🍃🍃🌼🍃🍃
નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :-51
સાહિત્યની મોટી પ્રવૃત્તિ ઉપાડી હતી, તે છતાં ગામે-ગામ વિચરીને સૌને પોષણ આપવાની પ્રવૃત્તિ તો ચાલુ જ હતી. વળી, મુક્તરાજ બાપાશ્રીના દર્શન-સમાગમનો લાભલેવા-અપાવવા વર્ષોવર્ષ મહિનો-બે મહિના કચ્છમાં જવાનું પણ ચાલુ જ હતું.
સં. ૧૯૭૦ની વસંતપંચમીનો સમૈયો મૂળીએ કરીને સ.ગુ.શ્રી વૃંદાવનદાસજી, સ.ગુ.શ્રી ધનશ્યામજીવનદાસજી સહિત સ.ગુ.શ્રી ઈશ્વરચરણદાસજી વૃષપુર પધાર્યા. સાથે સ્વામી નારાયણસેવકદાસજી, પુરાણી કેશવપ્રિયદાસજી સ્વામી, સ્વામી હરિપ્રસાદદાસજી, પુરાણી ધર્મકિશોરદાસજી સ્વામી તથા સ્વામી શ્વેતવું કુઠદાસજી, સ્વામી દેવજીવનદાસજી, આદિ સંતો તથા ઘણાં હરિભક્તો હતા. મુક્તરાજ બાપાશ્રી રાજી થઈને સૌને મળ્યા. કહે : “તમે બહુ દયા કરી પધાર્યા. અમારે આવા સંત વિના ઘડી યે ન ચાલે ને તમારે મંદિરના વ્યવહાર ને વારેવારે દેશમાં જવું પડે, તો ય તમારી દયા બહુ જેથી અમને ઘેર બેઠાં દર્શન આપો છો!” ત્યારે સદ્ગુરુ ઈશ્વર-ચરણદાસજી સ્વામી કહે : “અમને આપે એમ રાખ્યા છે, તેથી શું થાય? નહિ તો અમે અહીંથી કયારેય જઈએ નહિ, એવું થાય છે, પણ તમે આશા કરો છો એટલે જવું પડે છે.”—ને દિવ્યસભામાં દિવ્ય આનંદ વરસવા લાગ્યો ! સૌ કોઈએ દિવ્યવર્ષાના ઘૂંટડા પીધા, એવા પીધા કે સમય કયાં વહી ગયો તે કોઈને જાણ જ ન થઈ! નારાયણપુરથી ધનજી-ભાઈ આવી પોતાના ગામ પધારવા આગ્રહ કરે, તો મુક્ત-સ્વરૂપ ધનબા રામપુરાથી આગ્રહભર્યો સંદેશો મોકલે, તેથી સંત-હરિભક્તો સહિત બાપાશ્રી નારાયણપુર-રામપુરા પધારી ભારાસર પધાર્યા. ત્યાં સાત દિવસની શિક્ષાપત્રીની પારાયણ થઈ. ગામેગામથી હરિભક્તો આવે. બાપાશ્રીની સાથે સદ્ગુરુઓની સેવા સમાગમનો પણ લાભ લે.
🍃🍃🌼🍃🍃 #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર


