c.j. jadav
651 views • 4 days ago
🍃🌼🍃🍃
બાપાશ્રીએ લખાવેલા વચનામૃત રહસ્યાર્થનો સંપૂર્ણ ઇતિહાસ ભાગ - ૦૪
શ્રીજીમહારાજના અંગત સચિવ-સેક્રેટરી-તરીકે જે સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ છે તેવા સદ્ગુરુ શુકાનંદ સ્વામી એમ કહેતા કે શ્રીજીમહારાજે જે વચનામૃતો કહ્યા તે મેં સાંભળીને લખ્યા, તે છતાં તે જ વચનામૃતોના અર્થ જ્યારે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પાસેથી સમજ્યો ત્યારે જ યથાર્થ જ્ઞાન થયું. સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી જે વચનામૃતના આચાર્ય જેવા ગણાતા તે પણ કહેતા કે વચનામૃતના અર્થ જો સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ ન સમજાવ્યા હોત તો કાચપ રહી જાત !
હકીકતમાં તો શ્રી સ્વામિનારાયણ ભગવાને શ્રીમુખે જ આ વાત કહી છે. ગઢડા મધ્ય પ્રકરણના ૧૩મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે: આવી ભગવત્સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહિ, અને સદગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ આ વાત સમજ્યામાં આવે છે; પણ પોતાની બુદ્ધિ બળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી.”
સદ્ગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રી પોતે શ્રી સ્વામિ નારાયણ ભગવાને અક્ષરધામથી આ લોકને વિષે અનેક જીવોના આત્યંતિક કલ્યાણ માટે મોકલેલા સિદ્ધ અનાદિમુક્ત હતા. તેમણે સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામીશ્રી પાસે ત્યાગીની દિક્ષા લીધી તે અગાઉથી જ વચનામૃતનો અસાધારણ અભ્યાસ કર્યો હતો. તેમને બસો તોતેર વચનામૃતો જિહવાગ્રે હતા. તે બધાં જ વચનામૃતના અર્થ સદ્ગુરુ નિર્ગુણદાસજી રવામીશ્રી પાસે રહ્યા ને દરમ્યાન જાણી લીધા હતા. સ્વામીશ્રી ઈશ્વરચરણદાસજી પાસે વચનામૃત અંગે જે કોઈ વાત કરવા આવે તે સૌ સ્વામીશ્રીના અસાધારણ અભ્યાસથી અત્યંત પ્રભાવિત થઈ જતા, તે છતાં સ્વામીશ્રી જ્યારે મુક્તરાજ અબજીબાપાશ્રી પાસે સમાગમ અર્થે રહ્યા ત્યારે મુક્તરાજશ્રીના મુખે શ્રીહરિજીના માહાત્મ્ય-ઐશ્વર્ય-પ્રતાપની વાતો અને વચનામૃતના રહસ્ય અભિપ્રાયો જાણ્યાં ત્યારે સ્વામીશ્રીને પણ “અહો ! અહો!” થઈ ગયું. શ્રીજીમહારાજના સ્વરૂપમાં લીન થઈને રહેલા અનાદિ મુક્તો અને એ સ્વરૂપની સન્મુખ રહેલા પરમ એકાંતિક મુક્તોને જેમ શ્રીજીમહારાજનું સુખ હરહંમેશ, હર પળ, હર ક્ષણ નવીન નવીન લાગે છે, તેમ મુક્તરાજ અબજીબાપાશ્રીના મુખથકી નીકળતી શ્રીજીમહારાજ અને મુક્તોના ઐશ્વર્ય-પ્રતાપ અને સુખ સંબંધી અનુભવવાણી નિત્ય નવીન ને ચમત્કારી લાગતી. એમ થાય કે જાણે એ વાણી સાંભળ્યા જ કરીએ, એમાં ઝીલ્યા જ કરીએ! ગંગા-જીના જળમાં ડૂબકી મારી જઈ, સતત આવ્યે જતા નવા ને નવા પાણીમાં ઝીલતા હોઈએ તેવી એ બાપાશ્રીની અનુભવવાણી હતી. બાપાશ્રી કહેતા: “આ શબ્દો તો શ્રીજીમહારાજના પડછંદા છે. સમુદ્રમાં જેમ વેળ આવે તે નહાવા પડેલાને સમુદ્રમાં નાણી જાય તેમ આ શબ્દો, સાંભળનારને શ્રીજી મહારાજમાં ખેંચી જાય છે.” મુક્તરાજ અબજીબાપાશ્રીના અનુભવજ્ઞાનની આ વાતો સાંભળવા સદ્ગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રી પોતે વરસોવરસ કચ્છમાં જતાં, એટલું જ નહીં પણ પોતાના હેતરુચિવાળા અમદાવાદ-જેતલપુર-ધોળકા-મૂળી ભુજના મંદિરના સંતોને અને સેંકડો-હજારો હરિભક્તોને તે વાણીનો લાભ લેવા લઈ જતા અને લાભ લેવરાવતા.
નથી ! તેમ છતાં સદ્ગુરુશ્રી ઇશ્વરચરણદાસજી સ્વામીશ્રીને ચેન નથી. નવી પેઢીના મુમુક્ષુઓ માટે હંમેશા ચિંતિત રહેતા.
જય સ્વામિનારાયણ. #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર
11 shares