c.j. jadav
1.6K views
11 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :-૨૦ સ્વામી ઈશ્વરચરણદાસજી તો મહાસમર્થ સદ્ગુરુશ્રી અને દિવ્ય સ્વરૂપ મુક્તરાજશ્રીના અરસપરસ હેતભાવ ને એકતા જાણી ગયા હતા, તેથી સદ્ગુરુશ્રીની સેવાની જેમ જ મુક્તરાજશ્રીને રાજી કરવા તત્પર રહેતા. એકાંતે જાય, ચંદન ચર્ચે, હાર પહેરાવે, મળે, પ્રાર્થના કરે, વચનામૃતમાંથી પ્રશ્નો પૂછે. મુક્તરાજશ્રી પણ સદ્દગુરુશ્રીના કૃપાપાત્ર શિષ્ય જાણી પ્રસન્ન થકા તેમની સેવા સ્વીકારે, રાજી થાય, માથે હાથ મૂકે, પ્રશ્નોત્તર કરે, શ્રીજીમહારાજ તથા મુક્તનો મહિમા કહે. સ્વામી તો તક મળે ત્યારે મુક્તરાજની અંગ સેવા કરવા માંડે; મુક્તરાજ બહુ ના કહ્યા કરે, તો ય અંગ સેવા કરે. એક વખત મુક્તરાજશ્રીએ સદ્ગુરુશ્રીને કહ્યું : “આ તમારા સાધુ ઈશ્વરચરણદાસજી સ્વામીને કાંઈક કહો ને? અમારી સેવા કરે છે, પણ આશ્રમ ફેર. તે ત્યાગી ને અમે ગૃહસ્થ. કોઈ અજાણ્યા આવે ને એમને ત્યાગી થઈને અમ ગૃહસ્થની સેવા કરતા જુએ તો સારું ન લાગે.” સદ્ગુરુશ્રીએ તરત સ્વામી ઈશ્વરચરણદાસજીને બોલાવ્યા, ને કહ્યું : “આ અનાદિ મુક્તરાજ ભાઈશ્રી કહે છે કે ‘આ સંત મારો મહિમા વધુ પડતો જાણે છે તે એમ ન કરે એમ કહો.' પણ આજથી હું તમને આજ્ઞા કરું છું કે જ્યાં સુધી તમારો દેહ રહે ત્યાં સુધી તમારે એમનો મહિમા અધિક અધિક જાણી રાજી કરવા, તેમાં કોઈ દિવસ તર્ક ન કરવો. આ પુરુષ બહુ મોટા છે, અલૌકિક દિવ્ય સ્વરૂપ છે, મૂર્તિમાં અખંડ રહ્યા છે ને એ દ્વારે શ્રીજીમહારાજ સર્વે ક્રિયા કરે છે, માટે તમને હું આશા કરું છું કે મારા ધામમાં ગયા પછી તેમને બહુ જ રાજી કરવા, કોઇ દિવસ તેમનું વચન ઉથાપવું નહિ.” મુક્તરાજશ્રી તો સદ્ગુરુશ્રીના આવાં વચન સાંભળી જ રહ્યા! પછી મુક્તરાજશ્રી કહે : “સ્વામી ! આવી ભલામણ કરવાનું મેં આપને કહ્યું હતું?” સદ્ગુરુશ્રી કહે : “ભાઈશ્રી ! કોઈ ન જાણે તેવા નાના થઈન રહેવાનું પ્રકરણ હવે દયા કરીને ફેરવો! હવે તમારી પાસે જે કોઈ સાધુ-હરિભક્ત મહિમા જાણીને આવે તેને મૂર્તિ ના સુખની વાતો કરી સુખિયા કરજો. શ્રીજીમહારાજ પાસે પ્રાર્થના કરીને તમને અહીં-આ લોકમાં - રખાવ્યા છે તેથી હવે બહુ ઢાંકશો માં!” ત્યાર પછી સદ્દગુરુશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે મુક્તરાજશ્રીની ચંદન-કુંકુમ ને ફૂલહારથી પૂજા કરાવી, સદ્ગુરુ. શ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીનો હાથ ઝાલીને મુક્તરાજશ્રીના હાથમાં આપ્યો ને કહ્યું: “આ સાધુ તમારા છે, તમે એને સુખિયા કરજો.” ત્યારે મુક્તરાજશ્રી તેમના માથે બે હાથ મૂકીને બોલ્યા: “ સ્વામી! આ તો બહુ સમર્થ છે, ને તમારી પેઠે જ સર્વેને સુખિયા કરશે, ને અમે તેમને સુખિયા કરીશું.” મુક્તરાજ અબજીભાઈના મુખમાંથી આ વચન નીકળ્યા તે જ ક્ષણે સ્વામી ઈશ્વરચરણદાસજીને અપરોક્ષ અનુભવ થયો કે જાણે પોતે શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના અનવધિકાતિશય સુખમય સાકાર સ્વરૂપને વિષે, સાકારપણે રસબસ એ મૂર્તિના સુખમાં છે. હવે શ્રીજીની ઈચ્છાથી “શ્રીહરિજીના સર્વોપરી સ્વરૂપમાં રહીને મુક્તો મૂર્તિનું સુખ લે છે” તે અનાદિ મુક્તની સ્થિતિનો સિદ્ધાંત મુમુક્ષુઓને સમજાવવાનું કાર્ય કરવામાં શ્રીજીની અતિ પ્રસન્નતા છે તેમ તેમને સમજાઈ ગયું. પૂર્વાશ્રમમાં અસલાલીમાં સદ્દગુરુ નિર્ગુણદાસજી સ્વામીના પ્રથમ દર્શનથી જ જે અલૌકિકતા અનુભવી હતી, તેવા શ્રીહરિની કૃપા થતાં પોતે થઈ ગયા. સદ્ગુરુશ્રીએ પિતાશ્રી અમથા ભગતને કહેલું કે ‘હાથી કાંઈ કૂબામાં ને કૂબામાં બંધાયેલો રહેશે? મહારાજ આ બહેચર પાસે તો બહુ સેવા કરાવવાના છે', આ વાત સદ્ગુરુશ્રી તો પોતે જોઈને જ કહેતા હતા તેની આજે ખાત્રી થઈ. 🍃🍃🌼🍃🍃 #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર