અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા

c.j. jadav
622 views
1 days ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...            ભાઇ વણિક હતા. તેમાં વેણીરામ દિવ્ય દ્રષ્ટિવાળા હતા. તેથી પોતાના ઘરમાં એકાંત જગ્યામાં બેસીને શ્રીજી મહારાજનું ધ્યાન કરતા હતા. તે એક દિવસ તેમના ભાઇ પરશુરામે કહ્યું જે, હે મોટાભાઈ! તમો આ રીતે બેસીને શું કરો છો ? ત્યારે બોલ્યા જે, આ પૃથ્વી ઉપર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા છે. તેમનું ધ્યાન કરું છું. ત્યારે બોલ્યા જે, પુરુષોત્તમ ભગવાન કઇ જગ્યાએ પ્રગટ થયા છે ? ત્યારે બોલ્યા જે, નાની સરવાર્યમાં અયોધ્યાપુરીથી બે યોજન ઉત્તર છપૈયાપુરમાં હરિપ્રસાદ પાંડેના પુત્રભાવને પામીને હાલમાં ગુજરાત દેશને વિષે વિચરે છે. તેવું સાંભળીને પરશુરામ બોલ્યા જે, હે ભાઇ ! અમોને તે પુરુષોત્તમ ભગવાનનાં દર્શન કરાવો, ત્યારે તે વાત અમારા માન્યામાં આવે.ત્યારે તેની વૃત્તિ સાથે મેળવીને શ્રીજી મહારાજનાં દર્શન જેતલપુરના મહોત્સવમાં સર્વે સંતના મધ્યમાં ઉંચા સિંહાસન ઉપર બિરાજમાન અને દિવ્ય તેજોમય અલૌકિક આશ્ચર્યકારી મૂર્તિ જોઇને આ પ્રત્યક્ષ ભગવાન છે એમ નિશ્ચય કરતા હતા. તે પરશુરામ પ્રસન્ન મન વડે, ગદ્ગદ્ કંઠ થઇને મોટાભાઇને પગે લાગીને સ્તુતિ કરતા હતા. ત્યાર પછી કેટલાક દિવસ વિત્યાબાદ પોતાના કુટુંબ પરિવાર સાથે લઇને ગુજરાત દેશમાં શ્રીગઢપુરમાં આવીને શ્રીજી મહારાજનાં દર્શન કરતા હતા. પછી અંગો અંગને વિષે ભારે વસ્ત્ર-અલંકાર પહેરાવી મૂગલીપાઘ ધરાવીને સર્વે સંતની પૂજા કરી, પગે લાગીને બેઠા. પછી શ્રીજી મહારાજે તેમને હિન્દુસ્તાન દેશના સમાચાર પૂછીને રામપ્રતાપભાઇને ત્યાં ઉતારો અપાવ્યો. અને ઉન્મત્ત ગંગામાં સ્નાન કરતા સતા કેટલાક દિવસ રહીને શ્રીગોપીનાથ દેવના મંડપમાં જઈને દર્શન કરતા સતા, અતિપ્રેમ લાવીને ગાવણું કરતા હતા. એવી રીતે કેટલાક દિવસ રહીને પોતાના દેશમાં જવાની તૈયારી કરી. તે સમયને વિષે શ્રીજી મહારાજે પોતાની પાદુકાઓ તથા કેટલાંક પોતાનાં ચરણારવિંદ વિગેરે પ્રસાદીની વસ્તુઓ આપી. એટલે ત્યાં થકી દર્શન કરી ચાલ્યા તે પોતાના દેશમાં જતા હતા. ત્યારે તે પ્રસાદીની વસ્તુઓને જે કોઇ દેખે તેને તત્કાળ સમાધિ થતી હતી. એવી રીતે શ્રીજી મહારાજનો પ્રતાપ જોઈને પ્રગટ પ્રમાણ ભજન કરતા હતા.                       🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
c.j. jadav
1.1K views
3 days ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...            ત્યાર બાદ મૃત્યુ પછી જીવને બાર દિવસ સુધી ઘરનાં નેવાં ઉપર તેને રાખ્યો અને પછી તે યમોએ પૂછયું જે, તારે અર્થે કંઇ કર્યું ? તેવું સાંભળીને તત્કાળ રૂદન કરવા લાગ્યો અને બોલ્યો જે, હે ભાઇઓ ! મારા માટે કંઇ કર્યું નહીં. એમ કહ્યું ત્યાં તો મહાક્રોધ કરીને ત્યાં થકી એકદમ ચટીચોટ લીધો. તે ચાલતાં ચાલતાં જ્યારે તે યમદુત ભૂખ્યા થયા ત્યારે પ્રેતદેહને છરીથી કાપીને અંદર મશાલો નાંખીને સર્વે ખાવા લાગ્યા અને તે પ્રેતદેહમાંથી જીવ જાય નહીં. અને તે યમ પાસે એવી સિદ્ધિઓ હોય જે, એના મસ્તક ઉપર હાથ ધરે એટલે તરત હતો તેવો થઈ જાય અને વળી લોઢાના સોયા ઉપર ચલાવે. અને માથા ઉપર મુદ્ગળ મારે અને ખેરના અંગારાની મોટી મોટી ખાઈઓ ભરી હોય તેના ઉપર ચલાવે અને ઝેર પાયેલા છરા મારે ત્યારે મહાત્રાસનો ભર્યો રૂદન કરતો સર્વેને સાંભળતો જાય અને વળી કહે જે, અહો ! મેં ઘણા અનર્થ કર્યા અને ચોરીઓ, છીનાળાં આદિક ઘણાં કુકર્મ કરીને પારકું ધન હરીને ઘરેણાં કર્યાં. કુટુંબ પોપ્યું અને આ પાપી દેહનું પોષણ કર્યું. અરે ભગવન્ ! આખરી વખતે અહીં મારી પાસે કાંઈ ન મળે. તેવું સાંભળીને યમદુતો અતિક્રોધથી મહાકષ્ટ આપતા સતા તપાવેલા અંગારે બાળે અને ખીલે વિંધાય. તેવું મહાદુઃખ જોઇને ત્રાસ પામતો થકો રોઇ જતો હતો. અને કુટુંબીને સંભારતો જાય જે, અરે હું દુષ્ટ છું. તે તમારા માટે મેં ઘણાં પાપ કર્યાં. એમ કરતા થકા યમનાં નાકાં આવે ત્યાં તેના શરીરને છોલી લઇને બધું રૂધિર નીચોવી લેતા હતા. વળી ત્યાં થકી આગળ ચાલ્યા ત્યાં યમનાં છોકરાં આનંદ પામતાં આવે, તે મહા રીસનાં માર્યાં બટકાં ભરીને તોડી ખાય. ત્યારે બુમો પાડે, હાય હાય ઓય બાપરે, હું મરી ગયોરે, એવા શબ્દને મૂક્તો હતો. આ એક યમપુરીના માર્ગની વાર્તા થોડીક કહી છે. અને જેમ છે તેમ નથી કહી. આવી રીતે વચ્ચે સોળ પુર આવે છે. અને તેને વિષે અનંત પ્રકારનાં દુઃખ આ જીવ ભોગવે છે. ત્યાર પછી બારમી યમપુરીમાં ધર્મરાજાના સ્થાનકે દાક ચોકીએ લઇ જઇને તેને ધર્મરાજાની પાસે ઉભો કર્યો. ત્યાર પછી તેના ઘરે બાર માસ થયા ત્યારે વરસીનો દિવસ આવ્યો એટલે બ્રાહ્મણને જમાડીને ધર્મ કર્યો. જેમ પોતાને શોભે તે પ્રમાણે દાન-પુણ્ય કરીને તેનો શોક હતો તેને મૂક્યો. હવે ધર્મરાજા તેને પૂછવા લાગ્યા જે, શાં શાં પુણ્ય-પાપ તેં કર્યાં છે? તેવું સાંભળીને તે જીવ બોલ્યો જે, હે મહારાજ! મેં કોઇ દિવસ કંઇ પાપ તો કર્યું જ નથી. તેવું સાંભળીને તેના નામનો ચોપડો મંગાવીને અંદરથી આખી ઉંમરનું નામું કાઢી બતાવીને બોલ્યા જે, હે અપરાધી જીવ ! તું જો, આ પૂર્વે ચૌદ ઇન્દ્રિયોના દેવતા તેમણે આવીને વિગતવાર રતિ રતિનો જવાબ લખાવ્યો છે. તે હવે આ પાપની કોટડીઓ ભોગવ. એમ કહીને ચૌદ કરોડ યમને સોંપીને પોતાના ઉતારે ગયા.                       🍃🍃🌼🍃🍃 #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ
c.j. jadav
1.5K views
4 days ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...          એમ કરતાં સતાં એ જીવની અવિધ આવી રહી અને સર્વે શરીરની નાડીઓ બધી તણાવા માંડી તે સમયમાં ઝાડો-પેશાબ થઇ ગયો. અને આખા ગામમાં તેની ખબર પડતી હતી. જે, ભૂલોભાઇ દેહ મૂકે છે, એમ જાણી સર્વે સગાંસંબંધી દોડી આવ્યાં અને કહ્યું જે, હવે નવરાવો અને ચોકો કરાવીને દર્ભ પાથરો, એમ કહે છે એટલામાં તો ખાટલેથી તરત ભોંય નાખીને ઘરનાં માણસો પૂછવા લાગ્યાં જે, કંઇ લેણું દેણું. દાટ્યું હોય તો બતાવતો જા. ત્યારે કહે જે, મારી પાસે હવે કંઈ નથી. એમ કરતાં સતાં સર્વે કુટુંબીને જોઇને હૃદય ભરાઇ આવ્યું. એવો થકો વળી બોલ્યો જે, અહો ભાઇઓ ! તમો સર્વે અહીં રહેશો અને હું એકલો મરી જઇશ. એમ કહે છે એટલામાં તો ગોપીચંદનનો ચાંદલો કર્યો કે તુરત જમડા નજરે પડતા હતા. તેમને જોઇને અંતરમાં ત્રાસ થયો. તે ભેળું ગળું પણ બંધ થઇ ગયું. તે બોલાય નહીં અને બોલે કંઈ તો બોલાય કંઈ બીજું. ત્યારે તેની સ્ત્રીનું નામ વેવલીબાઇ હતું. એકદમ રીસ લાવીને બોલી ઉઠી જે, આજે જેઠ મહિનાનો દિવસ આવ્યો. અને લોક ખાતર નાખે, લાકડાં લાવે, આવી રીતે આજ કમાવાના દિવસ આવ્યા એટલે મારો પીટયો લાંબો થઇને સુતો. એમ સર્વેને સાંભળતાં ઉચ્ચે સ્વરથી બોલી. તે સાંભળીને તેના મનમાં એમ થયું જે અહો, હું નાનો હતો ત્યારે બળદ ચાર્યા, ભેંસો ચારી, એમ કરતાં મોટો થયો ત્યારે હળ હાંકયાં, કોસ તાણ્યો અને અડધી રાત્રે સીમમાં જતો. અને જ્યારે છ ઘડી રાત્રી જાય ત્યારે ઘેર આવતો અને કોઇ સારા પર્વના દિવસે નિરાંતે બેસીને મેં રોટલો ખાધો નથી. અને ચોરાનું મોઢું તો કોઇ દિવસ મેં જોયું જ નથી. અને ગદ્ધાવૈતરું કરવામાં મારો જીવ ગયો. હે મહારાજ ! આટલા વર્ષે મને નિરાંતે મરવા દીધો નહીં. એવી રીતે સંસારમાં સ્વાર્થની સગાઇ છે. હવે તેને યમ નજરે પડયા તે તુરત જ તે જીવને જમાની સાંભળી જે હાય હાય, આ યમ આવ્યા. એમ કહે છે, એટલામાં તો યમે રૂંધિ નાખીને નવ દ્વારે ચોકી મૂકીને કેટલાક યમ હાથમાં ધોકો લઇને શરીરમાંહી પ્રવેશ કરતા હતા. એટલે અંદર નવસો નવાણું નાડીઓ અને બોતેર કોઠા છે તેમાં જીવ દોડવા લાગ્યો. ત્યારે યમ ઉપર ધોકા મારે તેમ તેમ શ્વાસ ઉઠે તે જોઈને ઉપર માણસો બેઠા હોય તે એમ કહે જે અહો, ભાઈઓ ! આને ઉપશ્વાસ થયો. એમ કરતાં સતાં તે યમ મારે ત્યારે હાથ-પગ સર્વે પકડી રાખે. એટલે યમને મારતાં ઘણું સુગમ પડતું હતું. તેવું મહાદુઃખ જોઈને માંહી દોડતાં થકાં ઇન્દ્રિયો દ્વારે નાશી જવા આવે એટલે પ્રત્યેક ઈન્દ્રિયે યમને બેઠેલા જોઈને પાછો જીવ ત્રાસ પામીને અંદર પેસી ગયો. એટલામાં તો યમે પકડીને એકદમ સાંકળે બાંધી લીધો કે શ્વાસ મટી ગયો. તે જોઇને સંબંધીઓએ જાણ્યું જે, હવે મરી ગયો. ત્યારે તે વેવલીબાઇ કહેવા લાગી જે, આ પહેરેલું ધોતીયું કાઢી લ્યો. છોકરાં પહેરશે. અને એક જીર્ણ કટકો તેને પહેરાવો અને પછી મરણ પોક પાડો. એમ કહીને કટકો મગાવી પામરીની સોખ્ય ઘાલીને વટલોઇએ આગ કાઢી તથા સ્મશાને ગયા. દશમું સરાવીને એકાદશી સરાવી બારમું સરાવ્યું. તેરમું સરાવ્યું અને ગોરને શય્યા આપી અને ગામ ભાગોળે ચોખા મૂકીને જમાડ્યું. તે આ સર્વે પોતાની આબરૂ માટે કર્યું. અને અઢારે વર્ણને લાપસી ખવરાવી, અને જ્યારે તેને ચવાતું ન હતું તે વખતે તેણે સુવાળું માગ્યું ત્યારે વેવલીબાઇએ કહ્યું જે, સુવાળું તો તારે લાકડાંમાં છે એમ બોલી અને આ તો પોતાની પ્રતિષ્ઠા અને મોટાઇ સારૂં કર્યું.                         🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #એકાદશી ની શુભકામના ##જય સ્વામિનારાયણ
c.j. jadav
4.3K views
1 months ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર... ધ્યાન કરવાની રીત-૦૩                વળી તેને જમણે પડખે ઉર્ધ્વરેખાને મળતું ધનષ્યનું એક ચિહ્ન છે અને જે ભક્તજન તે ધનુષ્યરૂપી ચિહ્નનું ધ્યાન કરે છે તો તે ભક્તજનથી કામાદિક શત્રુ હારે છે અને કોઈ પ્રકારે તે શત્રુ નડતા નથી. અને તે ચરણની પાનીને વિષે ત્રિકોણનું એક ચિહ્ન છે. જે ભક્તજન તે ત્રિકોણરૂપી ચિહ્નનું ધ્યાન કરે છે. તો તે ત્રિવિધના તાપને ટાળીને સ્થુલાદિક ત્રણ દેહનો ત્યાગ કરીને બ્રહ્મમય દેહને પામીને અક્ષરધામને વિષે ઘનશ્યામ મહારાજની સેવામાં રહે છે. અને તેની નીચે એક મત્સ્યનું ચિહ્ન છે. જે ભક્તજન તે મત્સ્યરૂપી ચિહ્નનું ધ્યાન કરે, તો તે ભક્તજનને એવો ગુણ પ્રાપ્ત થાય છે જે, સંસારમાં રહે તો પણ સંસારરૂપી જળમાં પરાભવ પામે નહીં. અને તે ચરણની બહારની ઘૂંટી ઉપર આસનનાં ઘસારાનું એક શ્યામ ચિહ્ન છે. અને તે ડાબા ચરણની ઘૂંટીથી પાંચ તસુ ઊંચો જંઘાને વિષે મોટો એક તિલ છે, તે તિલથી ઉપર પાસે જ નાનો એક તિલ છે અને તે જાનુને આગળ ને પડખે ઘસારાનું એક શ્યામ ચિહ્ન છે અને તે જાનુને બહારને પડખે એક નાનું ખાંપાનું ચિહ્ન છે અને કટીને વિષે બે બાજુ ધોતીના ઘસારાનું શ્યામરેખા રૂપે એક ચિહ્ન છે. અને ઉદર તે ઉપડતું અને શીતળ અને નીચેથી વિશાળ અને ઉપરથી સંકીર્ણ છે અને તે પીપળના પત્રાકારે છે, તેમાં નાભીકૂપતે ઊંડો ગોળ ભ્રમર આકારે શોભાયમાન અને ધ્યેય છે અને તે નાભીકૂપને મધ્યે અને ઉપર અને નીચે ત્રિવળી સુંદર શોભાયમાન છે અને વળી નાભીને જમણે કાંઠે એક તિલ છે અને તે નાભીને ડાબે પડખે થોડેક છેટે એક તિલ છે અને વળી તે નાભીથી બે તસુ ઉંચા ત્રણ તિલ છે અને તેમાં બે નળ ઉપર એક એક છે અને એક વચ્ચે છે અને તે વચલા તિલથી બે તસુ ઉંચો એક તિલ છે અને જમણી કુખમાં એક નાનો અને બીજો મોટો એવી રીતે બે તિલ છે અને ડાબી કુખમાં મોટા ચાર તિલની ઉભી એક પંક્તિ છે અને વળી તેના બહારના પડખે નાના ચાર તિલની ઉભી એક હાર છે અને બગલને વિષે ત્રણ તિલની ઉભી એક પંક્તિ છે. હૃદયને વિષે બે સ્તન વચ્ચે રોમનું શ્રીવત્સ સંજ્ઞિક એક ચિહ્ન છે અને છાતી વિશાળ ઉપડતી અને તેજસ્વી છે અને તે ધ્યેય છે અને તે છાતીના વચ્ચે થોડુંક રક્ત અને પાંચ તસુ પહોળું અને જમણી બાજુ કંઇક ચડીયાતું અર્ધચંદ્રાકારે એક ચિહ્ન છે અને તે ચિહ્નના મધ્યમાં છાતીની ડાબી બાજુ એક તિલ છે અને ડાબી કોરે બે તસુ છેટે એક તિલ છે અને તેથી બે તસુ છેટે ડાબા સ્તન પાસે એક તિલ છે અને વળી છાતીને મધ્યે એક વિનગુણહારનું ચિહ્ન છે અને વળી એ સ્તન તે ગોળ અને ઉપર ચારે બાજુ ઝીણાં ઝીણાં રોમ યુક્ત છે. તે જાણીયે બે શ્યામ મણીયું હોયને શું? એવા અતિ શોભાયમાન અને ધ્યેય છે અને બે સ્તન ઉપર બે છાપનાં ચિહ્ન છે અને જમણી ભૂજાની માંહીલી કોરે સમીપે ચાર તિલની એક ઉભી પંક્તિ છે અને વળી તે જમણી ભૂજાના મૂળથી ત્રણ તસુ નીચે એક છાપનું ચિહ્ન છે અને વળી તે ચિહ્નને બહારને પડખે સમીપે નાના ચાર તિલની એક ઉભી પંક્તિ છે અને તે હાથની કુણી ઉપર ઘસારાનું એક ચિહ્ન છે અને વળી તે હાથને માંહીલે પડખે કુણીથી નીચે અને મણિબંધથી ઉંચે બે તિલ છે અને વળી તેજ હાથની માંહેલે પડખે મણિબંધથી આઠ તસુ ઊંચુ એક છાપનું ચિહ્ન છે અને વળી તેજ હાથની છેલ્લી આંગળીના મૂળથી અર્ધતસુ ઉંચે નાનો એક તિલ છે અને વળી તેજ હાથની આંગળી ઉપર મૂળમાં ઝીણાં ઝીણાં રોમનાં ચિહ્ન છે અને વળી તે હાથના કરભ ઉપર સૂક્ષ્મ રોમનું એક ચિહ્ન છે અને ડાબી ભૂજાના મૂળથી ત્રણ તસુ નીચે એક છાપનું ચિહ્ન છે અને વળી તેજ હાથની કુણી ઉપર ઘસારાનું એક શ્યામ ચિહ્ન છે અને તેજ હાથના બહારના પડખે કુંણીથી બે તસુ નીચે એક તિલ છે. અને તેજ હાથના મણિબંધથી આઠ તસુ ઉંચુ એક છાપનું ચિહ્ન છે અને તેજ હાથના અંગુઠા પાસેની આંગળીને માંહિલે પડખે નખની પાસે એક નાનો તિલ છે અને તેજ આંગળી અને વચલી આંગળીના મધ્યમાં એક તિલ છે અને તેજ હાથનાં પોંચા મધ્યે એક તિલ છે અને તેજ હાથની આંગળીઓનાં મૂળ ઉપર ઝીણાં ઝીણાં રોમનાં ચિન્હ છે.                        🍃🍃🌼🍃🍃 #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ
c.j. jadav
1.9K views
1 months ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...         રામશરણજી ! વળી એક સમયે શ્રીજી મહારાજ શ્રીભુજ-નગરમાં ગંગારામભાઈના ઘેર બિરાજમાન હતા. તે સમયે શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ ! શાંતિ શેણે કરીને થાય ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, અમો છપૈયાપુરને વિષે ધર્મભક્તિને ઘેર જન્મ ધારણ કર્યો. તે જન્મ ધારણ કરીને ત્યાં અનંત પ્રકારનાં બાળ-ચરિત્ર કર્યા તથા અમોને યજ્ઞોપવિત દીધી તથા અમારાં માતાપિતા ને દેહ ત્યાગ કરાવીને અમો વનવિચરણ કરવા માટે નીકળ્યા તે જનકપુરી થઈને, ફરતા ફરતા હિમાલયની ઝાડી ઉલ્લંઘીને પુલહાશ્રમને પામ્યા. અને ત્યાં ગંડકી નદીને કીનારે જ્યાં ભરતજીએ તપ કર્યું છે. ત્યાં અમો એક પગે ઉભા રહીને બાહુ ઉંચા રાખીને કેટલાક માસ તપ કર્યું, ત્યારે અમારા ઉપર સૂર્યનારાયણ પ્રસન્ન થયા. તે થકી વર પામીને ચાલ્યા તે કેટલાક દિવસે ફરત ફરતા નવલખા પર્વત ઉપર ચઢ્યા અને ત્યાં નવલાખ જોગી અમારે અર્થે તપ કરતા હતા તેમને સિદ્ધગતી આપીને ત્યાં થકી ચાલ્યા, તે શ્રીજગન્નાથપુરીમાં આવ્યા અને ત્યાં કેટલાક પૃથ્વીના ભારરૂપ અસુરોને પરસ્પર મોહ પમાડીને નાશ કરતા થકા ચાલ્યા, તે દક્ષિણ દેશને ઉલ્લંઘીને રૈવતાચલ પર્વતની છાયામાં પીપલાણા ગામને વિષે શ્રીરામાનંદ સ્વામીને મળ્યા. એવી રીતે ઘણીક લીલાની વાર્તા કરીને મૌન રહ્યા. ત્યારે સ્વામીએ જાણ્યું જે, મેં પ્રશ્ન પૂછયો તેનો ઉતર ન કર્યો અને આતો મહારાજે બીજી વાત કરી. ત્યારે સ્વામીએ ફરીથી પૂછ્યું જે, હે મહારાજ ! શાંતિ શેણે કરીને થાય ? ત્યારે શ્રીજી મહારાજે પ્રથમ જેવી લીલાની વાર્તા કરી હતી તેવીજ રીતે વળી ફરીથી તેની તે વાર્તા કરતા હતા. છતાં પણ સ્વામીને સમજણ પડી નહીં. ત્યારે અતિવૃદ્ધ સદાનંદ સ્વામીએ કહ્યું જે, હે સ્વામી !શ્રીજી મહારાજે કેવી રૂડી શાંતિ થવાના ઉપાયની વાર્તા કરી પણ તમોને સમજણ ન પડી. જુઓને, પૂર્વે પણ શ્રીવ્યાસ મુનિએ સત્તર પુરાણ કર્યાં પરંતુ પોતાને શાંતિ થઇ નહીં. ત્યારે નારદજીએ કહ્યું જે, તમોએ શ્રીકૃષ્ણ ભગવાનનાં બાળ ચરિત્રોનું વર્ણન કર્યું નથી. ત્યાં સુધી તમોએ કંઇ કર્યું નથી. તેવું સાંભળીને શ્રીમદ્ભાગવત કર્યું. ત્યારે પોતાને શાંતિ થઇ. તેમ આપણે પણ શ્રીજી મહારાજનાં બાળ-ચરિત્રનું અંતરમાં ચિંતવન કરવું અને તે લીલા નિત્યે ગાવી અને સાંભળવી, એવી ઘણીક મહિમાની વાર્તા કરતા હતા. ત્યારે મુક્તાનંદ સ્વામીના અંતરમાં શ્રીજી મહારાજના પ્રતાપની વાર્તા બરાબર સમજાતી હતી. ત્યારે પોતે જાણ્યું જે, આ શ્રીજી મહારાજનાં બાળચરિત્રમાં જેવી શાંતિ છે તેવી શાંતિ કોઇ પદાર્થમાં નથી. એમ જાણીને શ્રીજી મહારાજને અતિ પ્રેમમગ્ન થઇને દંડવત્ સ્તુતિ કરીને પોતાનો અપરાધ ક્ષમા કરાવીને, બે હાથ જોડીને પગે લાગતા હતા. ત્યાર પછી શ્રીજી મહારાજના જન્મથી આરંભીને સ્વધામમાં પધાર્યા ત્યાં સુધીનાં ચરિત્રનું શાસ્ત્ર ધર્માખ્યાન પોતે કરતા હતા. હે રામશરણજી ! આ શ્રીજી મહારાજનાં બાળચરિત્ર જે કોઈ જન રોગાદિકે કરીને મહા કષ્ટને પામેલો હોય તથા રાજ્યસમૃદ્ધિએ કરીને અવરાઇ ગયેલો હોય તે સર્વેજન શ્રદ્ધાએ સહિત પ્રેમમગ્ન થઈ ગાશે, સાંભળશે તથા જે કોઈ પ્રાણી અતિશય પાપી હોય તેના કાનમાં અજાણ્યે શબ્દ પડશે એટલે તેની સર્વે પિતૃઓ સહિત ઈકોતેર પેઢીનો ઉદ્ધાર થશે. અને અત્યંત મોક્ષ જે અક્ષરધામ તેને પામશે.                               🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ