावे त्थारे भissi २भतl डोथ त्था %lवा %lतो २७ ; तेभ २ा छव भ७ाप्रलु%ने पाभव। सारु सत्संगरभा २४ाट्या छे ते ध्यान S२AI वणते नव२ २Uतl नथी थने c्थIवडI२२िङ Slभभi वणगी 4डे छे; ते Gu२ दीधुं थेवुं छे. भाटे व२्तु डेवी पाभवी छे E2id तनो तपास ४२वो %ार्धथे. cryell-Ilaldl 04P1-09 ddf-ox9 నlడjdal alలggciu GJ- JADAV RAJKOT स्वाभिनाशयए ర @ 29 ವu13 &[uI93 ] EuL 06 3-81 521 4Ir 52 ಣ , "o3H 42 V23Id[ 014 थने त्थां %भे , २भे सने %्थारे वश्ने ७थेवाणों भेणववा वणत थावे त्थारे भissi २भतl डोथ त्था %lवा %lतो २७ ; तेभ २ा छव भ७ाप्रलु%ने पाभव। सारु सत्संगरभा २४ाट्या छे ते ध्यान S२AI वणते नव२ २Uतl नथी थने c्थIवडI२२िङ Slभभi वणगी 4डे छे; ते Gu२ दीधुं थेवुं छे. भाटे व२्तु डेवी पाभवी छे E2id तनो तपास ४२वो %ार्धथे. cryell-Ilaldl 04P1-09 ddf-ox9 నlడjdal alలggciu GJ- JADAV RAJKOT - ShareChat 🙏 સ્વામિનારાયણ મંદિર - स्वाभिनाशयए ర @ 29 ವu13 &[uI93 ] EuL 06 3-81 521 4Ir 52 ಣ , "o3H 42 V23Id[ 014 थने त्थां %भे , २भे सने %्थारे वश्ने ७थेवाणों भेणववा वणत थावे त्थारे भissi २भतl डोथ त्था %lवा %lतो २७ ; तेभ २ा छव भ७ाप्रलु%ने पाभव। सारु सत्संगरभा २४ाट्या छे ते ध्यान S२AI वणते नव२ २Uतl नथी थने c्थIवडI२२िङ Slभभi वणगी 4डे छे; ते Gu२ दीधुं थेवुं छे. भाटे व२्तु डेवी पाभवी छे E2id तनो तपास ४२वो %ार्धथे. cryell-Ilaldl 04P1-09 ddf-ox9 నlడjdal alలggciu GJ- JADAV RAJKOT स्वाभिनाशयए ర @ 29 ವu13 &[uI93 ] EuL 06 3-81 521 4Ir 52 ಣ , "o3H 42 V23Id[ 014 थने त्थां %भे , २भे सने %्थारे वश्ने ७थेवाणों भेणववा वणत थावे त्थारे भissi २भतl डोथ त्था %lवा %lतो २७ ; तेभ २ा छव भ७ाप्रलु%ने पाभव। सारु सत्संगरभा २४ाट्या छे ते ध्यान S२AI वणते नव२ २Uतl नथी थने c्थIवडI२२िङ Slभभi वणगी 4डे छे; ते Gu२ दीधुं थेवुं छे. भाटे व२्तु डेवी पाभवी छे E2id तनो तपास ४२वो %ार्धथे. cryell-Ilaldl 04P1-09 ddf-ox9 నlడjdal alలggciu GJ- JADAV RAJKOT - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_308529_2be65c3d_1763255307186_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=186_sc.jpg)






