ભૂકંપ

147 Posts • 1M views
Sanjay ᗪesai
7K views 2 months ago
#😮6.2ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ, જાપાનના પશ્ચિમ કિનારે આવેલા શિમાને પ્રાંતમાં મંગળવારે, ૬ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૧૮ વાગ્યે ૬.૨ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો. જાપાન મેટિઓરોલોજિકલ એજન્સી (JMA) ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી આશરે ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે શિમાને અને પાડોશી તોત્તોરી પ્રાંતમાં ઈમારતો ધ્રૂજી ઉઠી હતી અને જાપાનના સિસ્મિક સ્કેલ પર તેની તીવ્રતા 'અપર 5' નોંધાઈ હતી. આ મુખ્ય આંચકા બાદ ૧૦:૨૮ વાગ્યે ૫.૧ અને ૧૦:૩૭ વાગ્યે ૫.૪ની તીવ્રતાના આફ્ટરશોક્સ પણ અનુભવાયા હતા.આ ભૂકંપ બાદ દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી, જે એક મોટી રાહતની વાત છે.ભૂકંપને કારણે થયેલા પાવર આઉટેજને લીધે પશ્ચિમ જાપાનમાં સાન્‍યો શિન્કાનસેન સેવાઓ અટકાવી દેવામાં આવી હતી, જોકે બપોરે ૧ વાગ્યાની આસપાસ તે ફરી શરૂ થઈ હતી.પ્રાથમિક અહેવાલો મુજબ, આ વિસ્તારમાં આવેલા પરમાણુ પાવર પ્લાન્ટ્સમાં કોઈ અસાધારણ ફેરફાર જોવા મળ્યા નથી. ચાર લોકોને ઈજા થવાને કારણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને કેટલીક ઈમારતોને સામાન્ય નુકસાન થયું હોવાના અહેવાલ છે. #🔥 બિગ અપડેટ્સ #આજના સમાચાર #તાજા સમાચાર #ભૂકંપ
19 likes
16 shares
Sanjay ᗪesai
28K views 2 months ago
#😱રાજકોટમાં ભૂકંપના 6 આંચકા, રાજકોટ: જિલ્લામાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર 3.3ની તીવ્રતાનો ભૂકંપ ઉપલેટામાં આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 30 કિમી દૂર હોવાનું સામે આવ્યું છે. આ ભૂકંપને કારણે જેતપુર, ધોરાજી સહિતના વિસ્તારોમાં ધરા ધ્રુજી હતી. આ ભૂકંપને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ફફડાટ જોવા મળ્યો છે. રાતના 8:45 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. જેમાં જેતલસર, પાંચ પીપળા, પેઢલા સહિતના ગામોમાં આ ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે.આ પહેલા રાજ્યમાં 26 ડિસેમ્બરે પરોઢના 4:30 વાગ્યાના સમયે કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારમાં 4.6 મેગ્નિટ્યુડનો ભૂકંપ અનુભવાયો હતો. દિવસ દરમિયાન કુલ 15થી વધુ આંચકા નોંધાયા છે. ત્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ રણીકાંઠા પાસે, રવમોટીથી આશરે 12.5 કિલોમીટર પશ્ચિમમાં નોંધાયું હતું. 4.6 મેગ્નિટ્યુડનો આ ભૂકંપ જમીનથી આશરે 5 કિલોમીટર નીચેથી ઉત્પન્ન થયો હતો, જે શૅલોઅર (અલ્પ-ઊંડાણ) કેટેગરીમાં આવે છે. આ કારણે ધ્રુજારીનું પ્રમાણ વધુ અનુભવાયું હતું અને પરોઢે જ લોકો ઘરમાંથી બહાર આવી ગયા હતા. આ વિસ્તારના પોચા પથ્થરો અને માટીના સ્તરોના કારણે ધ્રુજારી વધુ તીવ્ર અનુભૂતિ થઈ હતી.ભૂકંપ એવો પ્રાકૃતિક પ્રકૃતિનો ભાગ છે જેને રોકી શકાતો નથી. શાળા-કૉલેજના અભ્યાસક્રમમાં ભૂકંપની માહિતીને વધુ સામેલ કરવી જોઈએ અને દરેક ગામે, ઘરોમાં ભૂકંપ વખતે કર્મયોગી બચાવ માટે તાલીમ આપવી જરૂરી છે. બાંધકામ થતાં સમયે દરેક ઇમારત ભૂકંપપ્રૂફ માપદંડ મુજબ બને તે પણ અનિવાર્ય છે.ઉલ્લેખનીય છે કે 26 જાન્યુઆરીએ કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપને 25 વર્ષ પૂર્ણ થશે. આ પ્રસંગે આપણે એ ભૂકંપને એક ચેતવણી અને શિક્ષા તરીકે લેવી જોઈએ અને ભૂકંપ સાથે સલામતીપૂર્વક જીવતા શીખવાની તૈયારીઓ હવે જ શરૂ કરવી જોઈએ. #ભૂકંપ #તાજા સમાચાર #🔥 બિગ અપડેટ્સ #આજના સમાચાર
133 likes
185 shares