અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા

c.j. jadav
1.3K views
1 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :-૨૭ એક મોડી રાત્રે મુક્તરાજશ્રી સૂતેલા હતા ત્યાંથી ઊઠીને માથે પાઘડી બાંધવા માંડ્યા. સ્વામી ઈશ્વરચરણદાસજી એ વખતે માળા ફેરવતા હતા. તેમણે આ જોયું, તેથી પોતે ઊઠ્યા. તે વખતે ઘડિયાળમાં જોયું તો રાત્રિનો દોઢ વાગ્યો હતો. સ્વામીશ્રી વિચાર કરે છે કે અત્યારે અડધી રાત્રે ભાઈશ્રી ક્યાં જતા હશે? એમ જાણી ભાઈશ્રી પાસે આવી પૂછ્યું. તો કહે: “સ્વામી! મારે વાડીએ જવું પડશે. ” સ્વામીશ્રી કહે: “અત્યારે?” તો કહે: “સુવર વાડીમાં પેઠા છે તે બાજરાનો બગાડ કરે છે ને છોકરાં સૂઈ રહ્યા છે. રખેવાળ છે તે બીજે ઠેકાણે ચાલ્યો ગયો છે.” સ્વામીશ્રી કહે: “એમ હોય તો ભલે પધારો.” થોડા સમય બાદ મુક્તરાજ મંદિરમાં પાછા આવ્યા. સ્વામીશ્રીને કહે: “આજ તો બીક કાઢી, એવું થયું કે અમે વાડીએ જતા હતા ત્યાં વાડીની નજીક એક ઓટો છે ત્યાં એક જન રહેતો હતો તે આડો ઊભો રહ્યો. અમારું તેજ દેખાડ્યું તેથી અંજાઈ ગયો. વાડીમાં જઈ સુવર ભગાડી, છોકરાંને જગાડી ભલામણ કરી પાછા ફર્યા તો યે એ જન તો ત્યાં જ ઊભો હતો. અમને જોઈને પ્રાર્થના કરવા માંડયો કે મારાં પાપ ઘણાં છે તેમાંથી મને છોડાવો, હું તમારે શરણે છું. અમે કહ્યું કે જા, બદ્રીકાશ્રમમાં, ત્યાં જઈ તપ કર. ત્યારે તે કહે : 'તમારું જ્યાં દર્શન થતું હોય ત્યાં મને મૂકજો !' તેથી અમને દયા આવી ગઈ તે અક્ષરધામમાં મૂકી દીધો ! ને ગામના માણસોને એ જગ્યાએ જતાઆવતાં બીક રહેતી તે ગઈ.” સ્વામીશ્રી તો જાણતા જ હતા કે સુવરને કાઢવાનું નિમિત્ત છે પણ કાંઈક અલૌકિકતા તેની પાછળ રહેલી છે. સૌ કોઈ એ વાત સાંભળી આશ્ચર્યમુગ્ધ થયા. તે અરસામાં એક દિવસ સ્વામી ઈશ્વરચરણદાસજીને આંખો દુઃખવા આવી. સ્વામીશ્રીને ગરમ વસ્તુ જમવામાં આવે તો એવું થઈ જતું. તેથી વંચાય નહિ ને પીડા થાય. તે આંખના દુ:ખાવાને કારણે એક સવારે સ્વામીશ્રી સૂઈ રહેલા હતા. મુક્તરાજ મંદિરમાં દર્શને આવ્યા ત્યારે જાણ્યું કે સ્વામીની તબિયત ઠીક નથી. સ્વામીશ્રીની પાસે જઈ ડાબો હાથ સ્વામીશ્રીના માથા પર રાખી જમણા હાથે વારા ફરતી બેય આંખો ઉઘાડી એક નજરે સામું જોઈને મુક્તરાજ બોલ્યા: “સ્વામી! તમારી આંખોમાં અમને બીજું કાંઈ દેખાતું નથી, એક શ્રીજીમહારાજની મૂર્તિ દેખાય છે!” એમ રમૂજ કરીને કહે : “હવે તમારે પંક્તિમાં જે આવે તે મહારાજને જમાડવું, કાંઈ નહીં નડે.” તે આશીર્વાદથી સ્વામીશ્રીને આંખનો દુ:ખાવો મટી ગયો ને ફરી કદી થયો નહીં. વળી એક દિવસ સ્વામીશ્રીને કેડમાં આંટી પડેલી તે આસનમાંથી ઉઠાય જ નહીં. પડખું ફેરવતાં પણ દુઃખાવો થાય. ઉધરસ આવે તો ય વસમું લાગે. મુક્તરાજશ્રીએ આ વાત જાણી ત્યારે પોતે કેડ ઉપર હાથ ફેરવ્યો ને પૂછ્યું : "સ્વામી ! ક્યાં આંટી પડી છે? બેઠા થાઓ જોઈએ.” સ્વામીશ્રી ઊભા થયા તો જાણે આંટી પડી જ નથી તેમ થઈ ગયું. આ રીતે મુક્તરાજશ્રીને અને સ્વામીશ્રીને અલૌકિક એકતા થઈ ગઈ હતી. સ.ગુ.શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ સ્વામી ઈશ્વરચરણદાસજીની સોંપણી મુક્તરાજશ્રીને કરી હતી તેથી મુક્તરાજશ્રી સ્વામીશ્રીનું હરહંમેશ ધ્યાન રાખતા, તેમને કોઈ પણ પ્રકારનું શરીરમાં દુ:ખ જણાય તો મુક્તરાજશ્રી ખમી શકતા નહિ. તે જ રીતે સ્વામીશ્રી પણ સદ્ગુરુશ્રીના વચને મુક્તરાજશ્રીને વિષે અનન્ય ગુરુભાવ રાખતા, ને અલંચ હેત રાખતા. મુક્તરાજશ્રી પણ સ્વામીશ્રી ઉપર પ્રસન્નતા જણાવી તેમને શ્રીજીમહારાજના રહસ્ય અભિપ્રાયની ચમત્કારી વાતો કરતા, ને રાજી કરતા, મુક્તરાજશ્રીને હવે પચાસ વર્ષ ઉપર થયા. તેમનામાં જણાતી દિવ્ય વાત્સલ્યતા અને સામાજિક રિવાજ અનુસાર મુક્તરાજશ્રીને સૌ કોઈ ‘અબજીબાપા’ કે 'બાપા' કહીને બોલાવતા. 🍃🍃🌼🍃🍃 #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
c.j. jadav
751 views
2 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :-૨૬ કેરા ગામમાં આચાર્યશ્રીએ મુક્તરાજને એકાંતે મળવા સારુ પોતાની પાસે પોતાના તંબુમાં બોલાવ્યા. ત્યારે મુક્તરાજશ્રી સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી વૃંદાવનદાસજીને સાથે લઈ પૂજ્ય મહારાજશ્રીના તંબુમાં ગયા. આચાર્ય મહારાજશ્રીએ કહ્યું. “શ્રીજીમહારાજે તમને જીવોના મોક્ષ કરવા મોકલ્યા છે—એમ અમે સ્વામી નિર્ગુણદાસજી પાસેથી ઘણી વાર સાંભળ્યું હતું.” એમ કહી તેઓશ્રીએ બહુ રાજીપો બતાવ્યો. સદ્દગુરુ અક્ષરજીવનદાસજી સ્વામી, વૃંદાવનદાસજી સ્વામી, ઇશ્વરચરણદાસજી સ્વામી આદિ સંતમંડળ સહિત મુક્તરાજશ્રી આચાર્ય મહારાજશ્રીને વળાવવા અંજાર સુધી ગયા. સ્વામી ઈશ્વરચરણદાસજી કુંભારિયાથી મુક્તરાજશ્રી સાથે વૃષપુર આવ્યા, ને ત્યાં થોડા દિવસ મુક્તરાજશ્રીના જોગ-સમાગમનો લાભ લઈને અમદાવાદ તરફ આવ્યા. સં. ૧૯૫૪ની સાલ બેઠી છે. મુક્તરાજ અબજીભાઈના દર્શન-સમાગમ કરવા સારુ સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી વૃંદાવનદાસજી તથા મૂળીના સ્વામી બાળકૃષ્ણદાસજી, પુરાણી ધર્મકિશોરદાસજી આદિ સંતમંડળ તથા અમદાવાદ, મૂળી વગેરેના હરિભક્તો આવ્યા. સૌ અહોનિશ કથાવાર્તા-ધ્યાન-ભજનનુ સુખ લેતા હતા. એક દિવસ સ્વામી ઈશ્વરચરણ-દાસજીએ મુકતરાજશ્રીને પ્રશ્ન પૂછ્યો : “શ્રીજીમહારાજનું ધ્યાન કેવી રીતે કરવું?” પોતે તો તે જાણે જ છે, પોતાને તો શ્રીહરિકૃપા મળી ચૂકેલી જ છે, પણ અન્ય સૌના લાભને માટે જ સ્વામીશ્રી પ્રશ્ન પૂછે છે, તે જાણી મુકતરાજશ્રી બોલ્યા : “શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન કરવું,—તે મૂર્તિના નેજરૂપ થઈને ધ્યાન કરવું તેથી પણ પ્રતિલોમ વૃત્તિએ મૂર્તિમાં રહીને મૂર્તિનું ધ્યાન કરવું તે વિશેષ છે ને પોતાને મળી જે શ્રીજીમહારાજની મૂર્તિ તેનું જ ધ્યાન કરવું, ને ધ્યાન કરતાં કરતાં ઉપશમ થાય ને દેહ ભૂલી જવાય ત્યારે મૂર્તિનું સુખ આવે, ને મૂર્તિનું સુખ આવે ત્યારે આત્મા કારણ—મહાકારણથી નોખો પડી પુરુષોત્તમરૂપ થાય, માટે ધ્યાનનો અભ્યાસ કરવો ને સર્વ ક્રિયામાં મૂર્તિ ભૂલવી નહિ. મૂર્તિમાં અખં શખંડ વૃત્તિ રાખવાનો અભ્યાસ કર્યા કરવો, ને શ્રીજીમહારાજની ઉપાસના સર્વોપરી સમજવી. શ્રીજીમહારાજ સદા દિવ્ય સાકારમૂર્તિ છે ને પ્રત્યક્ષ છે, એમ શ્રીજીમહારાજને સમજવા ને શ્રીજીમહારાજની આશામાં ફેર પડવા દેવો નહિ.” સભામાં સ્વામી ઈશ્વરચરણ-દાસજી તથા સ્વામી વૃંદાવનદાસજી પણ વાતો કરતા. સૌને અતિ આનંદ આનંદ વર્તતો. પછી વૃષપુરની બાજુના નારાયણપુર ગામના જાદવજી-ભાઈ મુક્તરાજશ્રી તથા સર્વે સંત-હરિભક્તને નારાયણપુર તેડી ગયા ને સેવા-સમાગમનો સર્વે એ લહાવ લીધો. ત્યાંથી કેસરાભાઈ દહીંસરા તેડી ગયા, ત્યાં તેમણે સર્વેને સેવા કરીને રાજી કર્યા. ત્યાંથી રામપુર ગયા, ત્યાં દેવરાજભાઈ આદિએ સેવા કરીને રાજી કર્યો. ને ત્યાંથી લક્ષ્મીરામભાઈના આગ્રહથી માંડવી બંદર આવ્યા. ત્યાં સર્વેએ કથાવાર્તાનો અતિ આનંદ માણ્યો. માંડવીથી સૌ ફરી વૃષપુર આવ્યા. સૌ આનંદસાગરમાં હિલોળા લેતા હતા! વૃષપુરમાં સદ્ગુરુઓ હોવાથી મુક્તરાજ આખો દિવસ મંદિરમાં જ રહેતા અને પોતાના ઘરે ફક્ત બે વખત જમવા માટે જતા. રાત્રો મંદિરમાં જ સૂઇ રહેતા. બધો વખત શ્રીજી-પ્રતાપની તથા મહિમાની વાતોનો પ્રસંગ ચાલ્યા કરતો. મુક્તરાજશ્રીને ખેતીકામની વાડીઓ હતી તેમાં પોતાના પુત્ર-પરિવાર દેખભાળ કરતા, પોતે સાધારણ રીતે દિવસમાં એકાદ આંટો વાડીએ જતા, પણ સંતમંડળ આવેલ હોવાથી વાડીએ જતા નહીં. એક મોડી રાત્રે મુક્તરાજશ્રી સૂતેલા હતા ત્યાંથી ઊઠીને માથે પાઘડી બાંધવા માંડ્યા. સ્વામી ઈશ્વરચરણદાસજી એ વખતે માળા ફેરવતા હતા. તેમણે આ જોયું, તેથી પોતે ઊઠ્યા. તે વખતે ઘડિયાળમાં જોયું તો રાત્રિનો દોઢ વાગ્યો હતો. 🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
c.j. jadav
694 views
5 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :-૨૪ સ્વામીશ્રી થોડો સમય મુક્તરાજશ્રી સાથે રહીને તેમની આજ્ઞા થતા પાછા અમદાવાદ આવ્યા. અમદાવાદથી સ્વામીશ્રી કપડવંજ પધાર્યા. જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં એ જ ઢાળ એ જ બ્રહ્મયજ્ઞ ને એ જ સૌ કોઈને દિવ્યાનંદમાં તરબોળ કરી દેવાની પ્રવૃત્તિ. રોજે બાળકો-કિશોરોને ભેગા કરે, સૌને ભગવત્સ્વરૂપમાં જોડે. ત્યાં મોઢ વણિક શ્રીકૃષ્ણભાઈનો દીકરો ચુનીલાલ રોજ સ્વામીશ્રીના સમાગમે આવે. તે ભાઈ મુંબઈમાં રહીને અભ્યાસ કરતા હતા. રજાઓમાં કપડવંજ આવે. તમને સુપાત્ર જાણી સ્વામીશ્રીએ શ્રીહરિ પ્રતાપની અને મુક્તોના મહિમાની વાત કરી અને પછી કહ્યું કે હાલ શ્રીહરિની ઈચ્છાથી પૃથ્વીલોકમાં દર્શન દેના એક મહામુક્ત કચ્છમાં ભુજ પાસે બળદિયા ગામે બિરાજે છે. તેમના દર્શન-પ્રસન્નતા ને આશીર્વાદથી ભગવાનના સ્વરૂપમાં સહેલાઈથી સ્થિતિ થાય છે. આ વાત ચુનીલાલના અંતરમાં ઉતરી ગઈ. તેમને કચ્છમાં જઈ મુક્તરાજ અબજીભાઈ ના દર્શનની અતિ ત્વરા થઈ ગઈ, પણ પોતાની રજાઓ પૂરી થઈ ગયેલી ને ભણવા માટે મુંબઈ પાછું ફરવાનું હતું. તેથી તેમણે સ્વામીશ્રીને વિનંતી કરી : “મારે મુક્તરાજશ્રીના દર્શન કરવા જ છે, પણ અત્યારે અનુકૂળતા નથી, પણ આપને મારી નમ્ર અરજ છે કે આપ જ્યારે તેમના દર્શને કચ્છમાં જાઓ ત્યારે મને મુંબઈ પત્રથી જણાવજો, એટલે હું ત્યાં દર્શને આવીશ. આપ ત્યાં હો ત્યારે હું ત્યાં દર્શને આવું તો મને વધુ દિવ્ય લાભ મળે. ” સ્વામીશ્રીએ એમનું મુંબઈનું સરનામું લઈ રાખ્યું. કપડવંજથી સ્વામીશ્રી લુણાવાડા પધાર્યા. હરિભક્તોને શ્રીહરિ વાર્તાથી આનંદ ઉપજાવતા થકા સંતો લુણાવાડામાં છે, ત્યાં કચ્છમાંથી મુક્તરાજશ્રીનો પત્ર આવ્યો કે ઉપરદળવાળા રામજીભાઈને મંદવાડ છે ને મળવાની તાણ બહુ હોવાથી અમે પ્રથમ મૂળી થઈ ઉપરદળ જઈશું. તમોને અનુકૂળ હોય તો ઉપરદળ ભેગા થજો. ઉપરદળ પહોંચવાની પાંચ-છ દિવસની વાર હતી તેથી સ્વામીશ્રી લુણાવાડાથી સુથરામપુર પધાર્યા. ત્યાં સુખરામભાઈ મોટા મુક્ત રહેતા હતા. એક-બે દિવસ ત્યાં રહી સુખરામ-ભાઈની રજા માગી, કહ્યું કે મુક્તરાજ અબજીભાઈ ઉપરદળ આવવાના છે તે અગાઉ ઉપરદળ પહોંચવું છે. સુખરામભાઈ કહે: "સ્વામી! તમે દયા કરીને આવ્યા છો તો અહીં નિરાંત કરીને રહો. તમારે મુક્તરાજ ભાઈશ્રીને મળવું છે તે વાતમાં હું ફેર પડવા નહિ દઉં. જ્યારે તેઓશ્રી કચ્છમાંથી રવાના થશે, ત્યારે હું તમને અહીંથી રજા આપીશ. ત્યાં સુધી તો રાજી થઈને રહો.” તેથી દસ દિવસ સંતો ત્યાં રહ્યા, ત્યાર પછી તેમણે સ્વામીશ્રીને રજા દીધી. સુખરામભાઈ એવા નિરાવરણ દષ્ટિવાળા હતા. સ્વામીશ્રી સહિત સંતો ઉપરદળ પહોંચ્યા, ત્યાર બાદ બે ફલાકે મુક્તરાજશ્રી સંધે સહિત ઉપરદળ પધાર્યા, રામજીભાઈ તો હેતની મૂર્તિ તાવમાં ને તાવમાં ઊભા થઈ દંડવતૂ કરવા લાગ્યા, ને બાથમાં લઈ મળ્યા. ત્રણ દિવસ તેમને રાજી કરી, મુક્તરાજશ્રી, સ્વામીશ્રી તથા સંત-હરિભક્તો ભાયલા થઈને ધોળકા પધાર્યા. સ.ગુ.શ્રી વૃંદાવનદાસજી સ્વામી તે વખતે ધોળકા મંદિરના મહંત હતા. મુક્તરાજશ્રી તથા સ્વામીશ્રી અને સંત-હરિભક્તોને આવેલા જાણીને સ્વામીશ્રી વૃંદાવનદાસજી બહુ જ રાજી થયા અને મુક્તરાજશ્રીની ખૂબ સેવા કરી પ્રસન્ન કર્યા. મુક્ત-રાજશ્રીએ રાજી થઈને સ્વામી વૃંદાવનદાસજીને શ્રીજીમહા-રાજની તેજોમય મૂર્તિના દર્શન કરાવ્યા ને પોતાની અનાદિ મુક્તની સ્થિતિનો અનુભવ કરાવી દીધો. 🍃🍃🌼🍃🍃 #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
c.j. jadav
945 views
9 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :-૨૧ હવે સદ્ગુરુશ્રીની રજા લઈ મુક્તરાજશ્રી સંધે સહિત કચ્છ પાછા પધાર્યા. સદ્ગુરુશ્રીના સંતો તથા હેતરુચિવાળા સંત-હરિભક્તો સદ્દગુરુશ્રીની સેવા ઉમંગથી કરે છે. ગામે-ગામના હરિભક્તો દર્શન કરવા આવે છે. કથા-વાર્તારૂપી બ્રહ્મયજ્ઞ તો અખંડ ચાલતો જ હોય. સદ્દગુરુશ્રી સૌ કોઈને ધર્મમર્યાદામાં રહેવાનું સમજાવતા અને વિશેષે તો મુક્તરાજ અબજીભાઈશ્રીનો જોગસમાગમ કરવાનું કહેતા. આ રીતે ભલામણ કરતાં ને સેવા-સમાગમ તથા દર્શનનું અંતિમ સુખ સૌને આપી રહેલા એવા સ.ગુ.શ્રી નિર્ગુણદાસજી સ્વામી, મુક્તરાજ અબજીભાઈએ અગાઉથી કહ્યું હતું તે જ પ્રમાણે, સંવત ૧૯૪૮ના આસો સુદ ૧ પડવાને રોજ રાત્રે એક વાગ્યે અલૌકિક પ્રતાપ જણાવી શ્રીજીમહારાજની મૂર્તિના સુખે સુખિયા થઈ ગયા. અમદાવાદ મંદિર અને શ્રી નરનારાયણદેવ દેશવિભા-ગના સમર્થ સદ્ગુરુના ભૌતિક દર્શન બંધ થયા જાણી અસંખ્ય સંત-હરિભક્તો બંને દેશવિભાગમાંથી આવ્યા ને સદ્દગુરુની યથાશાસ્ત્ર અંત્યેષ્ટિ કરી, સ્વામી ઈશ્વરચરણદાસજી સદ્દગુરુશ્રીને સદાય શ્રીજીમહારાજના દિવ્ય સ્વરૂપમાં અનુભવતા છતાં આ લોકના વિરહ-વ્યથાથી ઉદાસ થઈ ગયા. પારસમાંથી પારસ થાય તેવું જંગમતીર્થ શ્રીહરિજીએ બંધ કર્યું. હરિ મિલાયે સદ્ગુરુ, ગુરુને હરિકી રાહ દિખાઈ! સદ્ગુરુશ્રી સતત દિગ્દર્શક રહ્યા, ને આખરી વિદાય પહેલાં જ સુયોગ્ય પથદર્શન કરાવી દીધેલું, તેથી સદ્દગુરુશ્રીના મંડળના સંતોને વિરહવેદના હતી, વિરહથી અંતર ઉદાસ હતાં, પણ દિશાશૂન્ય ન હતાં. તેમાં યે વિશેષ તો સ્વામી ઇશ્વરચરણદાસજીને પોતાની સ્થિતિનું સતત અનુસંધાન અને મુક્તરાજ અબજીભાઈ સાથેની એકતા – એવા દ્રઢ થઈ ગયા હતા કે પોતાને સદ્ગુરુશ્રી સદાય ભેળા ને ભેળા અનુભવાતા. ઘેઘૂર વટવૃક્ષને જેમ વડવાઈઓ ફૂટતી જાય અને વધુ ને વધુ વિસ્તારમાં છાંયો થતો જાય, તેમ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયરૂપી વટવૃક્ષને મુક્તોરૂપી વડવાઈઓ છે, નવા નવા મુક્તો પધારે છે ને શ્રીહરિજીના પરમ સુખમય સ્વરૂપમાં મુમુક્ષુઓને જોડાવા માટે છાંયો થતો જાય છે! સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામીએ અનંત મુમુક્ષુઓને શ્રીહરિજીને વિષે જોડ્યા. સદ્ગુરુશ્રીના પરમ શિષ્ય સ્વામી ઈશ્વરચરણદાસજીનું જીવનકાર્ય પણ એ જ રીતે વધુ ને વધુ જીવોને સર્વોપરી ભગવત્સ્વરૂપમાં જોડવાનું બની રહ્યું. વડવાઇઓ વધતી વધતી ઘડની જેમ ટેકારૂપ બની જાય, તેમ સંપ્રદાયના વિકાસમાં આવા મુક્તો ટેકારૂપ બની ગયા. સદ્ગુરુશ્રી નિર્ગુણદાસજી સ્વામીની આજ્ઞા અને ભલામણ અનુસાર એમના મંડળના સંતો – પુરાણી શ્રીકૃષ્ણદાસજી, પુરાણી જોગેશ્વરદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી, આદિ – દર વર્ષે મહિનો – બે મહિના કચ્છમાં જઇ અનાદિ મુક્તરાજ અબજીભાઈના દર્શન-સેવા-સમાગમનો લાભ લેતા. સદ્-ગુરુશ્રીએ સ્પષ્ટ આશા કરી હતી કે અનાદિ મુક્તરાજ અબજીભાઈ શ્રીજીમહારાજની મૂર્તિના અખંડ સુખમાં જ રહેનારા છે. તેથી તે ગૃહસ્થ છે ને આપણે ત્યાગી છીએ, એવું કોઈ મનમાં ન રાખજો, અને એમનો વધુ ને વધુ લાભ લેજો. તે મુજબ સંતો મુક્તરાજશ્રીની સેવા-સમાગમ કરી મુક્તશ્રીને રાજી કરતા, મુક્તરાજશ્રી પણ સંતોને પોતાના ગુરુભાઈ અને સ્ત્રી-ધનના ખરા ત્યાગી ને શ્રીહરિજીના અનુરાગી જાણી શ્રીહરિ મહિમાની અને મૂર્તિના સુખની અદભત વાતો કરી સૌને આનંદમાં તરબોળ કરી દેતા. 🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
c.j. jadav
801 views
26 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- ૦૪ સં. ૧૯૪૨ માં ફાગણ સુદ આઠમના રોજ ધ૦ ધુ૦ આચાર્ય મહારાજશ્રી આયોધ્યાપ્રસાદજી મહારાજ અમદાવાદમાં ધામમાં પધાર્યા. શોક સંદેશ અસલાલી આવ્યો. સૌ હરિભક્તો મંદિરમાં ભેગા થયા. પોતાના આચાર્ય, ગુરુ અને જીવના સાચા સગા અદ્રશ્ય થતાં સૌ હરિભક્તોએ ગામના તળાવે જઈ, શોકમગ્ન હૃદયે શ્રીહરિની સ્મૃતિ સહ સાબોળ સ્નાન કર્યું. બહેચરભાઈના તો એ વર્તમાન દીક્ષાના ગુરુ હતા, તેથી સૌ હરિભક્તો જોડે બહેચરભાઈ પણ રડી પડયા. બહેચરભાઈને સાતમું વર્ષ ચાલે છે. પોતે ગામની નિશાળે જવા લાગ્યા છે. બહેચરભાઈનો વિદ્યાભ્યાસ સાહજિક ને ઉત્તમ જણાઈ આવે છે. નિશાળના શિક્ષક શ્રી ભાઈલાલ-ભાઈ જગજીવનભાઈને બહેચરભાઈ પ્યારા થઈ પડ્યા છે. નથી પૂરતાં કપડાં કે નથી પગમાં પગરખાં, પણ અભ્યાસની એકાગ્રતા ને કુશાગ્રતા સૌને આશ્ચર્યમુગ્ધ કરે છે. બાળમિત્રો શામળભાઈ લાલુભાઈ, પ્રભુદાસ શંકરભાઈ, જેઠાભાઈ શંકરભાઈ તો નિશાળમાં ને નિશાળ છૂટ્યા પછી પણ બહેચરભાઈની જોડે ને જોડે જ ફરે છે. નિશાળમાંથી છૂટીને બહેચરભાઈ પાસે ભણવા જવાનું બહાનું કાઢીને પણ તેમની પાસે આવે છે. બહેચરભાઈ પાસે ભગવવાર્તા સાંભળીને એ ત્રણે મિત્રો મંત્રમુગ્ધ થઈ જતા. વિદ્યાભ્યાસ સાથે ભજનસ્મરણ ને દર્શનાદિમાં વખત ગાળતા. ક્યારેક ક્યારેક – એકાદશી, પૂનમ, ઉત્તરાયણ જેવા દિવસોમાં – બાળમિત્રો પગે ચાલીને જેતલપુર દર્શને જાય. રસ્તે જતા ને આવતા બહેચરભાઈની વાણી તો અવિરત ચાલુ જ હોય ! એક વખત આવી રીતે બાળમિત્રો જેતલપુર જવા બહેચરભાઈ ને તો પગમાં પગરખા પણ નથી. ભાઈબંધો આગળ વધી રહ્યા છે ત્યાં શામળભાઈ ને જેઠાભાઈ પાછળ રહી જાય છે. કેડી ઉપર ધૂળ ખૂબ હતી. આગળ જઈ રહેલા બહેચરભાઈ અને પ્રભુદાસભાઈના પગલાંની છાપ ધૂળમાં પડેલી છે. જેઠાભાઈ શામળભાઈને બતાવે છે કે “જો! આ બહેચરના પગલાં ને આ પરભુના પગલાં !” શામળભાઈ કહે : “કેમ જાણ્યું કે આ બહેચરના જ પગલાં છે?” જેઠાભાઈ કહે: “ જો ! બહેચરના પગલાંની છાપમાં ઊભૌ રેખા હોય છે!” રસ્તામાં એક કૂવાને કાંઠે પાણી પીવા બેઠા, હાથ-પગ ધોઈ પાણી પીધું. ત્યારે શામળભાઈ કહે : “બહેચર ! તારા પગ તો બતાવ!” બહેચરભાઈએ મગ લાંબા કર્યા, ત્રણે ભાઈબંધો જોઈ રહ્યા કે બહેચરભાઈના પગમાં સુંદર ઊર્ધ્વરેખા અને પદ્મના ચિહ્નો અંકિત થયેલા હતા. શામળભાઈ તરત બોલી ઊઠયા: “મારા બાપા કહેતા કે જેના પગમાં ઊર્ધ્વરેખા હોય તે તો રાજા-મહારાજા થાય! બહેચર ! તું રાજા-મહારાજા બની જાય તો અમને યાદ કરજે!” બહેચરભાઈ મર્માળુ હસ્યા અને કહે: “શી ખબર રાજા-મહારાજા બનીશ કે શું બનીશ ! પણ તમે જો મને યાદ કરશો તો હું જરૂર તમને યાદ રાખીશ !" ગામની નિશાળમાં છ ધોરણ સુધી ભણવાની વ્યવસ્થા હતી. બહેચરભાઈ છ ધોરણ ભણી લઈને નિશાળેથી ઉતરી ગયા. પિતાશ્રીને ખેતીમાં મદદ કરે, માતુશ્રીને ઘરકામમાં મદદ કરે ને મંદિરમાં પધારેલા સંતમંડળની સેવા કરે. અનાદિ મુક્તરાજ સ.ગુ.શ્રી ગુણાતીતાનંદ સ્વામી વાત કરતા કે બાપના હૈયામાં સ્ત્રી છે તેથી છોકરાને પરણાવું-પરણાવું કરે છે! અમથાભાઈના હૈયામાં તો ભગવાન જ હતા, તેથી તેમણે બહેચરભાઈ કે નાના કસીભાઈને પરણાવવાના મનોરથ સેવ્યા જ ન હતા! જીબામાને ક્યારેક માતૃસહજ ભાવમાં લાગે કે દીકરાને પરણાવ્યા હોય તો સારું ! 🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
c.j. jadav
2.9K views
1 months ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...           એક સમયે ગ્વાલિયર પરગણે ગામ ધુવાબરાઇને વિષે એક મિશ્ર બ્રાહ્મણ તાલુકાદાર હતો. તે મહાશક્તિ પંથી હતો. અને જોબનધનના જોરમાં ચોરી અવેરી, મદ્ય-માંસમાં ભરપુર ફસાયેલો અને મહાકુકર્મી હતો. તે એક દિવસે શિવજીના ચોતરા ઉપર બેસીને લીલાગરભાંગ ઘુંટતો હતો. તે સમયે ચાર યમદૂત ક્રોધના ભર્યા હથિયાર સહિત વિકરાળરૂપે તેને લેવા માટે આવ્યા અને એકદમ જેર ઉપરથી હડસેલી પાડીને પાટવે પાટવે મારવા લાગ્યા. ત્યારે બરાડા પાડતો થકો એમ બોલ્યો જે, ઓય બાપરે ! મને આ ચાર સિપાઇઓએ મારી નાખ્યો. તે કોઇ હોય તો મને છોડાવો. એવી રીતે ઉચ્ચ સ્વરે બોલે, તે સાંભળીને તેનાં સગાંસંબંધી સર્વે ભેગાં થયાં અને કહેવા લાગ્યાં જે, હે કાલીપ્રસાદ! તને શું થાય છે ? ત્યારે તે બોલ્યો જે, હે માતાપિતા ! હે ભાઇઓ ! આ કાળા ડગલાવાળા ચાર સિપાઈ મને મારી નાખે છે, તેથી મને છોડાવો. ત્યારે તેમણે કહ્યું જે, રામ રામ કર. અહીં તો કોઇ સિપાઇ નથી અને કોણ તને મારે છે ? એમ કહીને તેને ઉપાડીને ઘરમાં લઇ ગયા અને ખાટલામાં સુવાડીને ચારે બાજુ દબાવીને સર્વે બેઠા. છતાંપણ તે યમના દૂત એમને એમ મારતા હતા, ત્યારે તે વાતની એકબીજાના કહેવાથી બધા ગામમાં ખબર પડી એટલે બીજાં કેટલાંક માણસો તેને જોવા સારૂં તેના ઘેર આવતાં હતાં. ત્યારે તેને જોઈને એમ બોલે જે, હે દાદા ! આ હજારો માણસ નિર્ભય થઈને ઉભાં ઉભાં જુએ છે, પરંતુ આ ચાર સિપાઇઓને કોઇ દૂર કરતા નથી. એમ કહીને ગાળો દેવા લાગ્યો. તેવું સાંભળીને સર્વે માણસોના મનમાં એમ થયું જે, આમને તો ગાંડીયો તાવ આવ્યો છે તેથી મુંઝારો થઇ ગયો છે. એમ કહીને પોતપોતાને ઘેર સર્વે ગયા. ત્યારે સવારમાં એક બાઇ શ્રીજી મહારાજનાં દર્શન કરેલી અને મહારાજનાં દ્રઢ નિશ્ચયવાળી એવી તે બાઈ જોવા માટે આવી. ત્યારે તે બાઇને જોઇને તે યમદૂત તત્કાળ તેની પાસેથી દૂર થઇ ગયા. ત્યારે તે બ્રાહ્મણ તત્કાળ ઉઠી ઉભો થઇને બોલ્યો જે, હે ડોસીમા ! અહિં તમારા આવવાથી આ ચાર સિપાઈ મને મારતા હતા તે બહાર નાસી ગયા માટે તમો બેસો. તેવું સાંભળીને તે બાઇએ જાણ્યું જે, આ બ્રાહ્મણ બહુ પાપી છે, તેને ધર્મરાજાએ પોતાના ચાર યમદૂત તેડવા માટે મોકલ્યા હશે, અને હું અહીં આવી તે મને શ્રીજી મહારાજની આશ્રિત જાણીને યમદૂત નાસી ગયા એવો પોતાના મનમાં વિચાર કરીને ત્યાં બેઠી. અને શ્રીજી મહારાજના પ્રગટપણાની વાર્તા કરીને નિયમ ધરાવીને કહ્યું જે, હવે તમોને આ સ્વામિનારાયણ નામનો મંત્ર આપું છું. તે મંત્રનો ઉચ્ચ સ્વરે કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ મુખેથી ઉચ્ચારણ કરજ્યો. એટલે તે સિપાઇઓ નહીં મારે, ત્યારે ભયને કારણે તે બાઇના કહેવા પ્રમાણે ભજન કરવા લાગ્યા. એટલામાં તો તે યમના દૂત ત્યાંથી મૂર્તિમાન ભાગ્યા. તેને સર્વે પ્રત્યક્ષ દેખતા હતા. તેવું મહા ચમત્કારી ચરિત્ર જોઇને સર્વે મનુષ્યો પ્રગટ શ્રીજી મહારાજનું વિશેષ ભજન કરતાં હતાં.                         🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗