c.j. jadav
476 views
1 days ago
🍃🍃🌼🍃 સમસ્ત સત્સંગમાંથી ધર્મ-નિયમ વાળા ત્યાગી અને ગૃહસ્થ એમના અભાવ-અવગુણ લેવા અને નિંદા કરવી એ તો "પાપ" છે. અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રીએ સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી પાસે પોતે જ વચનામૃતનું રહસ્ય લખાવ્યું છે અને પોતે જ એની કથા પણ સાંભળી છે. આ રહસ્યાર્થમાં દોષ દેખાડવા અને એને ખોટું કહેવું એ તો "મહાપાપ" છે. હરિસ્વરૂપ સ્વામીની વાતોમાં આવીને કેટલાક એમના ચેલાઓ અત્યારે અભાવ અવગુણ લઈને સમસ્ત સત્સંગની ખૂબ જ નિંદા કરી રહ્યા છે અને દોષના ડુંગરા ખડકી રહ્યા છે. આવા હિન કૃત્ય કરવાથી કેટલાય જન્મ સુધી અક્ષરધામ મળતું નથી અને પ્રાયશ્ચિત કરવું પડે છે. કારણ કે અભાવ, અવગુણ અને નિંદા એ કાળા નાગના ઝેર જેવા છે. એમાં પડવાથી જે કંઈ સાધન કર્યા હોય કથા, વાર્તા, ભજન, ભક્તિ, વ્રત, ઉપવાસ વગેરે બળીને ખાખ થઈ જાય છે. એનું કોઈ ફળ મળતું નથી. જેવી રીતે 100 માણસોને જમવા માટે દૂધપાક બનાવ્યો હોય અને એમાં એક ચમચી ઝેર નાખે તો બધોય નકામો થઈ જાય એવી જ રીતે અભાવ અને અવગુણ મહારાજને રાજી કરવાના બધાય સાધન નકામા બનાવી દે છે. 👉🏼આ હરિસ્વરૂપસ્વામી જેવા બીજા કોઈ સાધુ ભવિષ્યમાં નહીં જાગે એની કોઈ ખાતરી નથી. અવળાં રસ્તે ચડાવશે. માટે જેને કલ્યાણ જોઈતું હોય અને શ્રીજીમહારાજને રાજી કરવા હોય એમણે ક્યારેય આવા સાધુઓનો સંગ કરવો નહીં. અને અભાવ અવગુણમાં ક્યારેય પડવું નહીં. તો જ શ્રીજીમહારાજ અને અનંતમુક્ત રાજી થશે. જય સ્વામિનારાયણ.... #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗