#😯ગોવિંદાને પત્નીએ ખખડાવ્યો, બોલિવૂડનો 'હીરો નં.1' ગોવિંદા તેની પત્ની સુનિતા સાથેના સંબંધને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. થોડા સમય પહેલાં તેમના છૂટાછેડા સમાચાર પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. એવામાં સુનિતા આહુજાએ ફરી જાહેરમાં કબૂલ્યું છે કે ગોવિંદા ન તો સારો પતિ છે અને ન તો સારો પિતા. તેણે પતિને જાહેરમાં ખખડાવ્યો છે અને તેના અફેરની ચર્ચા વિશે ધમકી પણ આપી છે.વાસ્તવમાં સુનિતા આહુજાએ 'મિસ માલિની'ના પોડકાસ્ટ પર ગોવિંદાના અફેર વિશે ખૂલીને વાત કરી છે. સુનિતાએ એ પણ દાવો કર્યો છે કે દીકરા યશની કારકિર્દી પર ગોવિંદાએ રતીભાર પણ મદદ કરી નથી. સુનિતાએ ગોવિંદાને બેજવાબદાર પિતા ગણાવ્યો છે. હાલમાં પોડકાસ્ટનો માત્ર પ્રોમો જ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.પોડકાસ્ટના પ્રોમોની શરૂઆતમાં સુનિતા કહે છે, 'હું ગોવિંદાને ક્યારેય માફ નહીં કરું. હું નેપાળની છું. ખુકરી (નેપાળનું પરંપરાગત શસ્ત્ર- વળાંકવાળી છરી કે નાની તલવાર) કાઢી લઈશ ને તો બધાની હાલત બગડી જશે. એટલે જ કહું છું કે સતર્ક થઈ જા બેટા, હજુ પણ સમય છે.'બાદમાં ગોવિંદાના અફેરની હિન્ટ આપતાં સુનિતાએ કહ્યું, 'એવી ઘણી છોકરીઓ આવી, પણ તું થોડો બુદ્ધિ વગરનો છે. તું 63 વર્ષનો થઈ ગયો છે.' બાદમાં સુનિતા કોઈ છોકરીનું નામ લે છે, પરંતુ પ્રોમોમાં એને મ્યૂટ કરી દેવામાં આવ્યું છે. તે કહે છે, 'મને આ નામથી નફરત છે. આ નામ હટાવી દો.'પછી તે તેના હાથમાં રહેલી માળા દેખાડતાં કહે છે, 'આ મારા કૃષ્ણ ભગવાનની છે, વૈજયંતીમાળા. મને રાધા-કૃષ્ણ પર ખૂબ શ્રદ્ધા છે. પતિ ગોવિંદા છે ને એટલે. એટલે જ ઘણી ગોપીઓ છે. એ જ ખોટું છે ને. તેને ખબર નથી, પછી હું દુર્ગાનું રૂપ ધારણ કરી લઈશ.સુનિતાએ એ પણ દાવો કર્યો કે ગોવિંદા સારો પિતા બનવામાં પણ નિષ્ફળ સાબિત થયો છે. તેણે કહ્યું, 'તારે ટીના (દીકરી)ના લગ્ન કરાવવા જોઈએ. યશ (દીકરા)નું કરિયર સેટ કરવાનું છે. ગોવિંદાનો દીકરો હોવાના નાતે યશ ક્યારેય તેના પિતાને કહી નથી શકતો કે મારી મદદ કરી દો કે ક્યાંય ફોન લગાવી દો. ગોવિંદાએ પણ ક્યારેય તેની કોઈ મદદ કરી નથી. હું તો તેના મોઢા પર કહું છું કે ‘તું બાપ છો કે શું છો?’
#🔥 બિગ અપડેટ્સ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #🎶 એન્ટરટેનમેન્ટ એક્સપ્રેસ 🎬 #😎 સેલિબ્રિટી જંકશન