🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર....
એક સમયને વિષે ગ્વાલીયર પરગણે ધુવા ગામને વિષે, સકટુભાઇ નામનો એક લુહાર સારો સત્સંગી શ્રીજી મહારાજને મળેલો હતો. તે દિવાળીના સારા દિવસોમાં પોતાના પુત્રને ભારે હેમના દાગીના પહેરાવી સાથે લઇને સંધ્યા સમયે મંદિરમાં આવતા હતા ત્યારે વચ્ચે ચોર બેઠેલા હતા તેમણે તે છોકરાનાં ઘરેણાં જોયાં. અને સકટુભાઇને એક જ પુત્ર હતો. તે મંદિરમાં ગયા. પછી તે છોકરાને શ્રીઠાકોરજીનાં દર્શન કરાવીને બેઠા એટલે તે છોકરો રમતો રમતો મંદિરથી બહાર જઇને ઉભો રહ્યો કે તુરત તે ચોરોએ તેને ઉપાડી લીધો અને તેનું મોઢું બાંધીને મોટા પર્વતમાં લઇ ગયા અને તેનાં સર્વે ઘરેણાં ઉતારી લઈને મારી નાખવાનો વિચાર કર્યો. એટલે તે છોકરો તે વાત જાણીને ત્રાસ પામી ગયો. અને ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ બોલીને રૂદન કરવા લાગ્યો, તો પણ ચોરોને દયા ન આવતાં તેને તત્કાળ ગળું પકડીને મારવા માટે હથિયાર ઉપાડતા હતા. તે સમયમાં તેની રક્ષા કરવા માટે શ્રીજી મહારાજ શ્વેત હાથી ઉપર બેસીને ઉતાવળા થકા આવીને તે છોકરાને એકદમ ઉપાડી લઇને હાથી ઉપર બેસાડતા હતા. અને જેટલા ચોર હતા. તેટલા સ્વરૂપે થઇને તે સર્વે ચોરને બાંધીને ઘરેણાં સર્વે લઇને પોતે એક સ્વરૂપે થઇને ત્યાં થકી ચાલ્યા, તે થોડેક દૂર જઇને તે છોકરાને બધાં ઘરેણાં પહેરાવીને મોતૈયા લાડુ જમાડી, પાણી પાઇ શાંત પમાડ્યો. પછી તેને તેનાં ઘરનાં આંગણે લાવીને તેનાં માતાપિતાને સોંપી અદ્રશ્ય થઇ ગયા. તે પ્રતાપ જોઇને તેણે કહ્યું જે, તને કોણ લઈ ગયું હતું? અને અહીં કોણ લાવ્યું ? ત્યારે સર્વેના સાંભળતાં તે વૃત્તાંત કહેતો હતો. પછી તેના કહેવા પ્રમાણે તે ગામનો રાજા પોતાના કેટલાક સિપાઈઓને સાથે લઇને તથા બીજા કેટલાક માણસોથી વિંટાણા સતા બાંધેલા ચોરોને પાસે જઈને તે સર્વેને પકડી લીધા અને ફાંસીએ દેવા તૈયાર કર્યા. તે જોઈને સકટુ લુહારે જાણ્યું જે, મારા પુત્રની શ્રીજી મહારાજે રક્ષા કરીને ઘરેણાં પણ લાવ્યા. એમ જાણીને તે સર્વે ચોરને છોડાવી મૂકાવતા હતા. એવી રીતનો શ્રીજી મહારાજનો પ્રતાપ જોઇને કેટલાંક માણસ પ્રગટ પ્રમાણ સ્વામિનારાયણનો આશ્રય કરીને ભજન કરવા લાગ્યાં.
🍃🍃🌼🍃🍃
#✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗