🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗

c.j. jadav
740 views
5 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 90 સદ્દગુરુશ્રીને જાણ થઈ કે રાજકોટના ભાઈ મણિલાલ પારેખે અંગ્રેજીમાં શ્રીજીમહારાજ ઉપર સુંદર પુસ્તક લખ્યું છે ને તેઓ અંગ્રેજી અને તત્ત્વજ્ઞાનના મોટા વિદ્વાન છે. સદ્દગુરુશ્રી મણિલાલભાઈને મળ્યા. રહસ્યાર્થ વચનામૃત અંગ્રેજીમાં ભાષાંતર કરવા તેમની સાથે વાટાઘાટો કરી. મણિલાલભાઈએ એવી શરત કરી કે મારા લખેલા દરેક પુસ્તકનો કોપીરાઈટ-પ્રસિદ્ધ કરવાનો હક્ક-હું જ રાખું છું, તેથી આ ભાષાંતર પણ મારા કૉપીરાઇટમાં રહેશે. સદ્દગુરુશ્રીને રુચિ એવી કે દરેક પુસ્તક સસ્તામાં સૌને ઉપલબ્ધ બની રહે તેવું કરવું, ને તેથી ‘કોપીરાઈટ' આપણી પાસે જ રાખવા. સદ્ગુરુશ્રી તો આર્ષદષ્ટા હતા. મણિલાલભાઈ એ સેવા કરી શકયા નહીં, તે છતાં સદ્ગુરુશ્રીએ મણિલાલભાઈની સરળતા ને વિદ્વતાથી રાજી થઈ તેમને આશીર્વાદ આપ્યા. કરાંચીથી નીકળતી વખતે સદ્દગુરુશ્રીએ કરાંચી-મંડળની સેવામૂર્તિ ને બાળબ્રહ્મચારી મુક્તરાજ સોમચંદભાઈને કહ્યું : “હવે ક્યારે અમારી સેવામાં રહેવા આવો છો? " સોમચંદ-ભાઈ કહે : “બાપજી! આપની આજ્ઞાની જ રાહ જોઉં છું.” બીજે દિવસે તેમણે નોકરીમાંથી રાજીનામું મૂકી દીધું. સદ્ગુરુશ્રી અમદાવાદ પધાર્યા. સંસ્કૃતમાં વચનામૃતનું ભાષાંતર પૂરું થયું હતું. તે છપાવવા માટેનું કાર્ય સદ્ગુરુશ્રીની આજ્ઞા અનુસાર શરૂ થયું. સં. ૧૯૯૪માં સદ્ગુરુ વૃંદાવનદાસજી સ્વામીશ્રી સાથે સદ્ગુરુશ્રી કડી પધાર્યા. ત્યાંથી ચુંવાળના ડાંગરવા પધારતા અગાઉ બંને સદ્ગુરુઓ પ.ભ. નારાયણભાઈ અમરસિંહભાઈના પ્રેમ-આગ્રહથી કમળાપુર પધાર્યા. નારાયણભાઈએ પોતાના હેતવાળા સગાંવહાલાંને બોલાવી રાખેલા. ઉત્સવ કરી, બંદૂકો ફોડી સદ્દગુરુઓનું સામૈયું કર્યું. તેમણે અર્ધો મણ પતાસા પ્રસાદ માટે લાવી રાખેલા, એ જાણે કે સદ્દગુરુશ્રી તો છુટ્ટા હાથે જ પ્રસાદી આપે! સદ્ગુરુશ્રીએ તે વખતે ખૂબ રાજીપો બતાવી બધાને પ્રસાદી વહેંચી ને શ્રીહરિજી તરફ સૌને ખેંચી લીધા. ત્રિભોવનભાઈ, લક્ષ્મણભાઈ, દેવજીભાઈ એ ત્રણેય ભાઈઓને જોઈને સદ્ગુરુશ્રી કહે: “આ તો આપણા છે!” નાનું સરખું વાક્ય ને અનુપમ ઉપલબ્ધિ ! એ જ ક્ષણથી તે ભાઈઓ અનુપમ સેવકો બની ગયા. ત્રણેયને સદ્ગુરુશ્રીએ પૂજા આપી, 'વચનામૃત’– 'બાપાશ્રીની વાતો'ના પુસ્તકો આપ્યા. આત્યંતિક કલ્યાણ આપી દીધું! સદ્ગુરુશ્રીના એ પ્રથમ પરિચયની વાત કરતા લક્ષ્મણભાઈ કહે: “સદ્દગુરુશ્રીની નજર એવી કે જેના ઉપર એક વાર એ નજર પડી જાય તેને ધામમાં તેડી જ જાય – એવી ખાતરી થઈ ગઈ!” સદ્દગુરુશ્રી પધાર્યા પછી જાણે એ જ દેખાયા કરે, ખેતરે જાય તો તે, ઘરે આવે તો ય તે! છ માસ પછી ત્રિભોવનભાઈથી રહેવાયું નહીં, સદ્-ગુરુશ્રીની સેવામાં રહેવા આવી ગયા ! સદ્ગુરુશ્રી કહે : “સાધુ થવું છે? કે મારું કહ્યું કરવું છે? - તમે પાછા જાવ, લક્ષ્મણ-ભાઈને મોકલો.” કુટુંબના મોટા દીકરા તેથી કુટુંબની જવાબદારી ત્રિભોવનભાઈ ઉપર હતી, પણ કમળાપુર છોડી સદ્ગુરુશ્રીના સાંનિધ્યમાં અમદાવાદ કામધંધો શોધી આવી ગયા ! ને લક્ષ્મણભાઈ સદ્ગુરુશ્રીની સેવામાં લાગી ગયા, તે સદ્ગુરુશ્રીએ ભૌતિકલીલા સંકેલી લીધી તે પછી જ ઘરે ગયા ! 'રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહિતના વચનામૃત'ના પ્રકાશન સાથે જે દિવ્ય પ્રકાશનની હારમાળા શરૂ થઈ હતી તે અબજી-બાપાશ્રીની વાતો ભાગ-૧, ભાગ-૨, શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખસાગર, વ્રજભાષામાં વચનામૃત, સંસ્કૃતમાં વચનામૃત, બ્રહ્મસૂત્રભાષ્ય, વિશિષ્ટાદ્વૈન સિદ્ધાંત સાગર સાથે લંબાતી ચાલી. પ્રકાશનકાર્યમાં હરિભક્તોએ સદ્દગુરુશ્રીની પ્રસન્નતા અર્થે લાખો રૂપિયા ભેટ ધર્યા. 🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ
c.j. jadav
901 views
8 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 87 સદ્દગુરુશ્રી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજની આજ્ઞાથી શ્રી વેદવ્યાસ રચિત 'બ્રહ્મસૂત્ર' ઉપર ભાષ્ય રચ્યું હતું. તે ભાષ્યની મૂળ સંસ્કૃતપ્રત સદ્ગુરુશ્રી ગોપાળાનંદ સ્વામીની પાસેથી સદ્ગુરુશ્રી નિર્ગુણદાસજી સ્વામીને મળી હતી, જેમણે તે મૂળપ્રત સદ્ગુરુશ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીને આપેલી હતી. તે પુસ્તક અપ્રસિદ્ધ પડી રહ્યું હતું. તેને પ્રકાશિત કરવાનું કાર્ય સદ્ગુરુશ્રીએ હાથમાં લીધું. તે વખતે તેઓશ્રીને લાગ્યું કે સંસ્કૃતનો અભ્યાસ ન કર્યો હોય તેવા જિજ્ઞાસુને પણ આ સાહિત્યનો લાભ મળે તે માટે તે ગ્રંથનો અક્ષરશ: ગુજરાતી અનુવાદ કરાવ્યો હોય તો તેની ઉપયોગિતા ઘણી વધે. આથી વિદ્વાન શાસ્ત્રી ગિરિજાશંકર માયાશંકર મહેતાને રોકીને તે ભાષાંતર કરાવવા માંડ્યું. આ કાર્યમાં સદ્ગુરુશ્રી ધનશ્યામજીવનદાસજી સ્વામીના શિષ્ય શાસ્ત્રી ધર્મસ્વરૂપદાસજીએ તથા અન્ય વિદ્વાનોએ સદ્ગુરુશ્રીની આજ્ઞાથી સેવા આપવા માંડી. સદ્ગુરુશ્રીની પ્રેરણાથી મૂળીના પુરાણી ધર્મકિશોરદાસજી સ્વામી ‘વચનામૃત’ ગ્રંથનું વ્રજભાષામાં ભાષાંતર કરવા માંડયા. રામાયણ ગ્રંથ જેમ વ્રજભાષામાં દોહા-ચોપાઈના કાવ્યરૂપમાં છે તે રીતે વચનામૃતનું રૂપાંતર થવા લાગ્યું. તે કામમાં પાલનપુરના રાજકવિ લાખાજીભાઈના દીકરા કવિરાજ હમીરદાનજી મદદ કરવા મૂળી જઈને રહ્યા. તે કવિશ્રી જ્યાં સુધી આખું પુસ્તક ભાષાંતર થયું, સંશોધિત થયું ને છપાયું ત્યાં સુધી મદદમાં રહ્યા. દરમિયાન, સદ્ગુરુ ઘનશ્યામજીવનદાસજી સ્વામીના શિષ્ય શાસ્ત્રી ધર્મસ્વરૂપદાસજી સ્વામીએ ‘શ્રીજી સંમત વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત સાગર' નામના નવા ગ્રંથનું નિર્માણ કર્યું હતું, તેનું સંશોધન પણ સદ્ગુરુશ્રીએ હાથ ધરાવરાવ્યું. આમ, અનેકવિધ સાહિત્ય પ્રવૃત્તિઓથી સરસપુર મંદિર ધમધમી ઊઠ્યું! હવે વસંતપંચમીનો સમૈયો મૂળીમાં કરી સદ્ગુરુશ્રી પોતાના મંડળે સહિત વિરમગામ પધાર્યા. ત્યાં રહસ્યાર્થ વચનામૃત તથા બાપાશ્રીની વાતોની પારાયણ મંદિરમાં બેઠી. સદ્દગુરુશ્રીના સાંનિધ્યનો હરિભક્તો અનેરો લાભ ઊઠાવે. ગામેગામના હરિભક્તો કથાનો લાભ લેવા આવે. તે વખતે પારાયણના દિવસોમાં એકાદશી આવી. તે માટે આગલે દિવસે રાજગરાનો લોટ અર્ધોમણ તૈયાર કરાવ્યો હતો. આગલા દિવસથી જ હરિભક્તો ઘણા આવ્યા. તેથી સંતોએ સદ્ગુરુશ્રીને કહ્યું : “હજી લોટ વધુ કરાવવો પડશે.” સદ્ગુરુશ્રી કહે : “કાંઇ વધુ કરાવવો નથી; મહારાજ પૂરું કરશે.” ગામના હરિભક્તોને મનમાં મૂંઝવણ થાય કે હવે શું થશે! એકાદશીને દિવસે તો બીજા વધુ હરિભક્તો ગામડેથી આવ્યા. સદ્ગુરુશ્રીને ફરી પૂછ્યું, તો ફરી તે જ કહ્યું : "ચિંતા ન કરો, કાંઈ હરકત નહિ આવે. ” ઘણાં સંત-હરિભક્તો જમ્પા છતાં તેટલા જ લોટનો શીરો સૌને સારી રીતે જમાડ્યા પછી પણ વધ્યો! હરિભક્તો સદ્દગુરુશ્રીનો પ્રતાપ જોઈ આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. સદ્દગુરુશ્રી અમદાવાદ પધાર્યા. બ્રહ્મચારી નિર્ગુણાનંદજી રચિત “શ્રી પુરુશોત્તમલીલામૃત સુખસાગર” ગ્રંથ છપાઈ ગયો હતો. બાપાશ્રી ના પરમ કૃપાપાત્ર ભુજના મહેતા ભોગીલાલભાઈ પુરુષોત્તમભાઈએ એ ગ્રંથ પ્રસિદ્ધ કર્યો. થોડા નાના ટાઈમમાં ડબલ ક્રાઉન સાઈઝના કાગળ ઉપર છપાવતા ૬૭૨ પાન થયા હતા. શ્રીજીમહારાજની કચ્છલીલાનું હેતભર્યું પુસ્તક પ્રસિદ્ધ કરાવી અનેકને શ્રીજીને વિષે હેત પ્રેરવાનું કાર્ય થયું જાણી સદ્દગુરુશ્રી પ્રસન્ન થયા. 🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ
c.j. jadav
947 views
11 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 85 ચુંબકથી જેમ લોખંડ ખેંચાઈ આવે તેમ સદ્દગુરુશ્રીના પ્રતાપથી અનેક મુમુક્ષુઓ ખેંચાઈ આવ્યા. રોજ ત્રણ-ત્રણ વખત સભામાં સગુરુશ્રી શ્રીજીમહારાજના પ્રગટ પ્રતાપની— મહિમાની—વાતો કરે ને હાજર રહેલા નાના-મોટા સૌને એમ થઈ જાય કે સદ્દગુરુશ્રી બસ! વાતો જ કરતા રહે, કરતા જ રહે! સદ્ગુરુશ્રી ની કૃપાદષ્ટિ એવી થઈ કે અનેક મુમુક્ષુઓ હરિભક્તો થઈ ગયા ને સૌને સદ્ગુરુશ્રી સાથે દિવ્ય આત્મીયતા થઈ ગઈ. સૌને એમ થઈ ગયું કે સદ્ગુરુશ્રી હવે પછીથી સદાને માટે અહીં જ રહે તો સારું! સદ્ગુરુશ્રી કૃપા કરીને હરિભક્તોના ઘેરઘેર પધાર્યા. ઘેર ઘેર શ્રીજીમહારાજની મૂર્તિઓ પધરાવી આરતી ઉતારી, થાળ જમાડી, પ્રસાદી વહેંચે. પ્રસાદીનું પાણી છાંટી પવિત્રતા સ્થાપી દે. પૂર્વજો પ્રેત થયા હોય ને તેમનું સ્થાપન નાળિયેરમાં કર્યું હોય તો તે પોતાના હાથે ઉપાડા લે, ને ઘરનાને કહે: આ તમારા પૂર્વજોને અમે અક્ષરધામમાં મોકલી દઈએ છીએ. હવે આ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનને પધરાવી આરતી-પૂજા કરજો, ને નિ:શંકપણે ભગવાનનું ભજન કરજો. સદ્-ગુરુશ્રીનો પ્રતાપ એવો અસાધારણ કે સૌને અંતરમાંથી હા પડી જતી. સૌ રાજી રાજી થઈ ગયા. પૂર્વજોના આવા નાળિયેર મંદિરમાં લાવી ઢગલો કરી વર્તમાન ધરાવી ને અગ્નિસંસ્કાર કરાવી દેતા! હરિભક્તોને વ્યસન ને વહેમમાંથી મુક્ત કર્યા. અધમ જેવા જીવોનો પણ મોક્ષ કરી અક્ષરધામમાં મૂકી દીધા. સદ્ગુરુશ્રીની પરમ કૃપા જમિયતપુરા ગામ ઉપર વરસી રહી. સદ્ગુરુશ્રી તો સદાય નિર્દોષ બાળકસહજ પ્રસન્નવદને સૌના ઉપર રાજીપો જણાવે. હરિભક્તો તરફથી રસોઈ ઉપર રસોઈ ચાલ્યા કરે. સંતો રસોઈ કરતાં હોય, સદ્ગુરુશ્રી મંદિરના ચોકમાં પાટ ઉપર બિરાજ્યા હોય. હરિભક્તો તો વીંટળાઈને બેઠા જ હોય. એક વખત ચૂલાના ધુમાડા સામું જોઈ સદ્ગુરુશ્રી કહે : સ્વામિનારાયણના ચૂલાનો ધુમાડો ય કેવો દિવ્ય! જુઓ! આ ધુમાડો જે તરફ જાય છે તે ભાગના હરિભક્તો બહુ બળિયા થઈ જશે ! વાતની વાતમાં અઢળક ઢળી જાય ! માઢ મેડીમાં પધરામણી થઈ ને સદ્ગુરુશ્રીએ આશીર્વાદ દીધા કે આ માઢમાં કોઈ દુખિયો નહીં રહે! આ લોક ને પરલોક બંનેમાં બઢતી ! સં. ૧૯૮૮માં કરાંચીમાં પ.ભ. ડાહીબાએ પંદર દિવસની ‘સત્સંગીજીવન' ગ્રંથની પારાયણ રાખી હતી, ને તે વખતે જ ધ.ધુ. આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજના હસ્તક બાઈઓના મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા કરવાની હતી. તે પ્રસંગે સદ્દગુરુશ્રીના હેતવાળા સંતો-હરિભક્તો પણ કરાંચી પધાર્યા. સદ્ગુરુશ્રીએ એ વખતે લગભગ દોઢ માસ કરાંચીમાં રહીને ત્યાંના હરિભક્તોને દિવ્ય આનંદના સમંદરમાં ઝીલાવ્યા. સદ્ગુરુશ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી તથા સદ્દગુરુશ્રી વૃંદાવન-દાસજી સ્વામી સહિત પંચાવન ઉપરાંત સંતો કરાંચીમાં રહેલા. પાર્ષદ અલગ. ત્યાંના સત્સંગીઓનો પારાવાર પ્રેમ ને સદ્દગુરુશ્રી માટે અસાધારણ અહોભાવ ! મૂર્તિપ્રતિષ્ઠા પ્રસંગે શહેરમાંથી શ્રી ઠાકોરજી તથા ધ.ધુ. આચાર્ય મહારાજશ્રી સહિત શોભાયાત્રા નીકળી. આચાર્ય મહારાજશ્રી ચાર ઘોડાની બગીમાં બિરાજ્યા, સાથે તે જ બગીમાં સદ્ગુરુશ્રીને પણ બેસાર્યા. બંદરરોડ ઉપર થઈને સવારી નીકળી ને અસાધારણ ધામધૂમથી કરાંચી શહેર શોભી ઊઠયું. મૂર્તિપ્રતિષ્ઠા થઈ ને મંદિરમાં દિવ્ય-આનંદમાં સભાનું આયોજન થયું. સદ્ગુરુશ્રીનો રાજીપો હરિભક્તો ઉપર વહી રહ્યો. ધ.ધુ. આચાર્ય મહારાજશ્રીએ આશીર્વાદ ને રાજીપો જણાવ્યા. તે પ્રસંગે સત્સંગપ્રસિદ્ધ માવદાનજી કવિ તથા પંડિત શિવશંકરભાઈ બ્રાહ્મણ પણ સભામાં પ્રશસ્તિ કાવ્યો બોલ્યા ને કરાંચીનો સત્સંગ અબજીબાપાશ્રીએ તથા સદ્-ગુરુશ્રીએ કેવો સંવર્ધિત કર્યો તે જણાવી બાપાશ્રી ઉપર શ્લોકો બોલ્યા. સદ્ગુરુશ્રી તેઓ ઉપર ખૂબ રાજી થયા. 🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
c.j. jadav
919 views
15 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 82 હરિભક્તોના હેતથી કરાંચીમાં ‘રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહિત વચનામૃત'ની પારાયણ બેસારી, અને સદ્દગુરુ ઇશ્વર-ચરણદાસજી સ્વામી અને સદ્ગુરુ વૃંદાવનદાસજી સ્વામી એ પારાયણના વાંચનારા થયા ! હરિભક્તોને આનંદ, આનંદ થઈ રહ્યો. આ રીતે બાપાશ્રી—-સદ્ગુરુશ્રી કરાંચીમાં પંદર દિવસ રહ્યા ને અત્યંત પ્રસન્નતા જણાવી ઘેરઘેર પધાર્યા ને સૌને અસાધારણ લાભ આપ્યો. સૌને આત્યંતિક કલ્યાણના વરદાન આપી, બાપાશ્રી સ્ટીમર દ્વારા માંડવી થઈ વૃષપુર પધાર્યા ને સંતો બે દિવસ વધુ રોકાઈ ટ્રેન માર્ગે અમદાવાદ પધાર્યા. છૂટા પડતી વખતે બાપાશ્રી સદ્ગુરુશ્રીને કહે : “સ્વામી ! હવે અમારો દેહ ખમતો નથી, ને જ્યાં જઈએ ત્યાં હરિ-ભક્તોના હેતનો છેડો નહિ. હવે તો વૃષપુરમાં રહી મૂર્તિના સુખમાં આનંદ કરીશું, ને હવે અમારી વતી તમે સત્સંગમાં ફરજો.” પોષ મહિનામાં મુક્તરાજ બાપાશ્રીનો સદ્ગુરુશ્રી ઉપર પત્ર આવ્યો કે ચૈત્ર સુદ તેરસથી ચૈત્ર વદ છઠ સુધી ‘સત્સંગી જીવન ’ની પારાયણ-યજ્ઞ કરવાનું નક્કી કર્યું છે. બાપાશ્રીએ ફાગણ વદ ૧૪ ને રોજ કચ્છના ગામેગામના હરિભક્તોને તેડાવીને કહ્યું કે મહામોટો યજ્ઞ કરવો છે, તે યક્ષમાં આવીને જે કોઈ જમશે તેનો આત્યંતિક મોક્ષ કરશું, તો તે યજ્ઞમાં તમો સૌ મદદ કરજો. બીજે દિવસે સદ્ગુરુશ્રી અમદાવાદથી બાવીસ સંતો સાથે પધાર્યા. બાપાશ્રીના દરેક યજ્ઞમાં કંકોત્રી લખવાથી માંડીને, ઉતારા, મંડપ, રસોડું, યજ્ઞ-પારાયણ, વગેરે દરેકે દરેક વસ્તુ સદ્ગુરુશ્રીના માર્ગ-દર્શનથી જ થતી. બાપાશ્રીનો યજ્ઞ તે સદ્દગુરુશ્રીનો હતો, કેમકે સદ્દગુરુશ્રી બાપાશ્રીના હતા ! બાપાશ્રીનો તથા સદ્-ગુરુશ્રીનો અદ્દભુત અલૌકિક પ્રતાપ હવે ગુજરાતભરમાં વ્યાપી ગયો હતો. સૌને બાપાશ્રીના આ છેલ્લા યજ્ઞની વાતની જાણ થઈ ગયેલી. કંકોત્રી મળતાં જ અદ્ભુત દિવ્યતા ઝીલવા સૌ આવી પહોંચ્યા. બાપાશ્રી સદ્ગુરુશ્રીને કહેતા : “સ્વામી! આપણે આ યક્ષ કરવો છે. તેમાં જે કોઈ આવે તેને મૂર્તિમાં મૂકી દેવા છે!” કેટલી મોટી વાત, ને સૌના કેટલા મોટા ભાગ્ય! શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રતાપે આ આત્યંતિક મોક્ષરૂપી અમૃત લૂંટાતું હતું! કચ્છમાં જવું તે એ સમયમાં ઘણું કપરું હતું. બે-ચાર ટ્રેનો બદલી નવલખી કે જામનગર જાવ, ત્યાંથી આગબોટમાં બેસી સામે કાંઠે ઉતરો. ત્યાંથી ભુજ જાવ, ભુજથી ગાડું કે ઘોડાગાડી ભાડે કરો, વીસ કિલોમીટર દૂર વૃષપુર પહોંચો. તે છતાં તે વખતે કચ્છમાં હજારો માણસો દર્શન કરવા ને દિવ્યતા પામવા આવ્યા હતા. મુનિસ્વામી કેશવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી ઉત્તમ-પ્રિયદાસજી કથાના વક્તા હતા, કથાના વક્તા. કથાના સાંભળનાર, સેવાના કરનારા—સૌને અંતરમાં આનંદ હતો. સેંકડો ઉતારા તંબુથી બનાવવામાં આવ્યા હતા, સેંકડો મકાન ખાલી કરાવી ઉતારા તરીકે વાપરવા લીધા હતા. ગામમાં ને સૌમમાં જ્યાં જુઓ ત્યાં હરિભક્તો ઉભરાતા હતા. બાપાશ્રી સૌ હરિભક્તોની તાણ ને પ્રેમને જાણી દરેકે દરેકના ઉતારે પધારતા. હરિભક્તો આનંદના ઝિલણિયા કીર્તનોની રમઝટ બોલાવે, બાઈઓ કીર્તનો ગાતા ગરબે રમે. ઠાકોરજીની પાલખી ગામમાં ફરવા નીકળે ને અદ્દભુત શોભા ને ઉત્સવમંડળીની રમઝટ. શેરીઓમાં ભીડ તો માય નહીં. શીરા ને સુખડીના જમણ. મુક્તરાજ બાપાશ્રી પોતે પીરસવા પધારે! એથી વિશેષ બાપાશ્રીએ મહાપ્રસાદ આપ્યો : “આ યજ્ઞમાં જે જે આવ્યા ને આ મહાપ્રસાદી જમ્યા તેનો આત્યંતિક મોક્ષ શ્રીજીમહારાજ કરશે એમ જાણજો. અમે તો સૌને મૂર્તિમાં રાખવાનો સંકલ્પ કર્યો છે. આ સભા દિવ્ય છે. આ મુક્ત સર્વે અક્ષરધામમાં મહારાજની મૂર્તિમાં રહેનારા છે.” 🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
c.j. jadav
754 views
22 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 74 બાપાશ્રી સાથે સદ્ગુરુશ્રી અનંત જીવોના કેવળ કલ્યાણ માટે, સૌના ઉપર રાજી થઈ, ગામેગામ ફર્યા. અમદાવાદથી મેડા થઈ મણિપુર પધાર્યા. ત્યાં મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા કરી, ઘેરઘેર પધારી સૌને રાજી કર્યા. ત્યાંથી જોશીપુરા, ખંડરપરા થઈ દેવપરા આવી રાત રહ્યા. બીજે દિવસે કલ્યાણપરા થઇ ધર્મપુર પધાર્યા. ત્યાં (મહા સુદ) એકાદશીનું ફરાળ કરી ઘોઘામઢ, પંઢરપુર થઈ વિશોતપરા પધાર્યા. રાત રોકાયા. ત્યાંથી ગાડામાં બેસી કડી પધાર્યા. શ્રી ધનશ્યામ મહારાજની આરતી ઉતારી, પ્રસાદી વહેંચી ઘેરઘેર પધારી સૌને રાજી કર્યા. કુંડાળ ગયા, પાછા કડી આવી રાત રોકાયા. ત્યાં ઉનાવાના હરિભક્તોએ આવી પ્રાર્થના કરી તેથી સદ્ગુરુના આગ્રહથી બાપાશ્રી ગામ ઉનાવા પધાર્યા. સૌને કથાવાર્તાથી રાજી કર્યા ને બાપાશ્રીને હાથે સૌના ઉપર પાણી છંટાવી મોક્ષના વચન આપ્યા. ત્યાંથી દોલારાણાના વાસણા પધાર્યા. મંદિરમાં દર્શન કરી, હરિભક્તોના ઘેરઘેર પધારી રાત રહ્યા. ત્યાંથી કલાલ થઇ આદરજ, ધમાસણા થઈ અમદાવાદ પાછા પધાર્યા. હરિભક્તોનાં આગ્રહ ને ત્વરાથી રાજી થઈ બાપાશ્રી ફરી અમદાવાદથી નીકળી સદ્દગુરુશ્રી-સંત હરિભક્તો સહિત જેતલપુર, અસલાલી, રાયપુર, વહેલાળ, કણભા, કુજાડ, બાકરોલ, કાળી, મોટેરા વગેરે ગામોમાં પધાર્યા. સૌને દર્શન-સેવાનો લાભ આપી રેલ્વે માર્ગે સૂરત પધાર્યા. ત્યાંથી પાછા વળતા વડોદરા થઇ વડતાલ દર્શને મધાર્યા, વડતાલથી મોટર માર્ગે નળકાંઠા વિસ્તારના ગામોમાં દર્શન દેવા પધાર્યા. કુંડળ, નાનોદરા, દેવધોલેરા, કેસરડી, ઝાંપ, વનાળિયા, મેંટાળ, રેથળ, વાસણા, ઉપરદળ થઈ વાંસવા પધાર્યા. ત્યાં બાઇઓના મંદિરમાં મૂર્તિ પધરાવી, ત્યાંથી અમદાવાદ પધાર્યા. તે વખતે જાણ્યું કે બાપાશ્રીના પૌત્ર જાદવજીભાઈની આંખની દવા હજુ એક મહિનો ચાલશે. દરમ્યાન કરાંચીના હરિભક્તોના તાર તથા કાગળ આવેલા કે આપ સૌ કૃપા કરી કરાંચી પધારો. ત્યારે બાપાશ્રી સદ્ગુરુશ્રીને કહે: “સ્વામી! તમે ભેળા ચાલો તો આપણે કરાંચી જઈ આવીએ. ત્યાં સુધી અહીં જાદવજીની દવા પણ થાય.” સદ્ગુરુશ્રી તો લાભ અપાવવા જ બેઠા હતા ! તેમણે તરત જ કરાંચી તાર કરાવ્યો. રેલ્વે માર્ગે સદ્ગુરુ ઘનશ્યામજીવનદાસજી સ્વામી, પુરાણી ધર્મકિશોરદાસજી સ્વામી, દેવજીવનદાસજી સ્વામી, મુક્તવલ્લભ-દાસજી સ્વામી તથા બાપાશ્રીના અનન્ય સેવક આશાભાઈ વગેરે સાથે બાપાશ્રી તથા સદ્દગુરુશ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી કરાંચી પધાર્યા. કરાંચીનું આખું સ્ટેશન હરિભક્તો-મુમુક્ષુઓથી ઊભરાતું હતું. મુક્તરાજ બાપાશ્રી તથા સદ્ગુરુ સ્વામીશ્રીના પ્રભાવશાળી સ્વરૂપથી સૌ કોઈ આકર્ષાતા. હરિભક્તોએ અતિ ભાવથી ધામધૂમથી સ્વાગત કર્યું. કરાંચીના મુક્તો લાલુભાઈ, મહાદેવભાઈ, સોમચંદભાઈ વગેરેએ બાપાશ્રી અને સદ્ગુરુ-શ્રીનો લાભ સૌ કોઈને મળે તેમ કથા-વાર્તા, પધરામણી, રસોઈ, પ્રસાદીના કાર્યક્રમ ગોઠવ્યા. હરિભક્તોને હોંશ હોવાથી સૌને ગુલાલ ઉડાડી રાજી કર્યા. હરિભક્તોને તો લાભ લેવાનો અતિશય ઉમંગ. સત્સંગ સમાજ સહિત બાપાશ્રી-સંતોના ફોટોગ્રાફ પાડ્યા. સભામાં ને આસને કથાનો તો સોંપો પડે જ નહીં. બાપાશ્રી તથા સદ્ગુરુશ્રી ચમત્કારી વાતો કરી સૌને શ્રીજીમહારાજના મહિમા ને દિવ્યભાવ દઢ કરાવતા. 🍃🍃🌼🍃🍃 #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર