ગુજરાતના આ જિલ્લામાં જીવલેણ રોગનો હુમલો! હોસ્પિટલમાં દર્દીઓના ખાટલા ખૂટી પડયા!
Jamnagar News: જામનગરમાં કમૌસમી માવઠાના કારણે બદલાયેલા વાતાવરણથી જિલ્લામાં રોગચાળો ચિંતાજનક રીતે વકરતો જાય છે. તેમાં પણ ખાસ કરીને ડેન્ગ્યૂ, શરદી, ઉઘરસ, તાવ અને મેલેરિયા જેવા રોગોના દર્દીઓમાં અનેકગણો ઉછાળો આવ્યો છે. ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં વકરતા રોગચાળાને કારણે દર્દીઓનો અનેકગણો ધસારો જોવા મળી રહ્યો છે.