અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા

c.j. jadav
528 views
5 hours ago
🍃🌼🍃🍃 બાપાશ્રીએ લખાવેલા વચનામૃત રહસ્યાર્થનો સંપૂર્ણ ઇતિહાસ ભાગ - ૦૭ વચનામૃત' ગ્રંથ એ શ્રી સ્વામિનારાયણ મહા પ્રભુજીની શ્રીમુખવાણી છે, પરમ પૂજનીય છે, એ તો શ્રીહરિ-સ્વરૂપતુલા છે. એ વાણીને બીજા કોઈની સાથે સરખાવી શકાય નહીં, એ તો સ્વત: સિદ્ધ છે. એને બીજું અવલંબન કે પ્રમાણ ન જોઈએ. એથી ‘વચનામૃત’ ગ્રંથના પ્રશ્નો અને જવાબો 'વચનામૃત'ના જ અન્ય પ્રમાણોથી ગૂંથાયા છે. એમાં અન્ય શાસ્ત્રોનો આધાર જરૂરી નથી. ખરેખર તો અન્ય શાસ્ત્રો અને તેના રચનારા શ્રી સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી, સર્વકારણનું કારણ ને અપાર સ્વરૂપને ન પણ પામ્યા હોય, તેમના વચનનો આધાર શ્રી સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતને જેમ છે તેમ સમજવામાં શું ખપમાં આવે? આથી, વચનામૃતના પ્રશ્નો અન્ય વચનામૃતના સંબંધમાં પૂછવામાં આવ્યા છે, ને એના જવાબો પણ એ જ રીતે આપવામાં આવ્યા છે. આ મુજબ જુદાં જુદાં વચના-મૃતો સાથે વાંચીએ તો કેવા કેવા પ્રશ્નો થાય તે જુદા કાઢી લેવાતા જાય છે. જ્યારે જ્યારે બાપાશ્રીના સમાગમે જવાનું બને ત્યારે તેના જવાબો પૂછી લેવાય તે માટે ! આવી ઉમદા પ્રવૃત્તિ થતી જાય છે અને શ્રી હરિસ્વરૂપના જ્ઞાનનું સદાવ્રત અપાતું જાય છે. ‘વચનામૃત’ ગ્રંથ ઉપરની રહસ્યાર્થ ટીકાનું કામ ચાલતું હતું. સગુરુશ્રી કહેતા: “વચનામૃત એટલે શ્રીજી-મહારાજની સંમુખ બેઠેલા હરિભક્તોને શ્રીજીએ કરેલી વાતો, તેમાં સભામાં બેઠેલા હરિભક્તોની કક્ષા પ્રમાણે મહારાજે વાતો કરી છે. આથી જુદા જુદા વચનામૂનોનો પૂર્વાપર સંબંધ લેવામાં આવે ત્યારે સંપૂર્ણ સમજણ થાય. વળી, કૃષ્ણ, શ્રીકૃષ્ણ, વાસુદેવ, અશ્નર, બ્રહ્મ, પુરુષોત્તમ, પ્રત્યક્ષ,–પરોક્ષ વગેરે શબ્દો જુદા જુદા સંદર્ભમાં શ્રીજીમહારાજે વાપર્યાં છે. તેમાં કઈ જગ્યાએ એ શબ્દ કયા સંદર્ભમાં વપરાયો છે તે જો પૂર્વાપર વચનામૃતોનો સાંગોપાંગ અભ્યાસ ન હોય તો સમજાતું નથી, અને ખોટું સમજાઈ જવાનો સંભવ રહે છે. આથી બાપાશ્રીએ કૃપા કરીને દરેકે દરેક વચનામૃતને કેવી રીતે સમજવાનું છે તે જુદા જુદા વચનામૃતના પૂર્વાપર સંદર્ભ આપીને સમજાવ્યું છે. આથી કૃષ્ણ-વાસુદેવ-અક્ષર— બ્રહ્મ-ગોલોક-પુરુષોત્તમ-વગેરે શબ્દો દરેક જગ્યાએ કયા અર્થમાં વપરાયા છે તે સમજાવ્યું છે." આમ, મુક્તરાજ બાપાશ્રીના સંપૂર્ણ માર્ગદર્શન મુજબ સદ્ગુરુશ્રી 'વચનામૃત' ગ્રંથની ટીકાનું સંકલન-સંપાદન કાર્ય કરી રહ્યા હતા. જય સ્વામિનારાયણ. #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ
c.j. jadav
625 views
2 days ago
🍃🌼🍃🍃 બાપાશ્રીએ લખાવેલા વચનામૃત રહસ્યાર્થનો સંપૂર્ણ ઇતિહાસ ભાગ - ૦૬ સાહિત્યની મોટી પ્રવૃત્તિ ઉપાડી હતી, તે છતાં ગામે-ગામ વિચરીને સૌને પોષણ આપવાની પ્રવૃત્તિ નો ચાલુ જ હતી. વળી, મુક્તરાજ બાપાશ્રીના દર્શન-સમાગમનો લાભલેવા-અપાવવા વર્ષોવર્ષ મહિનો-બે મહિના કચ્છમાં જવાનું પણ ચાલુ જ હતું. કચ્છમાંથી અમદાવાદ પાછા આવીને સદગુરુ શ્રી તો ફરીવાર વચનામૃતનું સંશોધન વાતોનું સંપાદન વગેરે સાહિત્ય સેવામાં પ્રવૃત્તિ થયા. ઝાલાવાડના ગામોના હરિભક્તોનો ખૂબ આગ્રહ જાણી, સદ્દગુરુશ્રી ધ્રાંગધ્રા, હળવદ, વાંટાવદર થઈ માલણિયાદ પધાર્યા. ગામેગામ ફરે, સૌ હરિભક્તોને કથાવાર્તાથી સુખિયા કરે, તે છતાં સાહિત્યની પ્રવૃત્તિ તો ચાલુ જ હોય. માલણિયાદમાં વચનામૃતની ટીકા ઉપરનું કામ ચાલતું હતું ત્યારે મુક્તરાજ બાપાશ્રીએ ચતુરભાઈ અમીચંદભાઈ ગાંધીને દર્શન આપી કહ્યું: “આ સ્વામી ઈશ્વરચરણદાસજી જે કાંઈ લખે છે કે વાતો કરે છે તે અમે પોતે જ કરીએ છીએ.” ઝાલાવાડ ઉપરાંત સદ્ગુરુશ્રીએ લીંબડીની આસપાસના ગામોમાં ફરી શ્રીહરિજીની શુદ્ધ ઉપાસના પ્રવર્તાવી, અને અનેક મુમુક્ષુ-ઓને સન્માર્ગે વાળી સુખિયા કર્યા. દરમ્યાન, 'વચનામૃત'ની બધી હસ્તલિખિત પ્રતો મેળવીને એક શુદ્ધ ને પ્રમાણભૂત પ્રત બનાવવાનું કામ અતિશય ચીવટ ને ખંતથી પૂરું થયું. વચનામૃતની શુદ્ધ પ્રમાણભૂત પ્રતને યોગ્ય પરિચ્છેદમાં વહેંચી નાખવામાં આવી. દરેક વચનામૃતમાંના પ્રશ્નોને જુદાં પરિચ્છેદમાં મૂકી તેને યોગ્ય નંબર આપવામાં આવ્યા. કોઈ કોઈ પ્રશ્ન કે કૃપાવાક્યમાં શ્રીજીએ એક કરતાં વધુ મુદ્દાઓ ચર્ચ્યા હોય તો તેને પણ છૂટાં પાડી દેવામાં આવ્યા. આ મુદ્દાઓને ‘બાબત' નામકરણ કરવામાં આવ્યું. આમ, દરેક વચનામૃતમાં મંગળાચરણના એક પરિચ્છેદ, ત્યાર બાદ શ્રીજીના કૃપાવાક્ય કે પ્રશ્ન દીઠ જુદો પરિચ્છેદ અને તેના નંબર, દરેક કૃપાવાક્ય કે પ્રશ્નની અંદરની બાબતો દીઠ જુદાં નંબર, એ રીતે વાંચવા-સમજવા-અભ્યાસ કરવામાં સુગમ એવું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું. વચનામૃતની ભાષા જેમની તેમ રાખી, તેમાં સહેજ પણ ફેરફાર કર્યા વિના, જોડણી સુધારી લેવામાં આવી. યોગ્ય વિરામ ચિહ્નો મૂકી વાંચવાની સરળતા કરવામાં આવી. આમ અતિશય ખંત ને ચીવટથી શુદ્ધ ને સુંદર પ્રત તૈયાર થઈ. એ પછી દરેકે દરેક વચનામૃતના ભાવાર્થ સદ્ગુરુશ્રીએ મુક્તરાજ બાપાશ્રીને પૂછી રાખ્યો હતો, તે મુજબ દરેક વચનામૃતના અંતે, તે વચનામૃતમાં શ્રીજીમહારાજનો કહેવાનો હાર્દ શું છે, તે મહારાજની શૈલીમાં સાદી ને સરળ ભાષામાં ભાવાર્થરૂપે તૈયાર થવા લાગ્યો. દરમ્યાન, વિશેષ અભ્યાસવાળાને માટે દરેક વચનામૃતમાંથી થતા પ્રશ્નો જુદા કાઢવામાં આવ્યા. સદ્ગુરુશ્રી એવા એવા પ્રશ્નો કાઢે કે એ પ્રશ્ન જોઈને જ એમના ઉપર વારી જઈએ! જવાબ તો હજી મુક્તરાજ બાપાશ્રીને એ પ્રશ્નો પૂછી ભેગા કરવાના હતા, જવાબ આપનારા તો જબરા હતા જ, પણ પ્રશ્ન પૂછનારા પણ અતિશય અસાધારણ હતા જ! જય સ્વામિનારાયણ. #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર
c.j. jadav
2.5K views
3 days ago
🍃🌼🍃🍃 બાપાશ્રીએ લખાવેલા વચનામૃત રહસ્યાર્થનો સંપૂર્ણ ઇતિહાસ ભાગ - ૦૫ સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજીને ૨૭૩ વચનામૃતો તેમને જિહવાગ્રે હતાં. કયા વચનામૃતમાં કયા પ્રશ્નના જવાબમાં શું બાબત કહેવાઈ છે તે બતાવવું તેમને રમત જેવું હતું. શાસ્ત્રાર્થ કરવા આવનાર છેવટ તેમને પગે પડીને જ જતા. કદાચ સ્વામીશ્રીનો અભિપ્રાય તે પૂરો કબૂલ રાખે કે ન પણ રાખે, છતાં સ્વામીશ્રીના જ્ઞાનભંડારથી તો ડઘાઈ જ જતા, અને છેવટ તેઓને કહેતા સાંભળ્યા છે કે 'આપનો આટલો અભ્યાસ અમે ધાર્યો ન હતો.' આમ દેખાવમાં કોઈને એમ ન થાય કે સ્વામીશ્રી ઊંડા અભ્યાસી હશે, છતાં જ્યારે પ્રસંગ આવે ત્યારે વાગ્ધારા છૂટે તે એટલી એકધારી ને ધોધબંધ હોય કે સામાને અવાક્ થવું જ પડે. એક શ્રી સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈની સારપ્ય જીવને ન રહે તેની સ્વામીશ્રી બહુ જ કાળજી રાખતા. સદ્ગુરુશ્રી જેતલપુર મંદિરના મહંત હતા, પણ હવે મુક્તરાજ બાપાશ્રીની મરજી એવી જણાઈ કે મહંત તરીકે ચાલુ ન રહેવું. વળી, સત્સંગ સાહિત્યની સેવાની પ્રવૃત્તિનો ફલક વિસ્તરતો જતો હતો, તેથી સદ્દગુરુશ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીએ સં. ૧૯૭૦ના કાર્તકના સમૈયે જેતલપુરના મહંતનું પદ છોડી દીધું. વચનામૃત શોધન કરાવી શુદ્ધ-પ્રમાણભૂત પ્રત બનાવવાનું અતિ અગત્યનું કામ શરૂ થયું. સદ્દગુરુશ્રી મુખ્ય માર્ગદર્શક હતા. પોતાને બધાં વચનામૃતો જિહ્વાગ્રે હતા. તે જ રીતે સદ્દગુરુશ્રીની સેવામાં મૂળ મંદિરના પુરાણી ધર્મકિશોરદાસજી સ્વામીશ્રી તથા પ.ભ. ત્રિભુવનભાઈ (હળવદ-વાળા) આદિ જોડાયા. એ સૌ પણ વચનામૃતના પરિપકવ અભ્યાસીઓ હતા. એ સૌને પણ બધાં વચનામૃતો કંઠસ્થ હતા. સૌ શ્રીહરિજીની પ્રસન્નતા અર્થે ને મુક્તરાજ બાપાશ્રીની આજ્ઞાથી સેવાયજ્ઞમાં જોડાયા હતા. એકેએક શબ્દની પરીક્ષા થતી જતી હતી. એકેએક લીંટીએ લીંટી તપાસાતી હતી. પુરાણી ધર્મકિશોરદાસજી સ્વામીશ્રી એટલે હસ્તપ્રતોનો ખજાનો! જ્યાં જ્યાંથી જેટલી મળી તેટલી બધી હસ્તપ્રતો પુરાણીશ્રીએ ભેગી કરેલી. મોટા મુક્તોને અને શ્રીહરિજીને રાજી કરવાનો અનેરો અવસર જાણી પુરાણીશ્રીએ વચનામૃતની બધી હસ્તપ્રતો સદ્ગુરુશ્રીને સોંપી. સદ્ગુરુશ્રીએ કેવળ હસ્તપ્રતો જ ન લીધી પુરાણીશ્રીને પણ લઈ જ લીધા! સેવાયજ્ઞમાં અન્ય અનેક સેવકો અતિ ઉત્સાહથી મદદમાં ખડે પગે રહે. કોઈ આ હસ્તપ્રતમાંથી કૉપી ઉતારે, કોઈ તે હસ્તપ્રતમાંથી ઉતારે, સતત પ્રવૃત્તિ, સતત માર્ગદર્શન, સતત સંશોધન ચાલ્યા જ કરે. વળી, સદ્ગુરુશ્રી પોતાના સેવકોની એવી તો સંભાળ રાખે, જાણે વિશાળ કુટુંબની માતૃસંભાવના ! સૌના ઉપર સદ્દગુરુશ્રીનો રાજીપો વરસ્યા કરે, સૌને એમ જ લાગે કે સદ્દગુરુશ્રી મારા ઉપર અતિશય રાજી છે, ‘મારા પોતાના છે', સૌ કોઈના વ્યવહારની પણ ખબર રાખે, આ લોક-પરલોક બંનેનું સતત ધ્યાન રાખે તેવા સદ્દગુરુશ્રીના પરિચય-સેવામાં આવ્યા તે સૌના અહોભાગ્ય ! જય સ્વામિનારાયણ. #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર
c.j. jadav
649 views
4 days ago
🍃🌼🍃🍃 બાપાશ્રીએ લખાવેલા વચનામૃત રહસ્યાર્થનો સંપૂર્ણ ઇતિહાસ ભાગ - ૦૪ શ્રીજીમહારાજના અંગત સચિવ-સેક્રેટરી-તરીકે જે સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ છે તેવા સદ્ગુરુ શુકાનંદ સ્વામી એમ કહેતા કે શ્રીજીમહારાજે જે વચનામૃતો કહ્યા તે મેં સાંભળીને લખ્યા, તે છતાં તે જ વચનામૃતોના અર્થ જ્યારે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પાસેથી સમજ્યો ત્યારે જ યથાર્થ જ્ઞાન થયું. સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી જે વચનામૃતના આચાર્ય જેવા ગણાતા તે પણ કહેતા કે વચનામૃતના અર્થ જો સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ ન સમજાવ્યા હોત તો કાચપ રહી જાત ! હકીકતમાં તો શ્રી સ્વામિનારાયણ ભગવાને શ્રીમુખે જ આ વાત કહી છે. ગઢડા મધ્ય પ્રકરણના ૧૩મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે: આવી ભગવત્સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહિ, અને સદગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ આ વાત સમજ્યામાં આવે છે; પણ પોતાની બુદ્ધિ બળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી.” સદ્ગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રી પોતે શ્રી સ્વામિ નારાયણ ભગવાને અક્ષરધામથી આ લોકને વિષે અનેક જીવોના આત્યંતિક કલ્યાણ માટે મોકલેલા સિદ્ધ અનાદિમુક્ત હતા. તેમણે સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામીશ્રી પાસે ત્યાગીની દિક્ષા લીધી તે અગાઉથી જ વચનામૃતનો અસાધારણ અભ્યાસ કર્યો હતો. તેમને બસો તોતેર વચનામૃતો જિહવાગ્રે હતા. તે બધાં જ વચનામૃતના અર્થ સદ્ગુરુ નિર્ગુણદાસજી રવામીશ્રી પાસે રહ્યા ને દરમ્યાન જાણી લીધા હતા. સ્વામીશ્રી ઈશ્વરચરણદાસજી પાસે વચનામૃત અંગે જે કોઈ વાત કરવા આવે તે સૌ સ્વામીશ્રીના અસાધારણ અભ્યાસથી અત્યંત પ્રભાવિત થઈ જતા, તે છતાં સ્વામીશ્રી જ્યારે મુક્તરાજ અબજીબાપાશ્રી પાસે સમાગમ અર્થે રહ્યા ત્યારે મુક્તરાજશ્રીના મુખે શ્રીહરિજીના માહાત્મ્ય-ઐશ્વર્ય-પ્રતાપની વાતો અને વચનામૃતના રહસ્ય અભિપ્રાયો જાણ્યાં ત્યારે સ્વામીશ્રીને પણ “અહો ! અહો!” થઈ ગયું. શ્રીજીમહારાજના સ્વરૂપમાં લીન થઈને રહેલા અનાદિ મુક્તો અને એ સ્વરૂપની સન્મુખ રહેલા પરમ એકાંતિક મુક્તોને જેમ શ્રીજીમહારાજનું સુખ હરહંમેશ, હર પળ, હર ક્ષણ નવીન નવીન લાગે છે, તેમ મુક્તરાજ અબજીબાપાશ્રીના મુખથકી નીકળતી શ્રીજીમહારાજ અને મુક્તોના ઐશ્વર્ય-પ્રતાપ અને સુખ સંબંધી અનુભવવાણી નિત્ય નવીન ને ચમત્કારી લાગતી. એમ થાય કે જાણે એ વાણી સાંભળ્યા જ કરીએ, એમાં ઝીલ્યા જ કરીએ! ગંગા-જીના જળમાં ડૂબકી મારી જઈ, સતત આવ્યે જતા નવા ને નવા પાણીમાં ઝીલતા હોઈએ તેવી એ બાપાશ્રીની અનુભવવાણી હતી. બાપાશ્રી કહેતા: “આ શબ્દો તો શ્રીજીમહારાજના પડછંદા છે. સમુદ્રમાં જેમ વેળ આવે તે નહાવા પડેલાને સમુદ્રમાં નાણી જાય તેમ આ શબ્દો, સાંભળનારને શ્રીજી મહારાજમાં ખેંચી જાય છે.” મુક્તરાજ અબજીબાપાશ્રીના અનુભવજ્ઞાનની આ વાતો સાંભળવા સદ્ગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રી પોતે વરસોવરસ કચ્છમાં જતાં, એટલું જ નહીં પણ પોતાના હેતરુચિવાળા અમદાવાદ-જેતલપુર-ધોળકા-મૂળી ભુજના મંદિરના સંતોને અને સેંકડો-હજારો હરિભક્તોને તે વાણીનો લાભ લેવા લઈ જતા અને લાભ લેવરાવતા. નથી ! તેમ છતાં સદ્ગુરુશ્રી ઇશ્વરચરણદાસજી સ્વામીશ્રીને ચેન નથી. નવી પેઢીના મુમુક્ષુઓ માટે હંમેશા ચિંતિત રહેતા. જય સ્વામિનારાયણ. #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર