c.j. jadav
660 views
2 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- ૦૬ અમથાભાઈ કહે કે "બાપજી ? બીજું તો કાંઈ માંગવું નથી. પણ આ બેય દીકરા શ્રીજીના છે, શ્રીહરિજીને સોંપ્યા છે, આપ જાળવજો !” સદ્દગુરુશ્રી મંદહાસ્ય કરતા કહે : “ભગત! એમની તમે ચિંતા ન કરશો. હાથી કાંઈ કૂબામાં ને કૂબામાં બંધાયેલો રહેશે? મહારાજ આ બહેચરની પાસે તો બહુ સેવા કરાવવાના છે.” સદ્ગુરુશ્રી પોતાના મંડળે સહિત જેતલપુર પધાર્યા ને તે જ રાત્રે અમથાભાઈ પંચભૂતનો દેહ છોડીને શ્રીજીમહારાજની મૂર્તિના સુખે સુખિયા થઈ ગયા. " श्री-મહારાજ તમને તેડી જવા રાહ જોઈને બેઠા છે”–એ સદ્ગુરુશ્રી ના વચનની સાર્થકતા સૌને સમજાણી. બહેચરભાઈને તો સ. ગુ. શ્રી નિર્ગુ ણદાસજી સ્વામી પ્રત્યે તે જ દિવસથી અલૌકિક હેત ને માહાત્મ્ય થઈ ગયું, ને બહેચરભાઈના જીવનની નવી કેડી ઊઘડી. સ.ગુ.શ્રી નિર્ગુણદાસજી સ્વામીનું જેતલપુર જતાં અસલાલી રોકાવું, બહેચરભાઈનું મળવું, અમથાભાઇને દર્શન દેવા તેમના ઘરે પધારવું અને તે જ રાત્રે અમથાભાઈનો અક્ષરવાસ થવો – આ બધી ઘટનાઓ ભગવત્ કૃપાની સુયોજિત શૃંખલાનો એક ભાગ જ માત્ર હતી. પિતાશ્રી અમથાભાઈની ઉત્તરક્રિયા કરી બહેચરભાઈ પિતાશ્રીના નિમિત્તનો શ્રીઠાકોરજીને થાળ કરાવવા અમદાવાદ અને જેતલપુર ગયા, જેતલપુર ગયા ત્યારે સ.ગુ.શ્રી નિર્ગુણ-દાસજી સ્વામી ત્યાં બિરાજતા હતા. બહેચરભાઈને દર્શને આવેલા જોઈ સદ્ગુરુશ્રી બહુ રાજી થયા. કથાવાર્તાનો નિત્ય નિયમ મત્યા બાદ બહેચરભાઈને પાસે બોલાવી સદ્દગુરુશ્રીએ કહ્યું: “અતિ હેતે કરીને શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાયેલા રહેવું. શ્રીહરિજીના દિવ્ય અલૌકિક લીલા ચરિત્રો તો સંભારવા, પણ સૌથી વિશેષ તો મહાપ્રભુજીની શ્રીમુખવાણી – વચનામૃત –નો ખંતપૂર્વક અભ્યાસ કરવો સર્વોપરી જ્ઞાનમાર્ગ એમાં રહેલો છે!” સદ્ગુરુશ્રીના આ કૃપાવચનોની બહેચરભાઈ ઉપર ઊંડી અસર થઈ. “બાપજી! અમને સદાય પોતાના જાણી જાળવજો !” સદ્ગુરુશ્રી કહે : “એની ફિકર મ કરજો. સ્વામિનારાયણ ભગવાન પોતે જાળવશે. અને સમય થશે ને એનો હુકમ થશે ત્યારે તેડી લઈશું! હાલ તો સુખેથી ઘરે પાછા જાવ.” સત્તર વર્ષના યુવાન બહેચરભાઈ અસલાલી પાછા આવ્યા છે. આંખની દષ્ટિ પલટાઈ ગયેલી છે, રુંવાડે રુંવાડેથી શ્રીહરિ-રસની રેલીઓ ઊભરાઈ આવે છે. 🍃🍃🌼🍃🍃 #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ