c.j. jadav
804 views
26 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- ૦૪ સં. ૧૯૪૨ માં ફાગણ સુદ આઠમના રોજ ધ૦ ધુ૦ આચાર્ય મહારાજશ્રી આયોધ્યાપ્રસાદજી મહારાજ અમદાવાદમાં ધામમાં પધાર્યા. શોક સંદેશ અસલાલી આવ્યો. સૌ હરિભક્તો મંદિરમાં ભેગા થયા. પોતાના આચાર્ય, ગુરુ અને જીવના સાચા સગા અદ્રશ્ય થતાં સૌ હરિભક્તોએ ગામના તળાવે જઈ, શોકમગ્ન હૃદયે શ્રીહરિની સ્મૃતિ સહ સાબોળ સ્નાન કર્યું. બહેચરભાઈના તો એ વર્તમાન દીક્ષાના ગુરુ હતા, તેથી સૌ હરિભક્તો જોડે બહેચરભાઈ પણ રડી પડયા. બહેચરભાઈને સાતમું વર્ષ ચાલે છે. પોતે ગામની નિશાળે જવા લાગ્યા છે. બહેચરભાઈનો વિદ્યાભ્યાસ સાહજિક ને ઉત્તમ જણાઈ આવે છે. નિશાળના શિક્ષક શ્રી ભાઈલાલ-ભાઈ જગજીવનભાઈને બહેચરભાઈ પ્યારા થઈ પડ્યા છે. નથી પૂરતાં કપડાં કે નથી પગમાં પગરખાં, પણ અભ્યાસની એકાગ્રતા ને કુશાગ્રતા સૌને આશ્ચર્યમુગ્ધ કરે છે. બાળમિત્રો શામળભાઈ લાલુભાઈ, પ્રભુદાસ શંકરભાઈ, જેઠાભાઈ શંકરભાઈ તો નિશાળમાં ને નિશાળ છૂટ્યા પછી પણ બહેચરભાઈની જોડે ને જોડે જ ફરે છે. નિશાળમાંથી છૂટીને બહેચરભાઈ પાસે ભણવા જવાનું બહાનું કાઢીને પણ તેમની પાસે આવે છે. બહેચરભાઈ પાસે ભગવવાર્તા સાંભળીને એ ત્રણે મિત્રો મંત્રમુગ્ધ થઈ જતા. વિદ્યાભ્યાસ સાથે ભજનસ્મરણ ને દર્શનાદિમાં વખત ગાળતા. ક્યારેક ક્યારેક – એકાદશી, પૂનમ, ઉત્તરાયણ જેવા દિવસોમાં – બાળમિત્રો પગે ચાલીને જેતલપુર દર્શને જાય. રસ્તે જતા ને આવતા બહેચરભાઈની વાણી તો અવિરત ચાલુ જ હોય ! એક વખત આવી રીતે બાળમિત્રો જેતલપુર જવા બહેચરભાઈ ને તો પગમાં પગરખા પણ નથી. ભાઈબંધો આગળ વધી રહ્યા છે ત્યાં શામળભાઈ ને જેઠાભાઈ પાછળ રહી જાય છે. કેડી ઉપર ધૂળ ખૂબ હતી. આગળ જઈ રહેલા બહેચરભાઈ અને પ્રભુદાસભાઈના પગલાંની છાપ ધૂળમાં પડેલી છે. જેઠાભાઈ શામળભાઈને બતાવે છે કે “જો! આ બહેચરના પગલાં ને આ પરભુના પગલાં !” શામળભાઈ કહે : “કેમ જાણ્યું કે આ બહેચરના જ પગલાં છે?” જેઠાભાઈ કહે: “ જો ! બહેચરના પગલાંની છાપમાં ઊભૌ રેખા હોય છે!” રસ્તામાં એક કૂવાને કાંઠે પાણી પીવા બેઠા, હાથ-પગ ધોઈ પાણી પીધું. ત્યારે શામળભાઈ કહે : “બહેચર ! તારા પગ તો બતાવ!” બહેચરભાઈએ મગ લાંબા કર્યા, ત્રણે ભાઈબંધો જોઈ રહ્યા કે બહેચરભાઈના પગમાં સુંદર ઊર્ધ્વરેખા અને પદ્મના ચિહ્નો અંકિત થયેલા હતા. શામળભાઈ તરત બોલી ઊઠયા: “મારા બાપા કહેતા કે જેના પગમાં ઊર્ધ્વરેખા હોય તે તો રાજા-મહારાજા થાય! બહેચર ! તું રાજા-મહારાજા બની જાય તો અમને યાદ કરજે!” બહેચરભાઈ મર્માળુ હસ્યા અને કહે: “શી ખબર રાજા-મહારાજા બનીશ કે શું બનીશ ! પણ તમે જો મને યાદ કરશો તો હું જરૂર તમને યાદ રાખીશ !" ગામની નિશાળમાં છ ધોરણ સુધી ભણવાની વ્યવસ્થા હતી. બહેચરભાઈ છ ધોરણ ભણી લઈને નિશાળેથી ઉતરી ગયા. પિતાશ્રીને ખેતીમાં મદદ કરે, માતુશ્રીને ઘરકામમાં મદદ કરે ને મંદિરમાં પધારેલા સંતમંડળની સેવા કરે. અનાદિ મુક્તરાજ સ.ગુ.શ્રી ગુણાતીતાનંદ સ્વામી વાત કરતા કે બાપના હૈયામાં સ્ત્રી છે તેથી છોકરાને પરણાવું-પરણાવું કરે છે! અમથાભાઈના હૈયામાં તો ભગવાન જ હતા, તેથી તેમણે બહેચરભાઈ કે નાના કસીભાઈને પરણાવવાના મનોરથ સેવ્યા જ ન હતા! જીબામાને ક્યારેક માતૃસહજ ભાવમાં લાગે કે દીકરાને પરણાવ્યા હોય તો સારું ! 🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗