🥀વચનામૃતનું રહસ્ય એ સ્વયં શ્રીજી મહારાજે લખાવેલુ રહસ્ય છે એમાં શંકાને કોઈ સ્થાન નથી......
વચનામૃત' ટીકાના સંપાદનમાં સદગુરુશ્રીની સાથે મદદમાં રહેલામાં મુખ્ય એવા પુરાણી....
🥀ધર્મકિશોરદાસજી સ્વામીશ્રી કહેતા : “સદગુરુશ્રી વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા મુક્તરાજ બાપાશ્રી કહે તેમ જ લખતા. કોઇ શબ્દ અજાણમાં લખવામાં રહી ગયો હોય તો શ્રીજીમહારાજ તથા મુક્તરાજ અબજીબાપા પ્રત્યક્ષપણે આવી લખાવી જતા.
એક વખત વાંટાવદર ગામમાં સદ્દગુરુશ્રીએ લોયાના સાતમા વચનામૃતની ટીકા બાપાશ્રીના કહેવા પ્રમાણે લખેલ, પણ કાંઈક જરા વિચારમાં પડ્યા. તે દિવસે મુક્તરાજ બાપાશ્રી આવી કહે: 'આનો આવો અર્થ લખો. તમે કેમ ભૂલી ગયા? અમે તમને કહ્યું હતું ને?’ તે વખતે મુક્તરાજ ભૂરાભાઈને દર્શન થયા કે બાપાશ્રી આવ્યા હતા. વળી, શ્રીજીમહારાજનો સર્વોપરી નિશ્ચય કરાવવામાં તો જાણે પોતે તે સ્થાનને દેખીને કહેતા હોય તેમ પ્રત્યક્ષાનુભવથી વાત કરતા, જેથી સાંભળનારના જીવમાં હા જ પડે.”
#✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗