અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા

c.j. jadav
645 views
1 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 100 સંતો બે દિવસ પછી નીકળી મોરબી પહોંચ્યા, ત્યાં નદીએ નહાવા જતાં, અસાધારણ ધુમ્મસ થયેલું હતું. બાજુમાં કોણ ઊભું છે તે પણ ન દેખાય. મુક્તરાજ મનસુખભાઈ કહે : “આજે આવો દિવસ છે તે બાપાશ્રી દેહોત્સવ કરવાના હોય તેનું ચિહ્ન તો નથી ને?” સ્વામી દેવજીવનદાસજીનું હૈયું ફરી ભરાઈ આવ્યું. ત્યાં ફરી તેમને સદ્દગુરુશ્રીના દર્શન થયાં, કહે : “તમને સરાના મંદિરમાં કહ્યું છે, તોય કેમ ઉદાસ થઈ જાઓ છો?” ત્યારે સ્વામી દેવજીવનદાસજી શોક રહિત થયા ને મોરબીથી ભુજ થઈ વૃષપુર આવી બાપાશ્રી તથા સદ્ગુરુશ્રીના દર્શન કર્યા. એક વાર જમિયતપુરા ગામના હરિભક્તોને થયું કે વરસાદ વરસી રહ્યો છે, ને ખેતરમાં જવાતું નથી અને નવરાશ છે. અત્યારે જો સદ્ગુરુશ્રી પધારે તો કથા-વાર્તા, જોગ— સમાગમનો સૌને ખૂબ લાભ મળે. આમ વિચારી તેઓ સદ્ગુરુશ્રી પાસે અમદાવાદ આવ્યા ને પ્રાર્થના કરી. સ.ગુ.શ્રી વૃંદાવનદાસજી સ્વામી પણ ત્યાં હાજર હતા. તેઓશ્રી કહે: “આવા વરસાદમાં સંતોને બહાર નહાવા જવા-આવવાનું ફાવશે નહિ.” ત્યારે સ.ગુ.શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી બોલ્યા કે જવું હોય તો વરસાદને રજા આપી દઈએ! હરિ-ભક્તોને પ્રેમભર્યો આગ્રહ જોઈને સદ્ગુરુશ્રીએ જમિયતપુરા પધારવાની હા પાડી. બીજે જ દિવસે સંતો સહિત ત્યાં પધાર્યા. જેવા અમદાવાદથી નીકળ્યા કે વરસાદ બંધ થઈ ગયો. સંતમંડળ તે ગામ સત્તર દિવસ રોકાયા. હરિભક્તોને કથા-વાર્તાના દિવ્ય આનંદમાં રાજી કર્યા. જમિયતપુરા ગામના હરિભક્તોને સદ્ગુરુશ્રી માટે અતિશય અહોભાવ થઈ ગયેલો, તેમ છતાં માતાજીના કે અન્ય જૂના મતમતાંતરોને વળગી રહેલા કચરાભાઈ પટેલને દર પૂનમે બહુચરાજી માતાજીના દર્શને જવાનો નિયમ હતો. સદ્ગુરુશ્રીએ એ જાણ્યું ત્યારે એમને ભગવાન શ્રી સ્વામિ-નારાયણનો મહિમા સમજાવી બહુચરાજી ન જવા માટે સમજાવ્યા અને દર અગિયારસે અમદાવાદ દર્શને આવવા કહ્યું. ત્યારે કચરાભાઈ કહે : “બહુચરાજી તો બહુ મોટાં દેવી છે. અલ્લાઉદ્દીન ખીલજી બાદશાહના લશ્કરના સૈનિકોના પેટમાં કુકડા બોલાવ્યા હતા. તેમની રાખેલી બાધા પાર પાડવી જોઈએ.” સદ્ગુરુશ્રી કહે: “એ માતાજી તમારા પેટમાં કુકડા નહીં બોલાવે! એ ડર છોડી તમે અમારી આજ્ઞાથી દર અગિયારસે અમદાવાદ શ્રીજીમહારાજના દર્શને આવજો.” તે પ્રમાણે કચરાભાઈ અમદાવાદ-સરસપુર મંદિરે દર્શને જતા ને ખૂબ બળિયા સત્સંગી થયા અને તેમનું આખું કુટુંબ પણ ભગવદીય બની ગયું. 🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ
c.j. jadav
577 views
2 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 99 એક દિવસ બપોરે નવીવાડીમાં બાપાશ્રી સંત-હરિભક્તો પ્રત્યે મહારાજના મહિમાની વાતો કરતા હતા, ત્યાં કેરાના હરિભક્તના છોકરાને આંચકી આવી અને તેના બાપના ખોળામાં તે છોકરો દેહ મૂકી ગયો. તેના બાપે તે છોકરાને સ.ગુ.શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીના ખોળામાં નાખ્યો. સદ્ગુરુ કહે : “અરે! આ શું? આનો તો દેહ પડી ગયો છે.” બાપાશ્રી કહે: “સ્વામી! એ છોકરાને પાણી પાઓ, મહારાજ સારું કરશે.” સદ્ગુરુશ્રીએ તેના મોંમાં પાણી મૂક્યું એટલે તે બેઠો થયો! બાપાશ્રી કહે: “નૈમિષારણ્ય ક્ષેત્ર હોવાથી તે બચી ગયો, ને એનું કામ પણ થઈ ગયું. સ્વામિનારાયણને ઘેર આવાં અલૌકિક કામ થાય છે." સદ્ગુરુશ્રી સરસપુર મંદિરમાં બિરાજતા હતા, ત્યાં એક દિવસ બહેચરભાઈ તેમના એક મિત્ર મથુરદાસ માધવ-દાસને લઈને આવ્યા. મથુરભાઈ મૂળ તો શંકરાચાર્યના અદ્વૈત મતમાં માનતા હતા, પણ બહેચરભાઈના પરિચયમાં આવ્યા પછી ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રત્યે ગુણભાવ થયેલો. તેઓ સદ્ગુરુ પાસે પ્રથમ વાર જ આવ્યા હતા અને સદ્ગુરુશ્રીને પૂછવા માટે એકવીસ પ્રશ્નો તૈયાર કરેલા. તેમણે મનમાં ધારેલું કે આ અઘરા પ્રશ્નોના ઉત્તર જો સદ્દગુરુ કરે તો તેમને મોટા પુરુષ માનવા. સદ્ગુરુશ્રી તો અંતર્યામી ને કરુણા સાગર! મથુરભાઈ સાથે વાતો કરવા માંડી. મથુરભાઈ જે પ્રશ્નો લઈને આવેલા તે તેઓ પૂછે તે પહેલાં જ પોતે જાણી લઈ પોતાના ઉપદેશમાં તેમના તમામ પ્રશ્નોના ઉત્તરો આપી દીધા! મથુરભાઈ અહોભાવ સાથે બોલી ઊઠ્યા કે : "મારા અનેક જન્મનો પુરુષાર્થ આજે આપની કૃપાથી ફળીભૂત થયો.” સદ્ગુરુશ્રીની પ્રતિભા એવી જબરી હતી કે તેમને મોટા રાજાને પણ કાંઈ કહેવું હોય તો પણ જરાય થડક ન લાગે. એ અરસામાં જામનગરથી દરિયા કાંઠે જઈ આગબોટમાં બેસવા જવાનો રસ્તો ખૂબ જ ખરાબ હતો. તેથી મુસાફરોને ઘણી હાડમારી સહન કરવી પડતી. સૌને એ તકલીફનો અનુભવ થાય, પણ જામનગર તો મોટું રાજ્ય, તેના અમલ-દારોને કોણ કહે? સદ્દગુરુશ્રીએ તો જામસાહેબ રણજીતસિંહજી ઉપર જ સીધો પત્ર લખ્યો કે આપના રાજ્યમાં આગબોટને માટે દરિયા કાંઠે જતાં માણસોને ખૂબ જ તકલીફ થાય છે, તેનો કાંઈક બંદોબસ્ત કરવો જોઈએ. રાજાએ પોતે જ્યારે આ વાત જાણી ત્યારે અંગત રસ લઈ, તે રસ્તો સુધરાવ્યો ને સદ્ગુરુશ્રીએ ધ્યાન દોર્યા બદલ આભાર વ્યક્ત કર્યો અને તેમને પડેલી તકલીફ બદલ દિલગીરી વ્યક્ત કરી. મૂળીના સ્વામી શ્વેતવૈકુંઠદાસજી તથા સ્વામી દેવજીવન-દાસજી તથા બીજા સંતો ગામ સરામાં હતા, ત્યાં તેમને સદ્ગુરુશ્રીનો પત્ર મળ્યો કે 'બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો છે, અમે વૃષપુર જઈએ છીએ અને તમારે આવવું હોય તો આવજો.' બાપાશ્રીના મંદવાડના સમાચાર જાણી સ્વામી દેવજીવનદાસજી અત્યંત ઉદાસ થઈ ગયા. હરિભક્તોનો આગ્રહ હતો કે સંતો થોડા દિવસ સરા ગામમાં રોકાય તો વધુ લાભ મળે. પણ સંતોને એમ કે કઈ રીતે જલ્દી વૃષપુર જઈએ. એમ કરતાં રાન પડી. સદ્દગુરુશ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીએ દેવજીવનદાસજી સ્વામીને પ્રત્યક્ષ દર્શન આપી હાથ ઝાલી જગાડ્યા. સદ્દગુરુશ્રી કહે : “તમે ઉતાવળા ન થજો, હરિભક્તોને રાજી કરીને વૃષપુર આવજો. આ મંદવાડમાં બાપાશ્રી દેહોત્સવ કરવાના નથી.” 🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ
c.j. jadav
728 views
3 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 98 સં. ૧૯૭૫માં વસંત પંચમીનો સમૈયો કરી સ.ગુ.શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી, સ.ગુ.શ્રી વૃંદાવનદાસજી સ્વામી, સ.ગુ.શ્રી ધનશ્યામજીવનદાસજી સ્વામી આદિ ઘણાં સંતો અમદાવાદ-મૂળી થઈ વૈશાખ માસમાં ભુજ દર્શને આવ્યા. બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને તો આનંદ-આનંદ થઈ ગયો. પોતે તો સદ્ગુરુશ્રીને રાજી કરવામાં તત્પર રહે, પણ પોતાના હેત રુચિવાળા હરિભક્તોને પણ એ સેવામાં સ્નેહથી જોડે. તેમાં ભુજના વિઠ્ઠલજીભાઈ કેશવજીભાઈ દવેને સદ્ગુરુના પ્રભાવથી અહોભાવ થઈ આવ્યો. બ્રહ્મચારી મહારાજ તેમને સ.ગુ.શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી પાસે લઈ ગયા અને સત્સંગમાં સદાય ચડતો રંગ રહે તેવા આશીર્વાદ અપાવ્યા. સ્વામીશ્રીની કૃપાદષ્ટિથી વિઠ્ઠલજીભાઈનું સમગ્ર જીવન બદલાઈ ગયું ને શ્રીજીમહારાજ અને મુક્તોની સેવાના કાર્યમાં તેઓએ જીવન સમર્પણ કર્યું. કેટલો બધો જીવન પલટો! એક વખત સદ્ગુરુશ્રી રેલ્વેમાં જઈ રહ્યા હતા, ને શેઠ હીરજીભાઈ ભીમજીભાઈ ચાવડા મળી ગયા. સં. ૧૯૫૮માં તેઓ સદ્દગુરુશ્રીને મળેલા, પણ સં. ૧૯૬૦માં કોઈ કારણસર થોડો વિવાદ થતાં સદ્ગુરુશ્રીની આજ્ઞા માની શકેલા નહીં. તેમના પિતાશ્રી ભૌમજીભાઈને તે વાતની જાણ થતાં તેમને ખૂબ દુ:ખ થયું. મનોમન સદ્ગુરુશ્રીને પ્રાર્થના કરી, ત્યારે સદ્દગુરુશ્રીએ દિવ્યરૂપે દર્શન દઈ કહેલું કે અમે હીરજીને જાળવી લેશું. તે પછી હીરજીભાઈ પરોક્ષશાસ્ત્રના અભ્યાસમાં ને વેપાર ધંધામાં લાગી ગયા, ને સત્સંગરંગ ઓછો થઈ ગયો. આમ લગભગ વીસ વર્ષે હીરજીભાઈને સદ્ગુરુશ્રીનો મેળાપ અચાનક રેલ્વેમાં થઈ ગયો. સદ્દગુરુ તો વાત્સલ્ય મૂર્તિ. કરુણાર્દ્ર દષ્ટિએ હીરજીભાઈને જોઈ રહ્યા, તેમના ખબર અંતર પૂછ્યા, તેમનું મુંબઈનું સરનામું લીધું, ને મૂળી મંદિરના પાટોત્સવની સામાન્ય વાતો કરી, શ્રીજીમહારાજના મહિમા-પ્રતાપની વાતો કરી પાછા સત્સંગ તરફ વાળ્યા. સદ્ગુરુશ્રીએ રાજી થઈ ખૂબ આશીર્વાદ આપ્યા. એ પછી હીરજીભાઈની આર્થિક સધ્ધરતા ઘણી વધી. વિશેષે તો સદ્-ગુરુશ્રીની કૃપાદષ્ટિમાં આવી જતા હીરજીભાઈ સેવા, સમર્પણ ને જ્ઞાન-ઉપાસનામાં અનન્ય અગ્રણી બની રહ્યા ! સદ્ગુરુશ્રી બાપાશ્રી સાથે કરાંચો પધાર્યા હતા તે દરમ્યાન વિરમગામમાં અ.મુ. ડૉ. નાગરદાસભાઈને ડબલ ન્યૂમોનિયાની સખત માંદગી થઈ ગયેલી. તેમણે કરાંચી બાપાશ્રી તથા સદ્ગુરુશ્રી ઉપર તાર કરાવ્યો કે દયા કરી તરત દર્શન દેવા પધારો. તે સમાચાર જાણી બાપાશ્રી તથા સંતો કરાંચીથી નીકળવા તૈયાર થયા, પણ કેટલાક હરિભક્તોને રસોઈ દેવાના સંકલ્પ અધૂરા રહેતા હતા, તેથી બાપાશ્રીએ સદ્ગુરુશ્રી સહિત વિરમગામમાં નાગરદાસભાઈને દિવ્યરૂપે દર્શન આપ્યા! પોતે માંદા હોવા છતાં બેઠા થઈ પગે લાગવા મંડયા. કહે : "બાપા! બહુ દયા કરી, આમ ઓચિંતા પધાર્યા!” બાપાશ્રી કહે : “અમે તો હજી કરાંચીમાં જ છીએ, પણ તમે સંભાર્યા તેથી દર્શન આપ્યા.” એ દિવ્ય દર્શન પછી ડોકટર સાજા થઈ ગયા. હેતરુચિવાળા હરિભક્તોને સદ્ગુરુશ્રીનું દિવ્ય સ્વરૂપે માતૃવત્ રક્ષણ મળતું હતું. એક વાર રામગ્રી ગામના નારાયણ-ભાઈ ખેતર ગયા હતા. ત્યાં તેમને ઘણો તાવ આવ્યો. તેમણે શ્રીજીમહારાજ, બાપાશ્રી તથા સદ્ગુરુશ્રીને હેતપૂર્વક સંભાર્યા. તે સમયે સદ્ગુરુશ્રીના દર્શન થયાં. સદ્ગુરુશ્રી તેમનો હાથ ઝાલી ઘર સુધી મૂકી ગયા! હેતથી સંભારનારને તો મહારાજ તથા મુક્તો અણુમાત્ર છેટા નથી. 🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ
c.j. jadav
3.9K views
7 days ago
🍃🍃🌼🍃🍃 નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 95 અમદાવાદના હરિભક્તોને થયું કે અમદાવાદની આજુ-બાજુમાં ખુલ્લી જગ્યામાં કોઈ બંગલામાં સદ્ગુરુશ્રીને રાખ્યા હોય તો હવાફેર જેવું રહે. તે વખતે વાડજ વિસ્તાર નવો નવો વિકાસ પામી રહેલો. ત્યાંની ચાંપાનેર સોસાયટીના બાવીશ નંબરના બંગલામાં પોતાના સંતમંડળે સહિત સદ્-ગુરુશ્રી પધાર્યા, હરિભક્તોના મંડળનાં મંડળ દર્શને આવ્યા જ કરે. સાધુ મુક્તવલ્લભદાસજી સવાર-સાંજ રસોઈ કરતા પહેલાં થાળ સામગ્રી પર સદ્ગુરુશ્રીની નજરપ્રસાદી કરાવે. આવી માંદગીમાં સદ્ગુરુશ્રીના સાધુ આવું શું કરતા હશે, તેમ ડૉકટરને થાય ! મુક્તવલ્લભદાસજીને કહે પણ ખરા કે આવી તકલીફ સદ્ગુરુશ્રીને શું આપો છો! મુક્તવલ્લભદાસજી કહે : “ભાઈ! તમને ખબર નથી; આ રસોઈ હવે ગમે તેટલાં હરિભક્તો જમશે તો પણ ખૂટશે નહીં!" હવે મુક્તરાજ અબજીબાપાશ્રીના જીવનચરિત્રનું કામ મુક્તસ્વરૂપ સોમચંદભાઈએ પ્રેમપૂર્વક અને સઘળા ખંતથી પૂરું કર્યું હતું. તે હસ્તલિખિત ગ્રંથ લઈને તેઓશ્રી માથકથી સદ્ગુરુની પાસે જોરાવરનગર આવ્યા. (તે વખતે સદ્ગુરુશ્રી અનન્ય સેવાપરાયણ, પ.ભ. ડો. શાન્તિભાઈના અતિ પ્રેમને વશ થઈને જોરાવરનગર પધાર્યા હતા.) એ ગ્રંથ જોઈ સદ્ગુરુશ્રી અતિશય પ્રસન્ન થયા. પછી સોમચંદભાઈને સદ્ગુરુશ્રી કહે : હવે અહીં રહીને આ ગ્રંથની પારાયણ અમને સંભળાવો. સદ્ગુરુશ્રીની આજ્ઞા થતાં સોમચંદભાઈએ અબજીબાપાશ્રીના જીવનચરિત્રનો હસ્તલિખિત ગ્રંથ સદ્ગુરુશ્રી આગળ વાંચવા માંડયો. સોમચંદભાઈ વાંચતા હોય, સદ્દગુરુશ્રી મંદવાડને કારણે પાટ ઉપર સૂતા સૂતા તે કથા સાંભળતા હોય. એકવાર સોમચંદભાઈને લાગ્યું કે સદ્ગુરુશ્રી યોગનિદ્રામાં જતા રહ્યા છે, તેથી તેઓ વાંચતા અટકી ગયા. તરત જ સદ્દગુરુશ્રી કહે : કેમ બંધ રાખ્યું ? વાંચ્યે જ રાખો, હું સાંભળું જ છું! સદ્દગુરુશ્રીનો અથાક્ પ્રભાવ ને સામથ્ર્ય જોઈ સોમચંદ-ભાઈએ અહોભાવ અનુભવ્યો ને કયા કરવા માંડી, પારાયણ પૂરી થતા સદ્ગુરુશ્રીએ સોમચંદભાઈ ઉપર અતિશય પ્રસન્નતા જણાવી કહ્યું : “ જેવું કામ થવું જોઈએ તેવું જ થયું! હવે તેને જલ્દીથી છપાવી દો. તમે રાજકોટ જઈ હીરજીભાઈને મળી આ પુસ્તક છપાવવાની તજવીજ કરો.” તે પ્રમાણે રાજકોટમાં તે પુસ્તક છપાવા માંડ્યું. સોમચંદભાઈ રાજકોટમાં રહી તેના પ્રૂફો સુધારી ઉતાવળે તે તૈયાર કરાવવા લાગ્યા. સદ્ગુરુશ્રી બિરાજતા હોય ત્યાં સુધીમાં તે છપાઈને તૈયાર થઈ જાય તેવી સૌના મનની ઇચ્છા હતી. શેઠ હીરજીભાઈ સદ્ગુરુશ્રીના મંદવાડની શરૂઆતમાં એમ કહ્યા કરતાં કે હજી તો મારે સદ્ગુરુશ્રીને રાજકોટ મારે ત્યાં તેડી જઈ પારાયણ કરાવવું છે. સદ્દગુરુશ્રીને પૂછે : “પધારશો ને?” પોતે રાજી થઈને કહે: “હા, હા જરૂરથી રાજકોટ આવવું છે.” પણ મંદવાડ તો વધતો ચાલ્યો તેથી હીરજીભાઈથી બોલાય તેમ રહ્યું નહિ. પણ સં. ૧૯૯૮ના આસો માસની શરૂઆતમાં હીરજીભાઈ સદ્ગુરુશ્રીના દર્શને આવ્યા, ત્યારે સદ્દગુરુશ્રીએ જ સામેથી પૂછ્યું : “હીરજીભાઈ! અમને હવે રાજકોટ ક્યારે લઈ જવા છે?” હીરજીભાઈએ વૈદ્યરાજની સલાહ પૂછી. વૈદ્ય રવિશંકરભાઈ કહે: “આ સ્થિતિમાં કોઈ પણ ચિકિત્સક લઈ જવાની સંમતિ ન આપે, પણ જો સદ્દગુરુશ્રીની પોતાની આવવાની ઈચ્છા હશે તો રસ્તામાં કોઈ જાતનો વાંધો નહિ આવે.” ડો. નાગરદાસભાઈનો પણ એ જ અભિપ્રાય પડ્યો. તે વર્ષોમાં મોટર વાહનવ્યવહાર હતો નહીં, વળી સૌરાષ્ટ્ર વિભાગમાં કેવળ મીટર ગૅજ ટ્રેનો હતી, ને અમદાવાદથી વિરમગામ સુધી બ્રોડગૅજ ટ્રેનો જતી. 🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર