📢SCO: PM मोदी चीन भेटीचे सर्व अपडेट्स
21 Posts • 25K views
#SKCREATIVE2018 - Subscrib करे
813 views 4 months ago
#🚩आंदोलन: आझाद मैदान रिकामी करण्याचा आदेश 😱 આ રીતે કોઈ પણ વિપક્ષી નેતા ભારતના કોઈ પણ શહેરને બાનમાં લઈને નવું શાહીન બાગ બનાવી શકે છે, ખેડૂત આંદોલનની નવી આવૃત્તિ શરૂ કરીને વડાપ્રધાન, ગૃહ પ્રધાન અને રાજ્યના મુખ્ય પ્રધાનની ધીરજની અને તેમના સંયમની કસોટી લઈ શકે છે. અહીં તદ્દન ગેરવાજબી એવો મરાઠા સમુદાયના આરક્ષણનો મુદ્દો છે. હાઈ કોર્ટના આદેશ મુજબ આ લોકોએ આજે ( મંગળવારે) બપોર સુધીમાં આંદોલન સમેટીને મુંબઈ છોડવાનું છે. શું આ બધા લોકો ન્યાય તંત્રની આમન્યા રાખશે? અરાજકતા, એનાર્કી —આ એક જ હથિયાર મોદીને ઉથલાવવા હવે બચ્યું છે. કારણ કે બીજા કોઈ હથકંડા સફળ નથી થયા. જો આકરાં પગલાં લઈને આવાં આંદોલનો રોકવામાં આવે તો મીડિયા તો મોદીની પથારી ફેરવી નાખવા ક્યારનું લાગ જોઈને તલપાપડ છે જ. આવા કટોકટીના સમયે કસોટી આપણી છે. કાલ ઉઠીને આંદોલનકારીઓ સપ્લાય લાઇન્સ કાપી નાખે—હાઈવે પર ચક્કાજામ કરીને. ટ્રાફિક જામને કારણે આપણી રોજીરોટી પર અસર પડે. પેટ્રોલથી માંડીને શાકભાજી, અનાજ અને દૂધ જેવી આવશ્યક ચીજવસ્તુઓની અછત સર્જાય. બીજું ઘણું થાય. ગૃહયુદ્ધ સુધી વાત પહોંચી જાય. આવા સંજોગોમાં આપણે સરકારને દોષ આપીએ કે એ નક્કર પગલાં લેતી નથી, એને રાજ કરવાની આવડત નથી, વાત વણસી ગઈ છે છતાં પોલીસની કે અર્ધલશ્કરી દળોની મદદથી પગલાં લઈને સામાન્ય નાગરિકોની સલામતી માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી—તો આપણે આપણા જ પગ પર કુહાડી મારીને અરાજકતાવાદી રાજકારણીઓ માટે ભવિષ્યનો માર્ગ મોકળો કરી આપીશું. આવા સંજોગોમાં આપણે સમજદારીપૂર્વક સહનશીલતા દેખાડીએ અને સરકારનાં જે નિર્ણયો હોય એને સ્વીકારીએ. મોદી સરકારને ટેકો આપવો એટલે આપણા દેશના હિતમાં કામ કરવું. આપણને સરકાર ચલાવવાનો તો શું આપણા બિલ્ડિંગની સોસાયટીનો સુપેરે વહીવટ ચલાવવાનો પણ અનુભવ નથી. એટલે અકળાઈને, ફ્રસ્ટેટ થઈને મોદી, શાહ કે ફડણવીસની બોચી પકડીને બહાદુરી બતાવવી નહીં. સમજુ નાગરિકની, દેશભક્ત વ્યક્તિની ફરજ એ જ હોય કે આવા સમયે આપણે વ્યક્તિગત રીતે આપણી અગવડો સહન કરીએ. સરકાર નિષ્ફળ ગઈ છે એવી માનસિકતા ના રાખવી. કોઈની હોય તો એને સમજાવીએ. (ના સમજી શકે તો સાલાને ધોઈ નાખીએ). શાહીનબાગ તો માત્ર આલાપ છે. મરાઠા અનામત આંદોલન મુખડું છે. ૨૦૨૯ દરમિયાન ઘણા બધા અંતરા ગવાતા હશે. સરકારને ઉશ્કેરવા છેક છેલ્લી પાયરીએ આ લોકો જવાના છે. દેશમાં અંધાધૂંધી પ્રસરાવીને સત્તા કબજે કરવા માગતા લોકો આપણા પર્સનલ દુશ્મન છે. એ લોકો મોદીને નહીં આપણને ટાર્ગેટ કરે છે. આપણે વટલાઈને મોદી સમર્થકમાંથી મોદીના વિરોધી બનીને સરકાર સામે એલફેલ બોલવાનું શરૂ કરીએ એવું તેઓ ઇચ્છે છે. જેથી ૨૦૨૯ની ચૂંટણી વખતે માહોલ બગડે, વાતાવરણ મોદી વિરુદ્ધનું હોય, ભાજપને મત મેળવવાનાં ફાંફા પડે, આરએસએસ નિષ્ક્રિય થઈ જાય અને દેશની લગામ ફરી એક વાર નેહરુના, લાલુના, મુલાયમના, શેખ અબ્દુલ્લાના વારસદારોના હાથમાં આવી જાય અને બંદરબાંટ શરૂ થઈ જાય. પુતિન અને જિનપિંગ વચ્ચે મસ્તીથી ઉભેલા ભારતના યશસ્વી વડા પ્રધાનની તસવીર જોઈને જો છાતી ગજ ગજ ફૂલતી હોય તો દેશભક્તિ દેખાડવા માત્ર આટલું કરીએ—સરકાર કેવી રીતે ચાલવી જોઈએ તે વિશે સલાહ આપવાને બદલે સરહદ સંભાળતા સૈનિકોની અગવડો યાદ કરીને આપણને પડી રહેલી અડચણોને સંયમપૂર્વક સહન કરી લેતાં શીખીએ. —સૌરભ શાહ ( મંગળવાર, 2 સપ્ટેમ્બર 2025) #📢SCO: PM मोदी चीन भेटीचे सर्व अपडेट्स #😨सावधान! मुंबईला ऑरेंज अलर्ट जारी⛈️ #🏛️राजकारण #🏛️महाराष्ट्राचे राजकारण😎
12 likes
16 shares