c.j. jadav
627 views 2 days ago
🍃🌼🍃🍃 બાપાશ્રીએ લખાવેલા વચનામૃત રહસ્યાર્થનો સંપૂર્ણ ઇતિહાસ ભાગ - ૦૬ સાહિત્યની મોટી પ્રવૃત્તિ ઉપાડી હતી, તે છતાં ગામે-ગામ વિચરીને સૌને પોષણ આપવાની પ્રવૃત્તિ નો ચાલુ જ હતી. વળી, મુક્તરાજ બાપાશ્રીના દર્શન-સમાગમનો લાભલેવા-અપાવવા વર્ષોવર્ષ મહિનો-બે મહિના કચ્છમાં જવાનું પણ ચાલુ જ હતું. કચ્છમાંથી અમદાવાદ પાછા આવીને સદગુરુ શ્રી તો ફરીવાર વચનામૃતનું સંશોધન વાતોનું સંપાદન વગેરે સાહિત્ય સેવામાં પ્રવૃત્તિ થયા. ઝાલાવાડના ગામોના હરિભક્તોનો ખૂબ આગ્રહ જાણી, સદ્દગુરુશ્રી ધ્રાંગધ્રા, હળવદ, વાંટાવદર થઈ માલણિયાદ પધાર્યા. ગામેગામ ફરે, સૌ હરિભક્તોને કથાવાર્તાથી સુખિયા કરે, તે છતાં સાહિત્યની પ્રવૃત્તિ તો ચાલુ જ હોય. માલણિયાદમાં વચનામૃતની ટીકા ઉપરનું કામ ચાલતું હતું ત્યારે મુક્તરાજ બાપાશ્રીએ ચતુરભાઈ અમીચંદભાઈ ગાંધીને દર્શન આપી કહ્યું: “આ સ્વામી ઈશ્વરચરણદાસજી જે કાંઈ લખે છે કે વાતો કરે છે તે અમે પોતે જ કરીએ છીએ.” ઝાલાવાડ ઉપરાંત સદ્ગુરુશ્રીએ લીંબડીની આસપાસના ગામોમાં ફરી શ્રીહરિજીની શુદ્ધ ઉપાસના પ્રવર્તાવી, અને અનેક મુમુક્ષુ-ઓને સન્માર્ગે વાળી સુખિયા કર્યા. દરમ્યાન, 'વચનામૃત'ની બધી હસ્તલિખિત પ્રતો મેળવીને એક શુદ્ધ ને પ્રમાણભૂત પ્રત બનાવવાનું કામ અતિશય ચીવટ ને ખંતથી પૂરું થયું. વચનામૃતની શુદ્ધ પ્રમાણભૂત પ્રતને યોગ્ય પરિચ્છેદમાં વહેંચી નાખવામાં આવી. દરેક વચનામૃતમાંના પ્રશ્નોને જુદાં પરિચ્છેદમાં મૂકી તેને યોગ્ય નંબર આપવામાં આવ્યા. કોઈ કોઈ પ્રશ્ન કે કૃપાવાક્યમાં શ્રીજીએ એક કરતાં વધુ મુદ્દાઓ ચર્ચ્યા હોય તો તેને પણ છૂટાં પાડી દેવામાં આવ્યા. આ મુદ્દાઓને ‘બાબત' નામકરણ કરવામાં આવ્યું. આમ, દરેક વચનામૃતમાં મંગળાચરણના એક પરિચ્છેદ, ત્યાર બાદ શ્રીજીના કૃપાવાક્ય કે પ્રશ્ન દીઠ જુદો પરિચ્છેદ અને તેના નંબર, દરેક કૃપાવાક્ય કે પ્રશ્નની અંદરની બાબતો દીઠ જુદાં નંબર, એ રીતે વાંચવા-સમજવા-અભ્યાસ કરવામાં સુગમ એવું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું. વચનામૃતની ભાષા જેમની તેમ રાખી, તેમાં સહેજ પણ ફેરફાર કર્યા વિના, જોડણી સુધારી લેવામાં આવી. યોગ્ય વિરામ ચિહ્નો મૂકી વાંચવાની સરળતા કરવામાં આવી. આમ અતિશય ખંત ને ચીવટથી શુદ્ધ ને સુંદર પ્રત તૈયાર થઈ. એ પછી દરેકે દરેક વચનામૃતના ભાવાર્થ સદ્ગુરુશ્રીએ મુક્તરાજ બાપાશ્રીને પૂછી રાખ્યો હતો, તે મુજબ દરેક વચનામૃતના અંતે, તે વચનામૃતમાં શ્રીજીમહારાજનો કહેવાનો હાર્દ શું છે, તે મહારાજની શૈલીમાં સાદી ને સરળ ભાષામાં ભાવાર્થરૂપે તૈયાર થવા લાગ્યો. દરમ્યાન, વિશેષ અભ્યાસવાળાને માટે દરેક વચનામૃતમાંથી થતા પ્રશ્નો જુદા કાઢવામાં આવ્યા. સદ્ગુરુશ્રી એવા એવા પ્રશ્નો કાઢે કે એ પ્રશ્ન જોઈને જ એમના ઉપર વારી જઈએ! જવાબ તો હજી મુક્તરાજ બાપાશ્રીને એ પ્રશ્નો પૂછી ભેગા કરવાના હતા, જવાબ આપનારા તો જબરા હતા જ, પણ પ્રશ્ન પૂછનારા પણ અતિશય અસાધારણ હતા જ! જય સ્વામિનારાયણ. #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર
16 shares

More like this