આજના સમાચાર
2K Posts • 8M views
#😢ફેમસ એન્કરનું 71 વર્ષની વયે નિધન, ભારતીય ટેલિવિઝન ઈતિહાસના એક અત્યંત પ્રભાવશાળી અને આદરણીય વ્યક્તિત્વ સરલા માહેશ્વરીએ આજે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધન સાથે દૂરદર્શનના તે સુવર્ણ યુગનો અંત આવ્યો છે, જ્યાં સમાચારનો અર્થ માત્ર માહિતી નહીં પણ ગરિમા અને વિશ્વાસ હતો. સોશિયલ મીડિયા પર તેમના નિધનના સમાચાર ફેલાતા જ પત્રકાર જગત અને જૂના દર્શકોમાં શોક છવાઈ ગયો છે. ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસે પણ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે અને જણાવ્યું છે કે સરલાજીની વિશ્વસનીયતા અને શાલીનતા આવનારી પેઢીઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે.સરલા માહેશ્વરીના પરિવાર દ્વારા શેર કરવામાં આવેલી માહિતી મુજબ, તેમના અંતિમ સંસ્કાર 12 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 વાગ્યે દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે કરવામાં આવશે. દૂરદર્શનના એ જમાનામાં જ્યારે એન્કર પોતે જ સમાચારની સત્યતાની ઓળખ ગણાતા હતા, ત્યારે સરલાજીએ પોતાની એક અલગ છાપ છોડી હતી. તેમની ખોટ ભારતીય ટેલિવિઝન મીડિયા માટે ક્યારેય ન પુરાય તેવી છે. પરિવાર અને મિત્રો અત્યારે ઊંડા શોકનો માહોલ છે.સરલા માહેશ્વરીને તેમના સમાચાર વાંચવાના અનોખા અંદાજ માટે હંમેશા યાદ કરવામાં આવશે. તેમની વાણીમાં જે શાંતિ અને ગંભીરતા હતી, તે દર્શકોને ટેલિવિઝન સાથે જોડી રાખતી હતી. આજના ગ્લેમર અને દેખાડાના યુગ કરતા અલગ, તેમણે સમાચાર વાંચવાની કળાને એક સંસ્કારી અને પ્રતિષ્ઠિત ઓળખ અપાવી હતી.તેમના પ્રત્યેના આદરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અનેક સોશિયલ મીડિયા યુઝર્સ તેમને યાદ કરતા લખી રહ્યા છે કે, “અમે તેમને સાંભળતા સાંભળતા મોટા થયા છીએ, તેમના જેવો ગ્રેસ આજે ભાગ્યે જ જોવા મળે છે.” સોશિયલ મીડિયા પર હજારો લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એક યુઝરે ભાવુક થઈને લખ્યું કે, “સરલાજી એક શાનદાર વ્યક્તિત્વ ધરાવતા હતા, તેમના અવાજમાં જે વિશ્વાસ હતો તે અતુલ્ય હતો.” આ શ્રદ્ધાંજલિઓ દર્શાવે છે કે ટેકનોલોજી બદલાવા છતાં, મૂલ્યો આધારિત પત્રકારિતાની કિંમત આજે પણ લોકોના હૃદયમાં અકબંધ છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. #આજના સમાચાર #તાજા સમાચાર #🔥 બિગ અપડેટ્સ
9 likes
13 shares
#😯લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર, દીકરીઓના હિત અને સુરક્ષા માટે રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય ! ✔️લગ્ન નોંધણીમાં હવે માતા-પિતાની સહમતી અને જાણ અનિવાર્ય રહેશે. ✔️ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ ૨૦૦૬ના સુધારા સામાજિક માળખાને સુરક્ષિત બનાવશે. ✔️ઓળખ છુપાવીને થતા લગ્નો, છેતરપીંડી અને બળજબરી જેવા ગુનાઓ બનતા અટકશે. ✔️લગ્ન નોંધણી માટે અલગથી પોર્ટલ તૈયાર કરવામાં આવશે. આ બિલ માટે રાજ્ય સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. #આજના સમાચાર #તાજા સમાચાર #🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ
6 likes
8 shares
#😨યુવતીની હત્યા બાદ સુસાઈડની LIVE VIDEO, પંજાબના તરનતારન સ્થિત લો કોલેજમાં આજે (9 ફેબ્રુઆરીએ) એક વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં ઘૂસીને એક વિદ્યાર્થિનીની ગોળી મારીને હત્યા કરી દીધી. આ પછી તેણે પોતાને પણ ગોળી મારીને ત્યાં જ આત્મહત્યા કરી લીધી. હત્યા અને આત્મહત્યાની આ ઘટના પછી ક્લાસરૂમમાં હડકંપ મચી ગયો.મૃતક વિદ્યાર્થિની સંદીપ કૌર (20) છે, તે લો કોલેજમાં ફર્સ્ટ યરની વિદ્યાર્થીની હતી. જ્યારે આરોપી વિદ્યાર્થી તરનતારનનો અભિરાજ સિંહ છે, તે પણ વિદ્યાર્થિની સાથે ભણતો હતો. પોલીસે આખી લો કોલેજને સીલ કરી દીધી છે, પોલીસ હત્યાના કારણોની તપાસ કરી રહી છે. જ્યારે છોકરીની માતાએ આરોપ લગાવ્યો કે કોલેજમાંથી તેમને કહેવામાં આવ્યું કે નાનો ઝઘડો થયો છે અને તેમની દીકરીને ઈજા થઈ છે. તેઓ કોલેજ પહોંચ્યા ત્યારે દીકરી મૃત હાલતમાં પડી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હજુ ઘટના પાછળનું કારણ સામે આવ્યું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ તેને એકતરફી પ્રેમ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. પોલીસને શંકા છે કે યુવકે વેલેન્ટાઈન વીકમાં 8 ફેબ્રુઆરીએ વિદ્યાર્થિનીને પ્રપોઝ કર્યું હતું પરંતુ તેણે ઇનકાર કરી દીધો. જ્યારે વિદ્યાર્થિની રાજી ન થઈ તો વિદ્યાર્થીએ આ પગલું ભર્યું.હત્યા સાથે જોડાયેલ કોલેજના ક્લાસરૂમના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજ સવારે લગભગ 9 વાગ્યાના છે. ત્યારે ક્લાસમાં ભણવાનું શરૂ થયું ન હતું. બધા વિદ્યાર્થીઓ ક્લાસમાં જ ફરી રહ્યા હતા. આ દરમિયાન આરોપી વિદ્યાર્થી હાથમાં પિસ્તોલ લઈને ક્લાસરૂમમાં દાખલ થયો. તે સીધો આગળ આવ્યો. ત્યાં સંદીપ કૌર પોતાની સહેલી સાથે બેન્ચ પર બેઠી હતી. આરોપીએ થોડીવાર તેની સાથે દલીલ કરી. આ પછી તેણે પિસ્તોલ તાણી અને વિદ્યાર્થિનીના માથા પર અડાડીને ગોળી મારી દીધી. ગોળી વાગતા જ વિદ્યાર્થિની ધડામ દઈને નીચે પડી ગઈ. આ જોઈ તેની સાથે ઉભેલી સહેલી પણ સ્તબ્ધ રહી ગઈ. તે સંદીપ કૌર તરફ ઝૂકે, તે પહેલા યુવકે ફરીથી પિસ્તોલ લોડ કરી લીધી. બિલકુલ બાજુમાં જ તેણે પોતાના માથા પર અડાડીને પોતાને ગોળી મારી લીધી. જેના કારણે તે પણ નીચે પડી ગયો. આ પછી વિદ્યાર્થિનીએ પહેલા સંદીપ કૌરને ઉઠાવવાનો પ્રયાસ કર્યો પરંતુ પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારવાના કારણે તેનું મગજ ફાટી ગયું હતું અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. આ જોઈને તે બહારની તરફ ભાગી અને કોલેજ મેનેજમેન્ટને જણાવવા પહોંચી. આ દરમિયાન બાકીના વિદ્યાર્થીઓ પણ ત્યાં આવી ગયા. જેના પછી તરત જ પોલીસને જાણ કરવામાં આવી.વિદ્યાર્થિનીને માથમાં ગોળી મારી પોતે પણ સુસાઈડ કર્યું: VIDEO:પંજાબની લૉ કોલેજમાં વેલેન્ટાઈન વીકમાં પ્રપોઝ રિજેક્ટ કરતાં વિદ્યાર્થીએ ગોળી માર્યાની શંકા માનવ, તરનતારન13 મિનિટ પેહલા પંજાબની લૉ કોલેજમાં વેલેન્ટાઈન વીકમાં પ્રપોઝ રિજેક્ટ કરતાં વિદ્યાર્થીએ ગોળી માર્યાની શંકા|ઈન્ડિયા,National - Divya Bhaskar પંજાબના તરનતારન સ્થિત લો કોલેજમાં આજે (9 ફેબ્રુઆરીએ) એક વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં ઘૂસીને એક વિદ્યાર્થિનીની ગોળી મારીને હત્યા કરી દીધી. આ પછી તેણે પોતાને પણ ગોળી મારીને ત્યાં જ આત્મહત્યા કરી લીધી. હત્યા અને આત્મહત્યાની આ ઘટના પછી ક્લાસરૂમમાં હડકંપ મચી ગયો. મૃતક વિદ્યાર્થિની સંદીપ કૌર (20) છે, તે લો કોલેજમાં ફર્સ્ટ યરની વિદ્યાર્થીની હતી. જ્યારે આરોપી વિદ્યાર્થી તરનતારનનો અભિરાજ સિંહ છે, તે પણ વિદ્યાર્થિની સાથે ભણતો હતો. પોલીસે આખી લો કોલેજને સીલ કરી દીધી છે, પોલીસ હત્યાના કારણોની તપાસ કરી રહી છે. જ્યારે છોકરીની માતાએ આરોપ લગાવ્યો કે કોલેજમાંથી તેમને કહેવામાં આવ્યું કે નાનો ઝઘડો થયો છે અને તેમની દીકરીને ઈજા થઈ છે. તેઓ કોલેજ પહોંચ્યા ત્યારે દીકરી મૃત હાલતમાં પડી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હજુ ઘટના પાછળનું કારણ સામે આવ્યું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ તેને એકતરફી પ્રેમ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. પોલીસને શંકા છે કે યુવકે વેલેન્ટાઈન વીકમાં 8 ફેબ્રુઆરીએ વિદ્યાર્થિનીને પ્રપોઝ કર્યું હતું પરંતુ તેણે ઇનકાર કરી દીધો. જ્યારે વિદ્યાર્થિની રાજી ન થઈ તો વિદ્યાર્થીએ આ પગલું ભર્યું. પહેલા આ વીડિયો જુઓ… ઘટના પછીના 2 PHOTOS… ક્લાસરૂમમાં પડેલી છોકરીની લાશ. ઇનસેટમાં મૃતક સંદીપ કૌરનો ફાઇલ ફોટો. - Divya Bhaskar ક્લાસરૂમમાં પડેલી છોકરીની લાશ. ઇનસેટમાં મૃતક સંદીપ કૌરનો ફાઇલ ફોટો. ઘટના બાદ બેન્ચ પર પડેલી આરોપીની પિસ્તોલ. - Divya Bhaskar ઘટના બાદ બેન્ચ પર પડેલી આરોપીની પિસ્તોલ. ક્લાસરૂમમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીની હત્યા કેવી રીતે કરી હત્યા સાથે જોડાયેલ કોલેજના ક્લાસરૂમના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજ સવારે લગભગ 9 વાગ્યાના છે. ત્યારે ક્લાસમાં ભણવાનું શરૂ થયું ન હતું. બધા વિદ્યાર્થીઓ ક્લાસમાં જ ફરી રહ્યા હતા. આ દરમિયાન આરોપી વિદ્યાર્થી હાથમાં પિસ્તોલ લઈને ક્લાસરૂમમાં દાખલ થયો. તે સીધો આગળ આવ્યો. ત્યાં સંદીપ કૌર પોતાની સહેલી સાથે બેન્ચ પર બેઠી હતી. આરોપીએ થોડીવાર તેની સાથે દલીલ કરી. આ પછી તેણે પિસ્તોલ તાણી અને વિદ્યાર્થિનીના માથા પર અડાડીને ગોળી મારી દીધી. ગોળી વાગતા જ વિદ્યાર્થિની ધડામ દઈને નીચે પડી ગઈ. આ જોઈ તેની સાથે ઉભેલી સહેલી પણ સ્તબ્ધ રહી ગઈ. તે સંદીપ કૌર તરફ ઝૂકે, તે પહેલા યુવકે ફરીથી પિસ્તોલ લોડ કરી લીધી. બિલકુલ બાજુમાં જ તેણે પોતાના માથા પર અડાડીને પોતાને ગોળી મારી લીધી. જેના કારણે તે પણ નીચે પડી ગયો. આ પછી વિદ્યાર્થિનીએ પહેલા સંદીપ કૌરને ઉઠાવવાનો પ્રયાસ કર્યો પરંતુ પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારવાના કારણે તેનું મગજ ફાટી ગયું હતું અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. આ જોઈને તે બહારની તરફ ભાગી અને કોલેજ મેનેજમેન્ટને જણાવવા પહોંચી. આ દરમિયાન બાકીના વિદ્યાર્થીઓ પણ ત્યાં આવી ગયા. જેના પછી તરત જ પોલીસને જાણ કરવામાં આવી. માતા બોલી- મને ફોન કરીને કહ્યું, દીકરીને ઈજા થઈ છે, જલદી આવો છોકરીની માતા હરજિંદર કૌરે જણાવ્યું કે દીકરી સંદીપ કૌર સવારે સારી રીતે ઘરેથી તૈયાર થઈને આવી હતી. તેનો કોઈની સાથે કોઈ ઝઘડો નહોતો. કોલેજની મેડમે ફોન કરીને કહ્યું કે તમારી દીકરીને ખૂબ ઈજા થઈ છે, જલદી આવો. હું કોલેજ આવી તો જોયું કે મારી દીકરીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. છોકરીનું શરીર સંપૂર્ણપણે લોહીથી લથપથ હતું. તેના મગજમાં ગોળી મારવામાં આવી છે. અમને જાણવા મળ્યું છે કે તરનતારનનો એક છોકરો છે, તેણે ગોળી ચલાવી છે. પિસ્તોલ પણ અંદર જ પડેલી મળી હતી. પોલીસે અમને લાશની નજીક પણ જવા દીધા નહોતા. મૃતક વિદ્યાર્થીનીના પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે. તેની 6 બહેનો છે અને એક નાનો ભાઈ છે.ઘટના બાદ સ્થળ પર પહોંચેલા વાલીઓએ કહ્યું કે અહીં બાળકોની કોઈ સુરક્ષા જ નથી. કોઈએ એ તપાસ્યું નહીં કે વિદ્યાર્થી પિસ્તોલ લઈને અંદર આવી રહ્યો છે. પછી માતાને ઘરે ફોન કરીને કહેવામાં આવે છે કે તેમની દીકરીનો નાનો ઝઘડો થયો છે. લડાઈમાં તેનું માથું ફાટી ગયું છે. જ્યારે આવીને તપાસ કરી, તો છોકરીને ગોળી વાગી હતી. અમે પ્રશાસન પાસે માંગ કરીએ છીએ કે કોલેજ મેનેજમેન્ટ પર કાર્યવાહી થાય. #આજના સમાચાર #🔥 બિગ અપડેટ્સ #તાજા સમાચાર #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો
21 likes
23 shares