🍃🍃🌼🍃🍃
નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- ૧૩
સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામી સ. ગુ. શ્રી અક્ષરજીવન-દાસજી સ્વામી સહિત બળદિયા પધાર્યા. વૃષપુર (બળદિયા) ગામ દિવ્યતામાં ડૂબી ગયું! સ્વામી ઈશ્વરચરણદાસજી તો રાજી રાજી થઈ ગયા. રુંવાડે રુંવાડે દિવ્યના અનુભવવા લાગ્યા છે !
સભામાં કથા થતી હોય તો ય દિવ્યતા, કથાની સમાપ્તિ થાય ને મુક્તો ધ્યાનસ્થ બેઠા હોય તો ય દિવ્યતા, રમૂજમાં આવી એકબીજાની સેવા કરતા-કરાવતા હોય તો ય દિવ્યતા, પળે-પળ ને ક્ષણે-ક્ષણ દિવ્યતા જ જણાય.
વૃષપુરના મંદિરમાં મુક્તો બિરાજ્યા છે, ને સંત - હરિભક્તો-ની સભા ભરાઈને બેઠી છે, ને વચનામૃતની કથા વંચાય છે. સારંગપુર પ્રકરણના ૧૧મા વચનામૃતમાં વાત આવી કે *ભગવાન કૃપા કરે ત્યારે ભગવાનના તુલ્યપણાને પામે છે.' સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામી સભામાં વાત કરે છે :
"ભગવાનના તુલ્યપણાની આ વાત તે મૂર્તિમાં રહેવાની વાત. તે વાતો મેં ગોપાળાનંદ સ્વામી થકી જે સાંભળી છે તે કહું છું:
એક સમયે શ્રીજીમહારાજ રાત્રિને વિષે સુરા ખાચરના ઓરડામાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને પાસે ગોપાળા-નંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી આદિ મોટા મોટા સંતો બેઠા હતા. પછી શ્રીજીમહારાજ બહુ પ્રસન્નતા જણાવીને બોલ્યા કે સંતો! પ્રશ્ન પૂછો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું :
(૧) હે મહારાજ ! જે મુક્ત મૂર્તિમાં રહે છે તે મૂર્તિ-માન થકા મૂર્તિમાં રહે છે કે નિરાકાર થકા મૂર્તિમાં રહે છે?
શ્રીજીમહારાજ કહે: જે મુક્ત અમારી મૂર્તિમાં રહે છે તેમને કૈવલ્ય મુક્ત કે અનાદિ મુક્ત કહે છે. તે મુક્તો મૂર્તિમાન છે ને મૂર્તિમાન થકા જ અમારી મૂર્તિમાં રહે છે, નિરાકાર થઈને રહેતા નથી. અમારી પેઠે જ એ મુક્તો સદાય દિવ્ય સાકાર મૂર્તિ છે.
(૨) વળી પ્રશ્ન પૂછ્યો : મૂર્તિમાં રહેનારા મુક્તો સમગ્ર મૂર્તિમાં રહે છે કે એક અંગમાં રહે છે?
શ્રીજીમહારાજ કહે : તે અનાદિ મુક્તો અમારી મૂર્તિમાં
મસ્તકથી ચરણ પર્યંત સમગ્ર મૂર્તિમાં રહે છે, પણ મુખ, છાતી કે ચરણ એમ એક અંગમાં રહેતા નથી.
(૩) વળી પ્રશ્ન પૂછ્યો: એ અનાદિ મુક્તો અખંડ
મૂર્તિમાં રહે છે કે ક્યારેક મૂર્તિમાં રહે છે ને ક્યારેક મૂર્તિથી
બહાર પણ રહે છે?
શ્રીજીમહારાજ કહે: એ અનાદિ મુક્તો અખંડ મૂર્તિમાં
રહે છે પણ મૂર્તિથી બહાર આવતા નથી, ને અમે અમારી ઇચ્છાથી અનાદિ મુક્તોને જીવના કલ્યાણ સારુ પ્રગટ કરીએ છીએ; અનાદિ મુક્ત અમારી ઈચ્છાથી અમારી મૂર્તિમાં રહ્યા થકા જ દેખાય છે, પણ આવતા-જતા નથી. વળી અનાદિ મુક્ત અતિશય હેતે કરીને ક્યારેક ભગવાનમાં લીન થઈ જાય છે ને ક્યારેક તો મૂર્તિમાન થકા ભગવાનની સેવામાં રહે છે નેમ જે કહ્યું (સારંગપુર ૧૧) તે પણ અમારી મૂર્તિમાં રહ્યા થકા જ અમારી ઈચ્છાથી બ્રહ્માંડમાં દર્શન દે છે ને જીવોની મોક્ષ કરવા રૂપી સેવા કરે છે.
(૪) ગોપાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો: મૂર્તિમાં રહેનારા મુક્તો ને સન્મુખ રહેનારા મુક્તોમાં કેટલો ભેદ છે?
શ્રીજીમહારાજ કહે : અમારી મૂર્તિમાં રહેનારા મુક્તોને
અનાદિ મુક્તો કહે છે અને અમારી મૂર્તિની સન્મુખ રહેનારા મુક્તોને વિદેહી કે પરમ એકાંતિક મુક્તો કહે છે, તેમને વિષે ઘણો ભેદ છે. અનંત કોટિ અનાદિ મુક્ત છે તેમની સ્થિતિ પરમ એકાંતિકથી અતિ અધિક છે.
🍃🍃🌼🍃🍃
#✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗